Site icon News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે થયેલા વિક્રમી રસીકરણ બાદ દેશમાં ઑક્ટોબરમાં ફરીથી રસીકરણનો ઐતિહાસિક આંકડો પાર થશે, શું છે સરકારની યોજના; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
ભારતભરમાં ૧૭મી સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે બે કરોડથી વધુ લોકોના રસીકરણનો જંગી રેકૉર્ડ નોંધાયો હતો. હવે કેન્દ્ર સરકારે ફરીથી આવો જ એક ઐતિહાસિક રેકૉર્ડ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. ઑક્ટોબરના મધ્ય સુધીમાં ૧૦૦ કરોડ લોકોના રસીકરણનો મોટો ટાર્ગેટ છે. 

સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ ૧૦૦ કરોડ રસીકરણનો ટાર્ગેટ ૫થી ૧૦ ઑક્ટોબર સુધીમાં પૂરો થાય તે રીતે કેન્દ્ર સરકાર તૈયારીઓ કરી રહી છે. આ લક્ષ્ય એક વાર પાર થાય પછી આખા દેશમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોના યોદ્ધાઓ, ફ્રન્ટ લાઇન વર્કર્સ અને સ્વાસ્થ્ય કર્મીઓને બિરદાવવા માટે સમારોહ આયોજિત કરવામાં આવશે. જેમણે કોરોનામાં પોતાના પ્રાણ ગુમાવ્યા છે, તેમને શ્રદ્ધાંજલિ અપાશે. 

Join Our WhatsApp Channel

મહાવિકાસ આઘાડીના આ પ્રધાનના કૌભાંડ બાદ હવે તેમના જમાઈનું પણ 100 કરોડ રૂપિયાનું સાકર કારખાનાનું કૌભાંડ ભાજપના આ નેતા લાવશે બહાર; જાણો વિગત  

સૂત્રો દ્વારા એવું પણ કહેવાઈ રહ્યું છે કે આ સમારોહની અપેક્ષિત તારીખ ૭ ઑક્ટોબર હોઈ શકે છે, કારણ કે આ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૦૧માં પહેલી વાર ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા.

Yudh Abhyas 2026 ભારતઅમેરિકા વચ્ચે યોજાશે ‘યુદ્ધ અભ્યાસ 2026’, LAC અને પાકિસ્તાન બોર્ડર પર થશે સંયુક્ત સૈન્ય ક્વાયત
Poonch Blast Incident પૂંચમાં LoC નજીક અકસ્માતે થયો વિસ્ફોટ ભારતીય સેનાના બે જવાનો ઈજાગ્રસ્ત; તપાસ શરૂ…
Road Accidents in India દેશમાં રોડ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો, 2024માં 1.77 લાખ લોકોએ જીવ ગુમાવ્યા
Stone Pelting Incident મોહન ભાગવતની મુસાફરી દરમિયાન ટ્રેન પર પથ્થરમારો, કોચને નુકસાન; સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ.
Exit mobile version