Site icon News Continuous Bureau | Mumbai

BJP Candidate: ભાજપની નવી રણનીતિ, ચાર રાજ્યોની પેટાચૂંટણી માટે ઉમેદવારો જાહેર, ઝારખંડમાં આ પરિવારના સભ્ય પર પસંદગી

ભાજપે ઝારખંડના ઘાટશિલાથી બાબુલાલ સોરેન અને જમ્મુ-કાશ્મીરના બડગામથી આગા સૈયદ મોહસીનને આપ્યો મેદાનમાં ઉતાર્યો; 11 નવેમ્બરે થશે મતદાન.

BJP Candidate ભાજપની નવી રણનીતિ, ચાર રાજ્યોની પેટાચૂંટણી માટે ઉમેદવારો જાહેર

BJP Candidate ભાજપની નવી રણનીતિ, ચાર રાજ્યોની પેટાચૂંટણી માટે ઉમેદવારો જાહેર

News Continuous Bureau | Mumbai
BJP Candidate  ભાજપે ચાર રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ઉપચૂંટણીઓ માટે પોતાના ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી દીધી છે. ઝારખંડના ઘાટશિલા (એસટી) નિર્વાચન ક્ષેત્રમાંથી પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેનના પુત્ર બાબુલાલ સોરેનને ટિકિટ મળી છે. અગાઉ પણ વિધાનસભા ચૂંટણીમાં બાબુલાલ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

જમ્મુ-કાશ્મીરમાં બે બેઠકો પર ઉપચૂંટણી

જમ્મુ-કાશ્મીરમાં બે વિધાનસભા ક્ષેત્ર – બડગામ (નિર્વાચન ક્ષેત્ર 27) અને નગરરોટા (નિર્વાચન ક્ષેત્ર 77) – ઓક્ટોબર 2024 થી ખાલી છે.
બડગામ: આ બેઠક પરથી ભાજપે આગા સૈયદ મોહસીનને ટિકિટ આપી છે. ઉમર અબ્દુલ્લાના (Omar Abdullah) રાજીનામાને કારણે અહીં ઉપચૂંટણી જરૂરી બની છે.
નગરરોટા: આ બેઠક પરથી દેવયાની રાણાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર સિંહ રાણાના નિધન બાદ અહીં ઉપચૂંટણી થઈ રહી છે.

Join Our WhatsApp Channel

ઝારખંડ, ઓડિશા અને તેલંગાણામાં ઉમેદવારો

ઝારખંડ: બાબુલાલ સોરેન ઘાટશિલા (એસટી) નિર્વાચન ક્ષેત્રમાંથી ઉપચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના નેતા રામદાસ સોરેનના નિધનથી ખાલી પડી છે.
ઓડિશા: જય ઢોલકિયા નૂઆપાડા (નિર્વાચન ક્ષેત્ર 71) ઉપચૂંટણીના ઉમેદવાર છે.
તેલંગાણા: લંકાલા દીપક રેડ્ડી જુબિલી હિલ્સ (નિર્વાચન ક્ષેત્ર 61) માંથી ઉપચૂંટણી લડી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Mobile Market: Apple નહીં આ છે દુનિયામાં સૌથી વધુ મોબાઇલ સેલ કરનારી કંપની, AI ની મોટી ભૂમિકા

11 નવેમ્બર માં થશે મતદાન

જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, ઓડિશા અને તેલંગાણામાં પાંચ બેઠકો પર ઉપચૂંટણી માટે મતદાન 11 નવેમ્બરે થશે, જ્યારે મતગણતરી 14 નવેમ્બરે થશે.

Pahalgam Attack। સેનાનો પાકિસ્તાનને કરારો જવાબ ‘પહેલગામના શહીદોને ન્યાય મળી ગયો છે’, હુમલાની વરસી પહેલા ભારતનો આકરો સંદેશ
Russian Oil। રશિયન ઓઈલ પર ભારતનો મોટો દાવ ૨૦૩૦ સુધી તેલની અછત થશે ખતમ, જાણો શું છે ભારતની ખાસ યોજના
Strait of Hormuz। સંઘર્ષના પડછાયા માં ભારતીય નૌકાદળ હોર્મુઝમાં ફસાયેલા ૧૪ જહાજોને છોડાવવા ભારતની કૂટનીતિક કવાયત તેજ
Heatwave Alert। આકરા તાપમાં તપ્યું ભારત, પારો ૪૨ ડિગ્રીને વટાવતા જનજીવન પ્રભાવિત.
Exit mobile version