Site icon News Continuous Bureau | Mumbai

Nehru Memorial Renamed: મોદી સરકારે નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલ્યું, હવેથી આ નવા નામથી ઓળખાશે..

Nehru Memorial Renamed: આ વર્ષે જૂનમાં નેહરુ મેમોરિયલનું નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. હવે સ્વતંત્રતા દિવસ નિમિત્તે તેનો અમલ કરવામાં આવ્યો છે.

Centre renames Nehru Memorial as Prime Ministers' Museum and Library

Centre renames Nehru Memorial as Prime Ministers' Museum and Library

News Continuous Bureau | Mumbai 

Nehru Memorial Renamed: નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરીનું નામ હવે સત્તાવાર રીતે બદલીને પીએમ મ્યુઝિયમ અને લાઈબ્રેરી કરવામાં આવ્યું છે. સ્વતંત્રતા દિવસના અવસર પર નામ બદલવાની મંજૂરી આપવામાં આવી હતી.

Join Our WhatsApp Community

પીએમ મ્યુઝિયમ અને લાઇબ્રેરીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના વાઇસ ચેરમેન એ. સૂર્ય પ્રકાશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, સોસાયટીના લોકશાહીકરણ અને વૈવિધ્યકરણને અનુરૂપ, નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી (NMML) હવે 14 ઓગસ્ટ 2023થી વડાપ્રધાનનું સંગ્રહાલય અને પુસ્તકાલય (PMML) સોસાયટી છે. સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ!

નામ બદલવાનો નિર્ણય જૂનમાં લેવાયો

નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ(Nehru Memorial Renamed)નું નામ બદલવાનો નિર્ણય જૂન 2023માં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી વિશેષ બેઠકમાં લેવામાં આવ્યો હતો. મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં એ. સૂર્ય પ્રકાશે જણાવ્યું હતું કે નામ બદલવાની પ્રક્રિયા જૂનમાં શરૂ થઈ હતી અને તે માત્ર સંયોગ છે કે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ કામ પૂર્ણ થયું હતું.

આ સમાચાર પણ વાંચો : Vande Bharat Express: હવે ગરીબો પણ વંદે ભારત જેવી ટ્રેનની મજા માણી શકશે, નવી વંદે સામાન્ય ટ્રેન આવી રહી છે…રેલવે મંત્રીનું નિવેદન… જાણો સંપુર્ણ માહિતી અહીં…

નામ બદલવાનો નિર્ણય કેમ લેવાયો?

નવી દિલ્હી સ્થાન તીન મૂર્તિ ભવન એ ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનું સત્તાવાર નિવાસસ્થાન હતું. બાદમાં આ સંકુલને મ્યુઝિયમમાં ફેરવવામાં આવ્યું અને નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાયબ્રેરીની સ્થાપના કરવામાં આવી. 2016 માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિચાર રજૂ કર્યો હતો કે તીન મૂર્તિ સંકુલની અંદર ભારતના તમામ વડા પ્રધાનોને સમર્પિત એક સંગ્રહાલય હોવું જોઈએ, જેને નહેરુ મેમોરિયલની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

વર્ષ 2022 માં, વડાપ્રધાનોને સમર્પિત આ મ્યુઝિયમ પૂર્ણ થયું, ત્યારબાદ એપ્રિલ 2022 માં તેને લોકો માટે ખોલવામાં આવ્યું. તમામ વડા પ્રધાનોનું મ્યુઝિયમ હોવાને કારણે, કાર્યકારી પરિષદને લાગ્યું કે નામ તેના વર્તમાન સ્વરૂપને પ્રતિબિંબિત કરવું જોઈએ. આ કારણોસર નામ બદલવાનો નિર્ણય ગત જૂનની બેઠકમાં લેવાયો હતો. પીએમ મોદીના મુખ્ય સચિવ રહી ચૂકેલા નૃપેન્દ્ર મિશ્રા પીએમ મ્યુઝિયમની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના પ્રમુખ છે.

નામ બદલવાને લઈને છેડાઈ ગઈ રાજકીય લડાઈ

જૂનમાં જ્યારે નેહરુ મેમોરિયલનું નામ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે કોંગ્રેસે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે જેનો કોઈ ઈતિહાસ નથી, તેઓ બીજાના ઈતિહાસને ભૂંસી નાખવા માંગે છે. નામ બદલવાના કુત્સિત પ્રયાસથી આધુનિક ભારતના શિલ્પકાર અને લોકતંત્રના નિર્ભીક પ્રહરી પંડિત જવાહરલાલ નહેરુજીની પર્સનાલિટીને ઘટાડી ન શકાય.

 

Pawan Khera: કોંગ્રેસ નેતા પવન ખેડાને રાહત કે આફત? સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટનો નિર્ણય પલટાવ્યો, નોટિસ પાઠવી માંગ્યો ખુલાસો
ED Raid :આમ આદમી પાર્ટીને મોટો ફટકો: સાંસદ અશોક મિત્તલ અને તેમના પુત્રના ઠેકાણે EDના દરોડા, કરોડોના વ્યવહારની તપાસ.
Jag Vikram: દરિયામાં ભારતની દાદાગીરી! હોર્મુઝની ખાડીમાંથી પસાર થયું ‘જગ વિક્રમ’, ડ્રેગન અને પાકિસ્તાનના તમામ પ્લાન થયા ફેલ
Tragic Accident in Punjab: પંજાબમાં કાળમુખો અકસ્માત: ફતેહગઢ સાહિબમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી, 6 ના મોતથી ચીસયારીઓ ગુંજી!
Exit mobile version