Site icon

કેન્દ્ર સરકારના કર્મચારીઓને હવે લીલાલહેર; સરકારે મોંઘવારી ભથ્થામાં આટલો ધરખમ વધારો કર્યો, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૪ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુશખબર છે. મોદી સરકારે મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કર્યો છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને હાલમાં 17 ટકા મોંઘવારી ભથ્થું મળે છે, જે વધારીને 28 ટકા કરી દેવામાં આવ્યું છે. એટલે કે સરકારે ડીયરનેસ અલાઉન્સ (DA)માં ૧૧ ટકાનો જબરદસ્ત વધારો કર્યો છે.

બુધવારે કેન્દ્રીય પ્રધાનમંડળની એક બેઠક વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળી હતી. બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો થતાં કર્મચારીઓને વધુ પગાર મળશે. જોકેબીજી તરફ સરકારી તિજોરી પર ભાર વધશે.

વડા પ્રધાન મોદીએ ટોકિયો ઑલિમ્પિક્માં ભાગ લેનારા આ ગુજરાતી ખેલાડી સાથે માતૃભાષામાં કરી વાતચીત; પૂછ્યું કેમ છે? હવે ગુજરાતી બોલે છે?

દરમિયાન, કોરોના મહામારીને કારણે ગત વર્ષે 1 જાન્યુઆરી, 2020થી મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો નથી. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓનું ત્રણ સપ્તાહનું મોંઘવારી ભથ્થું બાકી છે. આવતા સપ્તાહમાં કોરોના મહામારીને કારણે સરકારે મોંઘવારી ભથ્થાના વધારાને સ્થગિત કરી દીધો છે અને સપ્ટેમ્બરથી કર્મચારીઓના પગારમાં આ વધારો મળશે.

March 1 Rule Changes 2026: ટ્રેન ટિકિટથી લઈને WhatsApp અને UPI સુધી; તમારા ખિસ્સા પર પડશે સીધી અસર.
Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
Exit mobile version