Site icon

કોરોના ની રસી લીધા પછી પણ લોકોને થાય છે કોરોના .કારણ જાણો અહીં…..

  સમગ્ર વિશ્વમાં કોરોના નો વ્યાપ વધી રહ્યો છે. પરંતુ સામે રાહત એ પણ છે કે કોરોના નિવારણ માટેની રસી માર્કેટમાં આવી અને જનતા સુધી પહોંચી પણ રહી છે .પરંતુ આ રસીના એક ડોઝ લીધા પછી પણ થવાના કેસો ધીરે ધીરે બહાર આવી રહ્યા છે.મુંબઈના ગુજરાતી થિયેટર જગતના મહારથી પરેશ રાવલને વેક્સિન નો પ્રથમ ડોઝ લીધા બાદ પણ કોરોના થયો છે. એવા સમાચાર આવતા જ સામાન્ય જનતામાં પ્રશ્ન ઉદ્ભવે છે કે વેકસીન લીધા પછી પણ કોરોના સંક્રમણ થવાનું કારણ શું? તેનો જવાબ આપે છે, કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલના ડીન ડોક્ટરહેમંત દેશમુખ.


   ઓલ ઇન્ડિયા રેડિયો સાથે થયેલી મુલાકાત દરમિયાન ડોક્ટર દેશમુખ  જણાવે છે કે, વેકસીન લીધા ની અસર તેના બીજા ડોઝ ના 15 દિવસ પછી જ શરૂ થાય છે. માટે વેક્સિન નો પ્રથમ ડોઝ લીધા પછી પણ સાવચેતી રૂપે કોરોના નિવારણ અંગે નિયમો પાળવા ખૂબ જ જરૂરી છે.જોકે વેકસીન લીધા પછી કોરોના થાય તો તે શરીરમાં ગંભીર અસર કરતો નથી. કારણ રસી શરીરની અંદરના વાયરસ સામે લડવાની એન્ટિબોડીઝ ઝડપથી રચવાનું શરૂ કરે છે.
   ડોક્ટર દેશમુખ દ્રઢ પણે કહે છે કે, વેકસીન લીધા પછી પણ માસ્ક પહેરવું, વારે ઘડીએ હાથ ધોવા, તેમ જ સોશ્યલ ડિસ્ટન્સ જેવા નિયમોનુ પાલન કરવું અગત્યનું છે.

Join Our WhatsApp Community
LPG Gas Price: ભારતના ૨ ગેસ ટેન્કરો હોર્મુઝની સામુદ્રધુની પાર કરવા સજ્જ; શું હવે ગેસ સિલિન્ડરના ભાવ ઘટશે? જાણો લેટેસ્ટ અપડેટ
PM Modi Middle East Diplomacy: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની વચ્ચે પીએમ મોદીની ‘મિડિલ ઈસ્ટ ડિપ્લોમેસી’: ૫ દેશોના દિગ્ગજ નેતાઓ સાથે શું થઈ વાત?
Weather Alert: હવામાનનું મહાઅલર્ટ: દેશના ૧૯ રાજ્યોમાં વાવાઝોડાનું ‘રૌદ્ર સ્વરૂપ’ મચાવશે તબાહી, કવખતના વરસાદથી ખેતીના પાક પર સંકટ
LPG Crisis in India: હોર્મુઝમાં ફસાયેલી ભારતની ‘લાઇફલાઇન’! ૨૨ જહાજો અટકાતા ગેસ સપ્લાય ખોરવાયો; જાણો દેશમાં કેટલા દિવસનો સ્ટોક બાકી
Exit mobile version