Site icon News Continuous Bureau | Mumbai

કોરોના ની રસી લીધા પછી પણ લોકોને થાય છે કોરોના .કારણ જાણો અહીં…..

  સમગ્ર વિશ્વમાં કોરોના નો વ્યાપ વધી રહ્યો છે. પરંતુ સામે રાહત એ પણ છે કે કોરોના નિવારણ માટેની રસી માર્કેટમાં આવી અને જનતા સુધી પહોંચી પણ રહી છે .પરંતુ આ રસીના એક ડોઝ લીધા પછી પણ થવાના કેસો ધીરે ધીરે બહાર આવી રહ્યા છે.મુંબઈના ગુજરાતી થિયેટર જગતના મહારથી પરેશ રાવલને વેક્સિન નો પ્રથમ ડોઝ લીધા બાદ પણ કોરોના થયો છે. એવા સમાચાર આવતા જ સામાન્ય જનતામાં પ્રશ્ન ઉદ્ભવે છે કે વેકસીન લીધા પછી પણ કોરોના સંક્રમણ થવાનું કારણ શું? તેનો જવાબ આપે છે, કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલના ડીન ડોક્ટરહેમંત દેશમુખ.


   ઓલ ઇન્ડિયા રેડિયો સાથે થયેલી મુલાકાત દરમિયાન ડોક્ટર દેશમુખ  જણાવે છે કે, વેકસીન લીધા ની અસર તેના બીજા ડોઝ ના 15 દિવસ પછી જ શરૂ થાય છે. માટે વેક્સિન નો પ્રથમ ડોઝ લીધા પછી પણ સાવચેતી રૂપે કોરોના નિવારણ અંગે નિયમો પાળવા ખૂબ જ જરૂરી છે.જોકે વેકસીન લીધા પછી કોરોના થાય તો તે શરીરમાં ગંભીર અસર કરતો નથી. કારણ રસી શરીરની અંદરના વાયરસ સામે લડવાની એન્ટિબોડીઝ ઝડપથી રચવાનું શરૂ કરે છે.
   ડોક્ટર દેશમુખ દ્રઢ પણે કહે છે કે, વેકસીન લીધા પછી પણ માસ્ક પહેરવું, વારે ઘડીએ હાથ ધોવા, તેમ જ સોશ્યલ ડિસ્ટન્સ જેવા નિયમોનુ પાલન કરવું અગત્યનું છે.

Join Our WhatsApp Channel
Bijnor Watermelon Poisoning। તરબૂચ ખાતા પહેલા ૧૦૦ વાર વિચારજો! મુંબઈ જેવી જ ઘટના બિજનૌરમાં બની, ફળ ખાધા બાદ પુત્રીનું કરૂણ મોત
Shahzad Bhatti Module Busted| મંદિરો અને પ્રખ્યાત ઢાબા હતા આતંકીઓના નિશાને! દિલ્હી પોલીસે ISI ના મોડ્યુલના ૯ સાગરીતોને દબોચ્યા, મોટા હુમલાનું પ્લાનિંગ નિષ્ફળ
Suvendu Adhikari PA Murder। પ્રોફેશનલ શૂટર્સ, ૩ દિવસની રેકી અને પછી હત્યા! સુવેન્દુ અધિકારીના અંગત મદદનીશના મોતમાં SITનો ચોંકાવનારો ઘટસ્ફોટ
Hamirpur Boat Accident। હમીરપુરમાં કાળજું કંપાવતી ઘટના લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ, યમુનામાં હોડી પલટતા ૨ ના મોત, ૪ બાળકો હજુ પણ લાપતા!
Exit mobile version