Site icon News Continuous Bureau | Mumbai

 મોદી કેબિનેટનો મોટો નિર્ણય, પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણને આ વર્ષ સુધી ચાલુ રાખવાની આપી મંજૂરી; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર.

પીએમ મોદીએ ૨૦૧૫ માં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના લોન્ચ કરી હતી. ગ્રામીણ આવાસ યોજનાના માધ્યમ દ્વારા ગ્રામીણ વિસ્તારના લોકોને ઘરના રીપેરિંગ અને ઘર બનાવવા આર્થિક સહાયતા અપાય છે. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ સમતળ જમીન માટે ૧,૨૦,૦૦૦ અને પહાડી વિસ્તારો માટે ૧,૩૦,૦૦૦ની આર્થિક સહાયતા પૂરી પાડવામાં આવે છે. બુધવારે પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં સાપ્તાહિક કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી જેમાં મોદી સરકારે ગ્રામીણ આવાસ યોજના લંબાવી દીધી છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાને ૨૦૨૪ સુધી લંબાવવાનો ર્નિણય કર્યો છે.  કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજનાને (ગ્રામીણ) ૨૦૨૪ સુધી ચાલુ રાખવા માટે કેબિનેટે મંજૂરી આપી દીધી છે.

કોરોના દરમિયાન ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં વધી આર્થિક અસમાનતા, સામે આવ્યા આ આંકડા

Monsoon Delay Challenges દરિયામાં ભેજ હોવા છતાં ચોમાસું સુસ્ત પવનોની ખેંચતાણ વચ્ચે અટવાઈ ‘મોનસૂન એક્સપ્રેસ’
Impact of US Iran Deal on Fuel Prices અમેરિકાઈરાન સમજૂતીની અસર ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, શું ભારતમાં ઘટશે પેટ્રોલડીઝલના ભાવ?
Shri Ram Janmabhoomi Temple Donations રામ મંદિર દાનમાં ગેરરીતિ? CBI તપાસની માંગ સાથે કોર્ટમાં અરજી
Jewar Airport Commercial Operations નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ, જેવરથી કોમર્શિયલ ફ્લાઈટ સેવાઓનો પ્રારંભ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યું ભારત
Exit mobile version