Site icon

તો શું હવે સરકાર વસ્તી નિયંત્રણ કાયદો લાવશે? ભાજપના નેતાએ માગણી મૂકી…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

10 ઓગસ્ટ 2020

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370, કોર્ટના નિર્ણય પછી રામ મંદિર બનાવવું જેવા બે વાદા પુરા કર્યા બાદ, શું ભાજપનો આગળનો એજન્ડા 'વસ્તી નિયંત્રણ કાનૂન' બનાવવાનો હોઈ શકે? આ અટકળો એટલા માટે શરૂ થઈ છે, કેમકે સુપ્રીમ કોર્ટમાં ભાજપના નેતા અને એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને વસ્તી નિયંત્રણ કાયદો શરૂ કરવાની માંગ કરી છે.

ભારતીય જનતા પાર્ટીના નેતા અશ્વિની ઉપાધ્યાયે વસ્તી નિયંત્રણ અંગે સુપ્રીમ કોર્ટમાં જે અરજી દાખલ કરી છે તેની સુનાવણી 14 ઓગસ્ટના રોજ થશે. આ સમય દરમિયાન વસ્તી નિયંત્રણ કાયદા ની માંગને લઇ ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડા ને પણ ઉપાધ્યાયે પત્ર લખ્યો છે. આ પત્રમાં ઉપાધ્યાયે કહ્યું છે કે "હાલના સમયમાં વસ્તીનો વિસ્ફોટ ભારત માટે બોમ્બ વિસ્ફોટ કરતાં પણ વધુ ખતરનાક સાબિત થઈ રહ્યો છે. તેને રોકવુ જરૂરી છે.

અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે એક સમાન નાગરિક સંહિતા તથા કડક વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કર્યા વગર સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, સાક્ષર ભારત જેવા તમામ નારા વ્યર્થ ગણાશે. વસ્તી વધારાને કારણે ભ્રષ્ટાચાર અને અપરાધ મુક્ત ભારતનું નિર્માણ કરવું મુશ્કેલ નહીં પરંતુ અશક્ય છે.. ઉલ્લેખનીય છે કે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જાહેર મંચ પરથી ભારતમાં વસ્તી વિસ્ફોટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Azam Khan: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો
West Bengal: કોલકાતામાં ભારે વરસાદથી જનજીવન ઠપ્પ, આટલા લોકોના મોત; બે દિવસ માટે એલર્ટ જાહેર
Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Exit mobile version