Site icon

કેન્દ્ર સરકારના કર્મચારીઓને હવે લીલાલહેર; સરકારે મોંઘવારી ભથ્થામાં આટલો ધરખમ વધારો કર્યો, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૪ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુશખબર છે. મોદી સરકારે મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કર્યો છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને હાલમાં 17 ટકા મોંઘવારી ભથ્થું મળે છે, જે વધારીને 28 ટકા કરી દેવામાં આવ્યું છે. એટલે કે સરકારે ડીયરનેસ અલાઉન્સ (DA)માં ૧૧ ટકાનો જબરદસ્ત વધારો કર્યો છે.

બુધવારે કેન્દ્રીય પ્રધાનમંડળની એક બેઠક વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળી હતી. બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો થતાં કર્મચારીઓને વધુ પગાર મળશે. જોકેબીજી તરફ સરકારી તિજોરી પર ભાર વધશે.

વડા પ્રધાન મોદીએ ટોકિયો ઑલિમ્પિક્માં ભાગ લેનારા આ ગુજરાતી ખેલાડી સાથે માતૃભાષામાં કરી વાતચીત; પૂછ્યું કેમ છે? હવે ગુજરાતી બોલે છે?

દરમિયાન, કોરોના મહામારીને કારણે ગત વર્ષે 1 જાન્યુઆરી, 2020થી મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો નથી. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓનું ત્રણ સપ્તાહનું મોંઘવારી ભથ્થું બાકી છે. આવતા સપ્તાહમાં કોરોના મહામારીને કારણે સરકારે મોંઘવારી ભથ્થાના વધારાને સ્થગિત કરી દીધો છે અને સપ્ટેમ્બરથી કર્મચારીઓના પગારમાં આ વધારો મળશે.

Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Fog Hits Delhi-NCR:દિલ્હી-NCRમાં ધુમ્મસનો કહેર: વિઝિબિલિટી ઝીરો થતા 22 ટ્રેનોના પૈડાં થંભ્યા, ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરો અટવાયા
Exit mobile version