Site icon News Continuous Bureau | Mumbai

CAA Rules Notification: દેશમાં આજથી જ લાગુ થઈ શકે છે CAA, મોદી સરકાર જાહેર કરશે નોટિફિકેશન!

CAA Rules Notification: નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) નિયમોનું નોટિફિકેશન આજે બહાર પાડવામાં આવી શકે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે સીએએના નિયમો અંગે આજે સાંજ સુધીમાં નોટિફિકેશન જારી કરવામાં આવી શકે છે. લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા નાગરિકતા સંશોધન કાયદા (CAA) નિયમોનું નોટિફિકેશન બહાર પાડવું એ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય હશે.

CAA Rules Notification 4 Years After Bill Passed, CAA Likely To Become Reality Today Sources

CAA Rules Notification 4 Years After Bill Passed, CAA Likely To Become Reality Today Sources

News Continuous Bureau | Mumbai

CAA Rules Notification: આગામી લોકસભા ચૂંટણી ( Lok Sabha polls ) ની તારીખો થોડા દિવસોમાં જાહેર થઈ શકે છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA ) લાગુ કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર ( Central govt ) આજે તેનું નોટિફિકેશન ( Notification ) જારી કરી શકે છે. આ પછી, નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA આજથી જ દેશમાં લાગુ કરવામાં આવશે. વાસ્તવમાં, સંસદ દ્વારા CAA પસાર થયાને લગભગ પાંચ વર્ષ વીતી ગયા છે. હવે કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા દેશમાં CAA લાગુ કરવા જઈ રહી છે.

Join Our WhatsApp Channel

આજે મોડી રાત સુધી જારી કરવામાં આવી શકે છે નોટિફિકેશન 

લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત પહેલા જ કેન્દ્ર સરકાર દેશમાં નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 (CAA) લાગુ કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે CAA સંબંધિત નોટિફિકેશન આજે (11 માર્ચ) મોડી રાત સુધી જારી કરવામાં આવી શકે છે.

વેબ પોર્ટલ પણ તૈયાર

સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) હેઠળ, મુસ્લિમ સમુદાય સિવાય ત્રણ મુસ્લિમ બહુમતી પાડોશી દેશોમાંથી આવતા અન્ય ધર્મના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ છે. કેન્દ્ર સરકારે CAA સંબંધિત એક વેબ પોર્ટલ પણ તૈયાર કર્યું છે, જે નોટિફિકેશન પછી લોન્ચ કરવામાં આવશે. મુસ્લિમ બહુમતી ધરાવતા પાડોશી દેશોમાંથી આવતા લઘુમતીઓએ આ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને સરકારની તપાસ બાદ તેમને કાયદા હેઠળ નાગરિકતા આપવામાં આવશે. આ માટે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી વિસ્થાપિત લઘુમતીઓને કોઈ દસ્તાવેજ આપવાની જરૂર રહેશે નહીં.

આ સમાચાર પણ વાંચો :  એરટેલ યુઝર્સને મોટો ઝટકો, કંપનીએ આ બે પ્રીપેડ પ્લાનની કિંમતમાં કર્યો વધારો.. જાણો શું મળશે સુવિધા..

વર્ષ 2019માં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદામાં સુધારો કર્યો હતો. જેમાં 31 ડિસેમ્બર 2014 પહેલા અફઘાનિસ્તાન, પાકિસ્તાન  ( Pakistan ) અને બાંગ્લાદેશ ( Bangladesh ) થી આવેલા છ લઘુમતીઓ (હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી)ને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. નિયમો અનુસાર નાગરિકતા આપવાનો અધિકાર કેન્દ્ર સરકારના હાથમાં રહેશે.

ગૃહમંત્રી અમિત શાહ પહેલા જ આપી ચૂક્યા છે સંકેત 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલા CAAના અમલીકરણ અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે CAAને કારણે કોઈની નાગરિકતા છીનવાશે નહીં.

2020 થી, ગૃહ મંત્રાલય લઈ રહ્યું છે એક્સ્ટેંશન 

તમને જણાવી દઈએ કે સંસદીય પ્રક્રિયાના નિયમો અનુસાર, કોઈપણ કાયદાના નિયમો રાષ્ટ્રપતિની સહમતિના 6 મહિનાની અંદર તૈયાર કરવા જોઈએ. જો આમ ન થાય તો લોકસભા અને રાજ્યસભામાં ગૌણ વિધાન સમિતિઓ પાસેથી વિસ્તરણની માંગ કરવી જોઈએ. CAAના કિસ્સામાં, 2020 થી, ગૃહ મંત્રાલય નિયમો બનાવવા માટે નિયમિત અંતરાલે સંસદીય સમિતિઓ પાસેથી એક્સ્ટેંશન લઈ રહ્યું છે.

Gen Z Outreach Team Gen Z સાથે જોડવા માટે BJPએ બનાવી ‘સૂપર ૫’ સ્પેશિયલ ટીમ, સ્મૃતિ ઈરાની ઉપરાંત કોણકોણ સામેલ? જાણો
Air Travel Update એર ટ્રેવલ થશે વધુ સરળ આ તારીખથી ભારતીય એરપોર્ટ પર બંધ થશે પાસપોર્ટ પર ફિઝિકલ સ્ટેમ્પ લગાવવાની પ્રથા.
Vande Mataram Controversy વંદે માતરમ વિવાદ પર રાજકારણ ગરમાયું કોંગ્રેસના નિર્ણય સામે ભાજપે ભડકીને પાસ કર્યો મોટો પ્રસ્તાવ!
INS Mangrool Delivery કોચીન શિપયાર્ડ દ્વારા નિર્મિત ત્રીજું એન્ટિસબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ ‘માંગરોળ’ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું
Exit mobile version