Site icon

મધ્ય રેલવેને લીંબુ અને કેપ્સિકમથી ધનલાભ; આ વર્ષે એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન આટલા કરોડની પાર્સલ આવક: જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 10 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

છેલ્લાં કેટલાંક વર્ષોથી રેલવેમાં માલ પરિવહન પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. મધ્ય રેલવેની 'કિસાન રેલ' મહારાષ્ટ્રમાંથી ફળો, શાકભાજી અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ સહિત માલસામાનનું પરિવહન કરીને કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. મળેલી માહિતી પ્રમાણે સેન્ટ્રલ રેલવેએ દાડમ, સીતાફળ, કેપ્સીકમ અને લીંબુનું પરિવહન કરીને કરોડો રૂપિયાની કમાણી કરી છે. એપ્રિલથી ઓક્ટોબર-2021 દરમિયાન 4.01 લાખ ટન કાર્ગોનું પરિવહન કરવામાં આવ્યું છે.

સેન્ટ્રલ રેલવે સતત પાર્સલ આવકમાં બધા ઝોનલ રેલવેમાં પ્રથમ નંબરે છે. એપ્રિલથી ઓક્ટોબર 2021માં મુંબઈ ડિવિઝને રૂ. 65.86 કરોડની કમાણી કરી છે. ત્યાર પછી ભુસાવળ ડિવિઝનનો નંબર આવે છે. જેણે રૂ. 53.30 કરોડની આવક કરી છે. સોલાપુર ડિવિઝને રૂ. 29.68 કરોડની આવક કરી છે.

૧૨૦૦ બેનામી ખાતા અને કરોડો રૂપિયાના ગોટાળા. કિરીટ સોમૈયાએ સહકાર મંત્રાલયને જોરદાર રિપોર્ટ સોંપી.

ઑક્ટોબર-2021માં મધ્ય રેલવેની પાર્સલ આવક રૂ. 30.46 કરોડ છે અને એપ્રિલ-ઓક્ટોબર 2021 દરમિયાન પાર્સલની આવક રૂ. 174.40 કરોડ છે, જે ગત વર્ષના સમાન સમયગાળાની રૂ. 54.57 કરોડની આવક કરતાં 220 ટકા વધુ છે.

પાર્સલ પરિવહનમાં વધારો મુખ્યત્વે કિસાન રેલના સફળ સંચાલનને કારણે છે. 

Al-Falah University: EDની કાર્યવાહીથી યુનિવર્સિટી જગતમાં ખળભળાટ! અલ-ફલાહ યુનિવર્સિટીના ફંડિંગની થશે ઝીણવટભરી તપાસ.
Doctor Arif Custody: દિલ્હી બ્લાસ્ટના આરોપી ડૉ. શાહીનનો સાથીદાર ડૉ. આરિફ કાનપુરમાંથી ઝડપાયો, તપાસમાં નવો વળાંક
Amit Shah: ગૃહ મંત્રાલય સક્રિય: દિલ્હી બ્લાસ્ટ કેસમાં અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, આતંકવાદીઓ સામે ‘ઝીરો ટોલરન્સ’નો આદેશ.
Dr. Shaheen Shahid: દિલ્હી બ્લાસ્ટ: લખનૌમાં ડૉ. શાહીનને મળનારા બધા અયોધ્યા ગયા હતા! ક્યાં રોકાયા, કોને મળ્યા? – NIAની હાઈપ્રોફાઇલ તપાસ
Exit mobile version