Site icon News Continuous Bureau | Mumbai

કોરોના ની રસી લીધા પછી પણ લોકોને થાય છે કોરોના .કારણ જાણો અહીં…..

  સમગ્ર વિશ્વમાં કોરોના નો વ્યાપ વધી રહ્યો છે. પરંતુ સામે રાહત એ પણ છે કે કોરોના નિવારણ માટેની રસી માર્કેટમાં આવી અને જનતા સુધી પહોંચી પણ રહી છે .પરંતુ આ રસીના એક ડોઝ લીધા પછી પણ થવાના કેસો ધીરે ધીરે બહાર આવી રહ્યા છે.મુંબઈના ગુજરાતી થિયેટર જગતના મહારથી પરેશ રાવલને વેક્સિન નો પ્રથમ ડોઝ લીધા બાદ પણ કોરોના થયો છે. એવા સમાચાર આવતા જ સામાન્ય જનતામાં પ્રશ્ન ઉદ્ભવે છે કે વેકસીન લીધા પછી પણ કોરોના સંક્રમણ થવાનું કારણ શું? તેનો જવાબ આપે છે, કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલના ડીન ડોક્ટરહેમંત દેશમુખ.


   ઓલ ઇન્ડિયા રેડિયો સાથે થયેલી મુલાકાત દરમિયાન ડોક્ટર દેશમુખ  જણાવે છે કે, વેકસીન લીધા ની અસર તેના બીજા ડોઝ ના 15 દિવસ પછી જ શરૂ થાય છે. માટે વેક્સિન નો પ્રથમ ડોઝ લીધા પછી પણ સાવચેતી રૂપે કોરોના નિવારણ અંગે નિયમો પાળવા ખૂબ જ જરૂરી છે.જોકે વેકસીન લીધા પછી કોરોના થાય તો તે શરીરમાં ગંભીર અસર કરતો નથી. કારણ રસી શરીરની અંદરના વાયરસ સામે લડવાની એન્ટિબોડીઝ ઝડપથી રચવાનું શરૂ કરે છે.
   ડોક્ટર દેશમુખ દ્રઢ પણે કહે છે કે, વેકસીન લીધા પછી પણ માસ્ક પહેરવું, વારે ઘડીએ હાથ ધોવા, તેમ જ સોશ્યલ ડિસ્ટન્સ જેવા નિયમોનુ પાલન કરવું અગત્યનું છે.

Join Our WhatsApp Channel
Congress Vande Mataram controversy સ્વતંત્રતા દિવસ (Independence Day) ના અવસરે ‘વંદે માતરમ’ના અપમાનનો મામલો ભાજપના નેતા સુધાશુ ત્રિવેદીએ કોંગ્રેસ પાસે માંગી માફી
PM Modi Fumble during speech શું ખરેખર સ્વતંત્રતા દિવસના ભાષણમાં થઈ વાણીની ક્ષતિ? સોશિયલ મીડિયા પર ચર્ચા
Sonia Gandhi Vande Mataram શું સોનિયા ગાંધીએ કોંગ્રેસ ભવનમાં પૂરું ‘વંદે માતરમ્’ ગાવાની ના પાડી? જાણો સમગ્ર વિવાદની અંદરની વિગતો
PM Modi 80th Independence Day Speech ૮૦મા સ્વતંત્રતા પર્વે લાલ કિલ્લા પરથી પીએમ મોદીનું સંબોધન પેટ્રોલગેસ અને રેલવે વિકાસના ગણાવ્યા કામો, વિપક્ષ પર આકરા પ્રહારો
Exit mobile version