Site icon

આજે છે ભાજપનો સ્થાપના દિવસ.. કોંગ્રેસને ધ્વસ્ત કરી દેશભરમાં કઈ રીતે ખીલ્યું કમળ? જાણો કેવી રહી ભાજપની રાજકીય સફર..

Lok Sabha Election 2024: Big danger for NDA before Lok Sabha elections, the result of this survey will increase concern

Lok Sabha Election 2024: Big danger for NDA before Lok Sabha elections, the result of this survey will increase concern

 News Continuous Bureau | Mumbai

ભારતીય જનતા પાર્ટી (BJP) આજે તેનો 44મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. પાર્ટીની સ્થાપના 6 એપ્રિલ 1980ના રોજ થઈ હતી. સ્થાપના દિવસના અવસરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલયમાં ધ્વજ ફરકાવ્યો. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યકર્તાઓને સંબોધિત કરશે.

Join Our WhatsApp Community

જ્યારે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ધ્વજ ફરકાવ્યો ત્યારે આ દરમિયાન કાર્યકર્તાઓએ ભારત માતા કી જય, ભારતીય જનતા પાર્ટી ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. આ ઉપરાંત ‘હર-હર મોદી-ઘર-ઘર મોદી’ અને ‘મોદી હૈ તો મુમકીન હૈ’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. આ પછી બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ શ્યામા પ્રસાદ મુખર્જી અને અટલ બિહારી વાજપેયીની પ્રતિમાઓને ફૂલ અર્પણ કર્યા. આ દરમિયાન નડ્ડાએ કહ્યું કે લાખો અને કરોડો કાર્યકરોએ પાર્ટીને આ સ્થાન પર લઈ જવા માટે બુથ સ્તરે કામ કર્યું છે.

કેવો રહેશે ભાજપના સ્થાપના દિવસનો કાર્યક્રમ?

– જેપી નડ્ડાએ સવારે 9 વાગ્યે બીજેપીના રાષ્ટ્રીય કાર્યાલય પર પાર્ટીનો ધ્વજ ફરકાવ્યો.
પીએમ મોદી કાર્યકર્તાઓને સંબોધશે.
– બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બપોરે 12 વાગ્યે નવી દિલ્હીના 18 બજાર લેન, બંગાળી માર્કેટમાં બીજેપીનું વોલ રાઈટિંગ અભિયાન શરૂ કરશે.

ભાજપની રચના 1980માં થઈ હતી

ભારતીય જનતા પાર્ટી (BJP)નો ઈતિહાસ ભારતીય જનસંઘ સાથે જોડાયેલો છે. જનસંઘની રચના દિલ્હીમાં 21 ઓક્ટોબર 1951ના રોજ થઈ હતી જ્યારે ભાજપની રચના 6 એપ્રિલ 1980ના રોજ થઈ હતી. જનસંઘની સ્થાપના ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી, પ્રોફેસર બલરાજ મધોક, દીનદયાળ ઉપાધ્યાયે કરી હતી. જનસંઘનું ચૂંટણી ચિન્હ ‘દીપક’ હતું અને ધ્વજ ભગવા રંગનો હતો.

આ સમાચાર પણ વાંચો: હનુમાન જયંતિ પર તમારી રાશિ પ્રમાણે કરો આ મંત્રોનો જાપ, મળશે બજરંગબલીના આશીર્વાદ…

1975માં દેશમાં લાગુ કરાયેલી ઈમરજન્સી જનસંઘના રાજકારણમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. વર્ષ 1977માં જ્યારે ઈન્દિરા ગાંધીએ ઇમરજન્સી ખતમ કરી ત્યારે દેશમાં સામાન્ય ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ હતી. વૈચારિક મતભેદો ભૂલીને, વિરોધ પક્ષોએ ઈન્દિરા ગાંધી અને કોંગ્રેસ પક્ષને હરાવવા જનતા પાર્ટીની રચના કરી. જનસંઘ જનતા પાર્ટીમાં ભળી ગયો. યુનાઈટેડ સોશિયાલિસ્ટ પાર્ટી, ભારતીય લોકદળ, કોંગ્રેસ (ઓ), જનસંઘનું વિલીનીકરણ કરીને જનતા પાર્ટીની રચના કરવામાં આવી હતી.

1977ની ચૂંટણીમાં જનસંઘના નેતાઓને સારી સફળતા મળી. મોરારજી દેસાઈના નેતૃત્વમાં જનતા પાર્ટીએ કેન્દ્રમાં સરકાર બનાવી. જનતા પાર્ટીની સરકારમાં અટલ બિહારી વાજપેયી વિદેશ મંત્રી બન્યા અને લાલકૃષ્ણ અડવાણી માહિતી અને પ્રસારણ મંત્રી હતા.

જનતા પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીની રચના થઈ

જનતા પાર્ટી શરૂઆતથી જ અનેક જૂથોમાં વહેંચાયેલી હતી. એક વર્ગે જનસંઘના નેતાઓ સામે મોરચો ખોલ્યો અને બેવડા સભ્યપદનો મુદ્દો ઉઠાવ્યો. આનાથી એવી ચર્ચા થઈ કે જનતા પાર્ટીમાં જોડાનારા જનસંઘના લોકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનતા પાર્ટીના સભ્યો તરીકે સાથે રહી શકતા નથી, કારણ કે જેપીએ જનસંઘના નેતાઓને એ શરતે લીધા હતા કે તેઓ આરએસએસનું સભ્યપદ સંપૂર્ણપણે છોડી દેશે.

પરંતુ જનસંઘના નેતાઓ આ સાથે સહમત ન થયા.આરએસએસનું સભ્યપદ છોડવાના મુદ્દે જનતા પાર્ટી તૂટી પડી. જનસંઘના નેતાઓએ પોતાનો અલગ પક્ષ બનાવવાનો નિર્ણય કર્યો. આ રીતે ભારતીય જનતા પાર્ટી અસ્તિત્વમાં આવી.1980ની લોકસભા ચૂંટણીમાં જનતા પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો.

આ સમાચાર પણ વાંચો: ભારતના આ રાજ્યમાં આજે વહેલી આવ્યો ભૂકંપ, લોકો ભરઊંધમાંથી જાગીને ભાગ્યા.. જાણો કેટલી હતી તીવ્રતા

1980 સુધીમાં જનતા પાર્ટીમાં સમાજવાદી અને જનસંઘ સાથે જોડાયેલા નેતાઓના રસ્તા અલગ થઈ ગયા. અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી અને જનસંઘના અન્ય નેતાઓએ 6 એપ્રિલ, 1980ના રોજ દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનમાં ભારતીય જનતા પાર્ટીના નામથી નવા રાજકીય પક્ષની જાહેરાત કરી હતી. અટલ બિહારી વાજપેયી BJP ના પ્રથમ અધ્યક્ષ બન્યા

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
India: બુલેટ ટ્રેનની રાહ જોનારાઓ માટે સારા સમાચાર: આ તારીખ થી શરૂ થશે પ્રથમ સફર; રેલવે મંત્રીએ જાહેર કરી નવી ડેડલાઇન.
Mumbai: નવા વર્ષે હવામાનનો મિજાજ બદલાયો: મુંબઈમાં વરસાદી આગમન, પહાડો પર હિમવર્ષા અને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી.
Happy New Year 2026 Wishes: નવા વર્ષ ૨૦૨૬ની દેશમાં ધૂમ: PM મોદીએ પાઠવી શુભકામનાઓ, રાહુલ ગાંધી અને ખરગેએ પણ દેશવાસીઓ માટે ખાસ સંદેશ પાઠવ્યો.
Exit mobile version