Site icon

Budget Session 2026: રાષ્ટ્રપતિ મુર્મુએ સંસદમાં ગણાવ્યા 11 વર્ષના આર્થિક લેખાજોખા,મજબૂત બેંકિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આપ્યો ભાર

Budget Session 2026: આત્મનિર્ભર ભારત વિના આઝાદી અધૂરી છે: રાષ્ટ્રપતિએ રવીન્દ્રનાથ ટાગોરની પંક્તિઓ ટાંકીને સરકારની સિદ્ધિઓ ગણાવી.

Budget Session 2026 રાષ્ટ્રપતિ મુર્મુએ સંસદમાં ગણાવ્યા 11 વર્ષના આર્થિક લેખાજોખા,મજબૂત

Budget Session 2026 રાષ્ટ્રપતિ મુર્મુએ સંસદમાં ગણાવ્યા 11 વર્ષના આર્થિક લેખાજોખા,મજબૂત

News Continuous Bureau | Mumbai
Budget Session 2026: વર્ષ 2026 ના સંસદના બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ સાથે થઈ છે. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું કે ભારત દરેક ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. રવીન્દ્રનાથ ટાગોરને યાદ કરતા તેમણે કહ્યું કે જ્યાં સુધી આપણે આત્મનિર્ભર (Self-reliant) જીવન ન જીવીએ ત્યાં સુધી આઝાદી અધૂરી છે. તેમણે છેલ્લા 11 વર્ષમાં દેશની આર્થિક સ્થિતિમાં થયેલા સુધારા અને મોંઘવારી દર પરના નિયંત્રણની પ્રશંસા કરી હતી.રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મોંઘવારી પર કાબૂ મેળવવાનો સીધો ફાયદો મધ્યમ વર્ગ અને ગરીબોને થયો છે. આ દરમિયાન તેમણે દેશની સુરક્ષા અને આતંકવાદ વિરુદ્ધની લડાઈનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતની સેનાએ હંમેશા શૌર્ય અને પરાક્રમ બતાવ્યું છે અને આતંકવાદી અડ્ડાઓનો નાશ કર્યો છે.

ઓપરેશન સિંદૂર’ અને આતંકવાદનો સફાયો

રાષ્ટ્રપતિ મુર્મુએ ‘ઓપરેશન સિંદૂર’ નો ઉલ્લેખ કરતા ભારતીય સેનાના પરાક્રમને બિરદાવ્યું હતું. તેમણે કહ્યું કે આતંકવાદી હુમલાઓનો જવાબ હવે દ્રઢ અને નિર્ણાયક રીતે આપવામાં આવે છે. માઓવાદ અંગે તેમણે મહત્વની જાણકારી આપી કે માઓવાદી પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 126 થી ઘટીને માત્ર 8 રહી ગઈ છે. તેમાંથી માત્ર 3 જિલ્લા ગંભીર રીતે પ્રભાવિત છે, અને 2 હજારથી વધુ માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે.

Join Our WhatsApp Community

વિકસિત ભારતનું લક્ષ્ય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર

સરકારના લક્ષ્યો વિશે વાત કરતા તેમણે કહ્યું કે સોલર પાવર સેક્ટર માં ભારત તેજીથી આગળ વધી રહ્યું છે અને 20 લાખ સોલર સિસ્ટમ લગાવી દેવામાં આવી છે. ઉત્તર-પૂર્વના રાજ્યોમાં 7,200 કિલોમીટરથી વધુ હાઈવે બનાવવામાં આવ્યા છે અને રેલવેના વિકાસમાં 80 હજાર કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. આદિવાસી વિસ્તારોમાં 20,000 થી વધુ ગામોને મુખ્ય પ્રવાહના વિકાસ સાથે જોડવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો: Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા

ખેડૂત કલ્યાણ અને મહિલા સશક્તિકરણ

કૃષિ ક્ષેત્રે ‘પીએમ કિસાન સન્માન નિધિ’ હેઠળ અત્યાર સુધીમાં 4 લાખ કરોડ રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે. ફૂડ પ્રોસેસિંગ ક્ષમતામાં 20% નો વધારો થયો છે. મહિલાઓ માટે ‘લખપતિ દીદી’ અને ‘ડ્રોન દીદી’ જેવી યોજનાઓ દ્વારા મહિલા સશક્તિકરણને વેગ મળ્યો છે. 60 લાખથી વધુ મહિલાઓ લખપતિ દીદી બની છે, જે દેશના આર્થિક વિકાસમાં મહિલાઓનો વધતો ફાળો દર્શાવે છે.

Ajit Pawar Plane Crash: અજીત પવારનું મોત કે રાજકીય ષડયંત્ર? વકીલ નીતિન સાતપુતેએ અકસ્માત સામે ઉઠાવ્યા સવાલો, CBI તપાસની માંગ
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Ajit Pawar Plane Crash: લેન્ડિંગ વખતે એવું તો શું થયું કે અજિત પવારનું પ્લેન આગના ગોળામાં ફેરવાયું? જાણો એક્સપર્ટ્સ અને વિમાન કંપનીએ શું કર્યો દાવો.
Sonamarg Avalanche: કાશ્મીરમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ: સોનમર્ગમાં ભયાનક હિમસ્ખલન, સેકન્ડોમાં હોટેલો અને રસ્તાઓ બરફ નીચે દબાયા; જુઓ વીડિયો
Exit mobile version