Site icon News Continuous Bureau | Mumbai

યુરોપ પ્રવેશ માટે બોસ્નીયા બન્યું આતંકીઓનું ગઢ, પાકિસ્તાને 3000 લોકોને ગેરકાયદે ઘુસાડ્યા

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

1 જુલાઈ 2020

પૂર્વ યુગોસ્લાવિયાથી છૂટા પડેલા, બોસ્નીયા અને હર્ઝેગોવિના, આતંકવાદીના ગઢ તરીકે ઉભરી રહયાં છે. મૂળ પાકિસ્તાનના, પરંતુ ગેરકાયદેસર સ્થળાંતર કરી બોસ્નીયા ગયેલા લોકો, આ દેશનો આતંકવાદીઓના મુખ્ય પ્રવેશ દ્વાર તરીકે ઉપયોગ કરી રહયા છે. પાકિસ્તાની નાગરિકોની આતંકવાદીઓ સાથેની સાંઠગાંઠ પ્રકાશમાં આવી ત્યારે, બોસ્નીયા સરકારે તાજેતરમાં જ પાકિસ્તાની રાજદૂતને બોલાવ્યા હતા અને, ગેરકાયદેસર તરીકે દાખલ થયેલા પાકિસ્તાન મૂળના બે આતંકવાદીઓની હરકત માટે ઇસ્લામાબાદને ઠપકો આપ્યો હતો.

બોસ્નીયાના સુરક્ષા પ્રધાનના જણાવ્યા મુજબ 'બોસ્નીયાએ પાકિસ્તાનને જયાં સુધી આતંક બંધ ન કરે ત્યાં સુધી સહયોગ આપવાનો ઇનકાર કરી દીધો છે અને તેમના દેશમાં ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓની આંગળીના નિશાન લઈ ફરી બાયોડેટા તપાસવાની ભલામણ કરી છે. 

ગયા મહિને એક અગ્રણી બ્રિટિશ મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે 'હજારો પાકિસ્તાનીઓ મધ્ય યુરોપમાં બોસ્નીયા અને હર્ઝેગોવિનાનો ઉપયોગ કરી યુરોપિયન યુનિયન ના દેશોમાં ગેરકાયદેસર પહોંચવા માટે સરહદ પાર કરી રહ્યા છે. એક અહેવાલમાં જણાવાયું છે કે "બોસ્નીયન સરહદ દળનો દાવો છે કે 3,000 પાકિસ્તાની નાગરિકોને ઈસ્લામાબાદ સ્થિત દૂતાવાસે કપટપૂર્વક વિઝા આપ્યા છે, જેથી તેઓ પાકિસ્તાનથી યુરોપમાં ગેરકાયદેસર ઘુસી શકે…"

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/38gxlQ1 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Sonam Wangchuk Hunger Strike આખરે સોનમ વાંગચુકે ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી, કેન્દ્ર સરકારને લખ્યો પત્ર
Akhilesh Yadav Arguments With Speaker Om Birla અખિલેશ યાદવનો સ્પીકર પર સવાલ “અમને બોલવાની તક કેમ નહીં?” ઓમ બિરલાએ આપ્યો આ જવાબ
Cockroach Janta Party Slams CJI Surya Kant Remark ‘અમારો સમય બગાડશો નહીં’, સીજીઆઈ સૂર્યકાંતની ટિપ્પણી પર ભડકી કૉકરોચ જનતા પાર્ટી, કહ્યું ‘આટલો અહંકાર…’
Lalit Modi Prepares For India Return અંતે સત્યનો વિજય થયો…. ED ના કેસમાંથી મુક્તિ મળતાં લલિત મોદીએ ભારત વાપસીની તારીખ પર આપ્યો મોટો સંકેત
Exit mobile version