Site icon News Continuous Bureau | Mumbai

Cashless Treatment: સરકારનું મોટું એલાન.. રોડ અકસ્માતમાં પીડિતોને ફ્રીમાં મળશે સારવારની સુવિધા… 4 મહિનામાં આખા દેશમાં લાગૂ થશે આ યોજના..

Cashless Treatment: રોડ અકસ્માતમાં મોટાભાગના મૃત્યુ સારવારમાં વિલંબને કારણે જ થાય છે. આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને સરકાર ટૂંક સમયમાં રોડ અકસ્માતના કેસોમાં મફત સારવારની વ્યવસ્થા કરવા જઈ રહી છે…

Cashless Treatment Government's big announcement.. Road accident victims will get a free treatment facility...

Cashless Treatment Government's big announcement.. Road accident victims will get a free treatment facility...

News Continuous Bureau | Mumbai

Cashless Treatment: રોડ અકસ્માત ( Road Accident ) માં મોટાભાગના મૃત્યુ ( death ) સારવારમાં વિલંબને કારણે જ થાય છે. આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને સરકાર ટૂંક સમયમાં રોડ અકસ્માતના કેસોમાં મફત સારવાર ( Free Treatment ) ની વ્યવસ્થા કરવા જઈ રહી છે. જેથી ઘાયલોને ( victims ) વહેલી તકે મફત સારવાર મળી શકે અને તેમનો જીવ બચાવી શકાય. આ માટે મોટર વ્હીકલ એક્ટ ( Motor Vehicle Act ) માં પહેલાથી જ ફેરફાર કરવામાં આવ્યા હતા. માહિતી અનુસાર, ગયા વર્ષે 4.46 લાખ રોડ અકસ્માતો થયા હતા જેમાં 4.23 લાખ લોકો ઘાયલ થયા હતા અને 1.71 લાખ લોકોના મોત થયા હતા.

Join Our WhatsApp Channel

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય ( Road Transport and Highways Ministry ) આ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે. આ સુવિધા આગામી 4 મહિનામાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. મંત્રાલયના સચિવ અનુરાગ જૈને ( Anurag Jain ) એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, માર્ગ અકસ્માતને કારણે સૌથી વધુ મૃત્યુ ભારતમાં થાય છે. મોટર વ્હીકલ એક્ટમાં ફ્રી અને કેશલેસ મેડિકલ ટ્રીટમેન્ટનો ( Free and cashless medical treatment ) નિયમ સામેલ છે. કેટલાક રાજ્યોમાં આ નિયમનું પાલન કરવામાં આવી રહ્યું છે. પરંતુ હવે તેને સમગ્ર દેશમાં લાગુ કરવાનો સમય આવી ગયો છે. તેથી, અમે આરોગ્ય અને પરિવાર મંત્રાલયને સમગ્ર દેશમાં કેશલેસ સારવાર સિસ્ટમ લાગુ કરવા અપીલ કરી છે.

અકસ્માત પછીના પ્રથમ થોડા કલાકો ગોલ્ડન અવર કહેવાય છે….

મોટર વ્હીકલ એક્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રોડ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર આપવી જોઈએ. જો અકસ્માતના શરૂઆતના થોડા કલાકોમાં સારવાર મળી જાય તો અમે ઘણા લોકોના જીવ બચાવવામાં સફળ થઈશું. અકસ્માત પછીના પ્રથમ થોડા કલાકો ગોલ્ડન અવર કહેવાય છે. જો તે સમયે ઈજાગ્રસ્ત વ્યક્તિને ડોક્ટર પાસે લઈ જવામાં આવે તો તેને તાત્કાલિક સારવાર મળે અને બચવાની શક્યતા વધી જાય.

આ સમાચાર પણ વાંચો : IND vs SA: વર્લ્ડકપમાં ધૂમ મચાવનાર આ ભારતીય ખેલાડી પર સાઉથ આફ્રિકા પ્રવાસને લઈને લટકી તલવાર….જાણો શું છે કારણ..

રોડ સેફ્ટી અંગે જાગૃતિ વધારવા માટે સરકાર આ કોર્સ શાળાઓ અને કોલેજોમાં લાગુ કરવા જઈ રહી છે. આ ઉપરાંત, ભારત એનસીએપી પણ લાગુ કરવામાં આવી રહી છે. જેમાં સીટ બેલ્ટ રીમાઇન્ડર અને વાહનોમાં ટેક્નિકલ ફેરફારનો સમાવેશ થાય છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો ( NCRB ) અનુસાર, વર્ષ 2022માં 4,46,768 માર્ગ અકસ્માતો થયા હતા. તેમાંથી 4,23,158 લોકો ઘાયલ થયા અને 1,71,100 લોકોના મોત થયા. કુલ માર્ગ અકસ્માતોમાંથી 45.5 ટકા દ્વિચક્રી વાહનોને કારણે થયા છે. આ પછી, કાર દ્વારા થતા માર્ગ અકસ્માતોનો હિસ્સો 14.1 ટકા હતો. જેમાં મોટા ભાગના અકસ્માતો ઓવર સ્પીડને કારણે થયા હતા અને 1 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. અહેવાલ મુજબ, માર્ગ અકસ્માતો ગામડાઓમાં વધુ થયા છે.

India Defence Sector Self Reliance લેબથી બેટલફીલ્ડ સુધી… કેવી રીતે આત્મનિર્ભર બની રહ્યું છે ભારતનું ડિફેન્સ સેક્ટર? દેશી હથિયારોનો વાગ્યો ડંકો
Acharya Balkrishna CBI Court Relief વર્ષો જૂના વિવાદનો અંત પતંજલિના આચાર્ય બાલકૃષ્ણ પાસપોર્ટ કેસમાં દોષમુક્ત, વિશેષ સીબીઆઈ અદાલતનો મોટો ફેંસલો
Supreme Court On Doctor Assault નેતાઓની ગુંડાગીરી સહન નહીં થાય! મહારાષ્ટ્રની ઘટના પર સુપ્રીમ કોર્ટની પોલીસને કડક સૂચના—તત્કાળ જેલમાં પૂરો
Sonam Wangchuk Ladakh Ultimatum સોનમ વાંગચુકે કેન્દ્ર સરકારને આપ્યું એક વર્ષનું અલ્ટીમેટમ ‘જો માંગણીઓ નહીં સંતોષાય તો…’ લદ્દાખમાં ઉગ્ર આંદોલનની આપી ચેતવણી
Exit mobile version