Site icon News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનથી પરત ફરી ભારતીય યુવકની દુલ્હન : ત્રણ વર્ષે થયું મિલન, જાણો અનોખી વાર્તા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો          

મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

પાકિસ્તાનમાં રહેતી એક યુવતીનાં લગ્ન ૩ વર્ષ પહેલાં ભારતના યુવક સાથે થયાં હતાં. આ દુલ્હનને ભારતના વિઝા ન મળવાથી તેનો વર લગ્ન બાદ દુલ્હન વગર જ ભારત પરત ફર્યો હતો. હવે આ પતિ-પત્નીનો વિયોગ ત્રણ વર્ષ બાદ પૂરો થયો છે.

આ કિસ્સો રાજસ્થાનના જેસલમેરના યુવક વિક્રમસિંહનો છે, જેનાં લગ્ન પાકિસ્તાની યુવતી નિર્મલાકંવર જોડે થયાં હતાં. પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધો હંમેશાંથી નાજુક રહ્યા છે. નાગરિકોની અવરજવરમાં પણ મુશ્કેલીઓ આવે છે. એવામાં દુલ્હનને વિઝા ન મળવાથી તે લગ્ન બાદ પાકિસ્તાનમાં જ રહેતી હતી, પણ કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાસ ચૌધરીના સતત પ્રયત્નોને લીધે તે ભારતમાં પોતાના સાસરે પહોંચી છે.

ચોંકાવનારો અહેવાલ : ૯/૧૧ના હુમલા પાછળ આ દેશ પણ હતો જવાબદાર, ના… ના… પાકિસ્તાન નહીં; જાણીને ચોંકી જશો

અટારી બોર્ડરથી પોતાના સાસરિયામાં નિર્મલાકંવરે પ્રથમ પગલું મૂક્યું હતું. બોર્ડરથી બાડમેર પહોંચ્યા બાદ સાંસદ સેવા કક્ષમાં દુલ્હનનું સ્વાગત કરાયું હતું. ત્રણ વર્ષ બાદ પોતાની પત્નીને મળનારા વિક્રમસિંહે જણાવ્યું હતું કે તેમની પત્નીના વિઝાને બ્લૅકલિસ્ટ કરાયા હતા, જેથી તેને વિઝા મળતા ન હતા.

બાડમેર પહોંચ્યા બાદ પોલીસની અન્ય આવશ્યક ઔપચારિકતાઓ પૂર્ણ કરીને પતિ-પત્ની તેમના જેસલમેરના બઇયા ગામ જવા માટે રવાના થયાં હતાં.

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version