Site icon News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે થયેલા વિક્રમી રસીકરણ બાદ દેશમાં ઑક્ટોબરમાં ફરીથી રસીકરણનો ઐતિહાસિક આંકડો પાર થશે, શું છે સરકારની યોજના; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
ભારતભરમાં ૧૭મી સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે બે કરોડથી વધુ લોકોના રસીકરણનો જંગી રેકૉર્ડ નોંધાયો હતો. હવે કેન્દ્ર સરકારે ફરીથી આવો જ એક ઐતિહાસિક રેકૉર્ડ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. ઑક્ટોબરના મધ્ય સુધીમાં ૧૦૦ કરોડ લોકોના રસીકરણનો મોટો ટાર્ગેટ છે. 

સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ ૧૦૦ કરોડ રસીકરણનો ટાર્ગેટ ૫થી ૧૦ ઑક્ટોબર સુધીમાં પૂરો થાય તે રીતે કેન્દ્ર સરકાર તૈયારીઓ કરી રહી છે. આ લક્ષ્ય એક વાર પાર થાય પછી આખા દેશમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોના યોદ્ધાઓ, ફ્રન્ટ લાઇન વર્કર્સ અને સ્વાસ્થ્ય કર્મીઓને બિરદાવવા માટે સમારોહ આયોજિત કરવામાં આવશે. જેમણે કોરોનામાં પોતાના પ્રાણ ગુમાવ્યા છે, તેમને શ્રદ્ધાંજલિ અપાશે. 

Join Our WhatsApp Community

મહાવિકાસ આઘાડીના આ પ્રધાનના કૌભાંડ બાદ હવે તેમના જમાઈનું પણ 100 કરોડ રૂપિયાનું સાકર કારખાનાનું કૌભાંડ ભાજપના આ નેતા લાવશે બહાર; જાણો વિગત  

સૂત્રો દ્વારા એવું પણ કહેવાઈ રહ્યું છે કે આ સમારોહની અપેક્ષિત તારીખ ૭ ઑક્ટોબર હોઈ શકે છે, કારણ કે આ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૦૧માં પહેલી વાર ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા.

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version