Site icon

ચૂંટણી પંચનું મોટું એલાન – મહારાષ્ટ્ર સહિત આ 6 રાજ્યોની ખાલી બેઠકો માટે જાહેર કરી પેટા-ચૂંટણીની તારીખ- જાણો ક્યારે થશે મતદાન અને ક્યારે થશે મતગણતરી 

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય ચૂંટણી પંચે મુંબઈમાં અંધેરી પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાં ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ મુજબ 3 નવેમ્બરે મતદાન થશે અને 6 નવેમ્બરે મતગણતરી થશે. મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોની 7 બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે.

Join Our WhatsApp Community

મુંબઈના અંધેરી પૂર્વ વિધાનસભા મતવિસ્તારના શિવસેનાના ધારાસભ્ય રમેશ લટકેનું 12મી મેના રોજ હાર્ટ એટેકથી અવસાન થયું હતું. રમેશ લટકે પરિવાર સાથે દુબઈ ગયો હતો. ત્યાં જ તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું અવસાન થયું. લટકે આ બેઠક પરથી બે વખત ચૂંટાયા હતા. તેમના મૃત્યુ બાદ આ જગ્યા ખાલી પડી હતી. તેના માટે પેટાચૂંટણી યોજાશે.

આ સમાચાર પણ વાંચો : મુશળધાર વરસાદમાં પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જનસભા સંબોધી- ટસના મસ ન થયા લોકો- જુઓ વિડીયો 

પેટાચૂંટણીનો કાર્યક્રમ

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 7 ઓક્ટોબરે ગેઝેટ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 14 ઓક્ટોબર, ઉમેદવારી પત્રોની ચકાસણી 15 ઓક્ટોબર, નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 17 ઓક્ટોબર, મતદાન 3 નવેમ્બર અને મતગણતરી 6 નવેમ્બરે થશે. 8મી નવેમ્બર પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ ચૂંટણીના અવસર પર પહેલીવાર શિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે સીધો મુકાબલો થશે. રમેશ લટકેના પત્ની ઋતુજા લટકેને ઉદ્ધવ ઠાકરે જૂથે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. મહત્વનું છે કે, ચૂંટણીમાં ધનુષ અને તીરનું પ્રતિક કોને મળશે તેના પર સૌનું ધ્યાન છે.

કેન્દ્રીય ચૂંટણી પંચે દેશના 6 રાજ્યોની 7 બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. તેમાં મહારાષ્ટ્રની સાથે બિહાર, હરિયાણા, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઓડિશા રાજ્યોની સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. મતદારક્ષેત્રો બે છે (178 – મોકામા, 101 – ગોપાલગંજ), બિહારમાં 47 – હરિયાણામાં આદમાપુર, 93 – તેલંગાણામાં મુનુગોડે, 139 – ઉત્તર પ્રદેશમાં ગોલા ગોકરનાથ અને 46 – ઓડિશામાં ધામનગર.

આ સમાચાર પણ વાંચો : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું આ તો કેવું સ્વાગત- નવરાત્રી મહોત્સવમાં આગમન દરમિયાન ટીખળખોરે પાણીની બોટલ ફેંકી- જુઓ વિડિયો

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version