Site icon News Continuous Bureau | Mumbai

ગૃહમંત્રાલય જાહેર કરી એડવાઇઝરી. તહેવારો પર રાજ્યોને આપી સુચના.

 દેશભરમાં કોરોના ની બીજી લહેરે કાળો કેર વર્તાવ્યો છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે કોરોના વધુ ઘાતક પુરવાર થઇ રહ્યો છે. માટે જ હવે દેશભરમાં શરૂ થતા તહેવારો માટે કેન્દ્ર સરકારે નવી ગાઇડલાઇન બહાર પાડી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોના મુખ્ય સચિવને પત્ર દ્વારા જાગૃત રહેવાનું સૂચન કર્યું છે.


    આ guideline હેઠળ બધા રાજ્યોએ ,હોળી,શબ -એ -બારાત,બૈશાખી તેમજ ઈદ-ઉલ-ફિત્ર જેવા તહેવારોને  ધ્યાનમાં રાખી ભીડ સામે કડક કાર્યવાહી કરવાની સુચના આપી છે.તેમજ સ્થાનિક લોકોએ કોરોનાની માર્ગદર્શિકાનું યોગ્ય રીતે પાલન કરવું ફરજિયાત છે. દરેક રાજ્યોને  કોરોનાની તપાસની પ્રક્રિયા ઝડપી બનાવવાનું પણ જણાવાયુ છે. તદુપરાંત કોરોના સંક્રમિતો ને અલગ કરી તુરંત સારવાર આપવી.
    કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દરેક જિલ્લા અધિકારીઓને જાહેર સ્થળો, કચેરીઓ, બજારો અને ગીચ  વિસ્તારોમાં નિયમોનું કડક પાલન કરવાનો આદેશ  આપ્યો છે, અને જો એ નિયમોનું પાલન ન થાય તો lockdown કરવાનો નિર્દેશ કર્યો છે.
     જો કે કેન્દ્ર સરકારની આ ગાઈડલાઈન અનુસરણ રાજ્ય સરકારે કરવાનું રહેશે.એ guideline નું પાલન કરવું એ દરેક રાજ્યની જવાબદારી છે.જો કે મહારાષ્ટ્રમાં આ guideline નું પાલન વ્યવસ્થિત રીતે થતું જોવાય છે મહારાષ્ટ્ર સરકારે નાઈટ કર્ફ્યું લગાવી દીધો, અને lockdown ની ચર્ચા પણ ચાલી રહી છે. તેમજ હોળીનો તહેવાર ઉજવવા માટે પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

Join Our WhatsApp Channel
CJP Ends Agitation Following Pradhan’s Resignation સરકાર સાથેની મંત્રણા સફળ, કોકરોચ જનતા પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન સત્તાવાર રીતે સમેટાયું..
CJP Protest Ends સરકાર સાથે વાતચીત સફળ, તમામ માંગણીઓ મંજૂર, સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આંદોલન સમેટવાની કરી જાહેરાત
Dharmendra Pradhan’s Resignation As BJP’s Biggest Defeat ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ભાજપ માટે સૌથી મોટી રાજકીય હાર કેમ? વાંચો ઊંડાણપૂર્વક વિશ્લેષણ
Rahul Gandhi Reacts To Dharmendra Pradhan’s Resignation ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું ‘આ સરકારને હટાવવાનો સમય…’
Exit mobile version