Site icon News Continuous Bureau | Mumbai

Chandrayaan 3: ઈસરો માટે મહત્વપૂર્ણ છે આજનો દિવસ, આજે લાંબી છલાંગ મારશે ચંદ્રયાન-3, ચંદ્રના ચોથા ઑર્બિટમાં કરશે એન્ટ્રી..

Chandrayaan 3: ઈસરોએ ફરી એકવાર ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા ઘટાડી છે. હવે ભ્રમણકક્ષા વધુ એક વખત ઘટાડવામાં આવશે અને ત્યારબાદ ચંદ્રયાન સોફ્ટ લેન્ડિંગ માટે તૈયાર થઈ જશે. હવે તે ચંદ્રથી માત્ર 150 કિમી દૂર છે.

Chandrayaan 3: Chandrayaan-3 undergoes orbit reduction manoeuvre, now closer to Moon

Chandrayaan 3: Chandrayaan-3 undergoes orbit reduction manoeuvre, now closer to Moon

News Continuous Bureau | Mumbai 

Chandrayaan 3: ચંદ્રથી ભારત(India)ના ચંદ્રયાન-3નું અંતર સતત ઘટી રહ્યું છે. એટલે કે હવે એ સમય નજીક આવી રહ્યો છે જ્યારે ચંદ્રયાન ચંદ્ર(Moon)ની સપાટીને સ્પર્શ કરશે. સોમવારે ફરી એકવાર ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે તે 174×1437 થી ઘટાડીને 150kmx177 km કરી દેવામાં આવ્યું છે. હવે ચંદ્રયાન ચંદ્રની ખૂબ નજીક ફરશે. આ પ્રક્રિયા 16 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે અને ત્યારબાદ ચંદ્રયાન(Chandrayaan) ચંદ્ર પર ઉતરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે.

Join Our WhatsApp Channel

ચોથી વખત કક્ષા ઘટાડવામાં આવી

ઈસરો(ISRO) એ ટ્વીટ કરીને ભ્રમણકક્ષા ઘટાડવાની માહિતી આપી છે. ISRO દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી ઓપરેશન 16 ઓગસ્ટના રોજ સવારે 8.30 વાગ્યે થશે. આ પહેલા 9 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષા ઘટાડવામાં આવી હતી. તેના પહેલા પણ 5 ઓગસ્ટના રોજ આ ભ્રમણકક્ષાને 164 x 18074 કિમી સુધી ઘટાડી દેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે 14 જુલાઈએ આ મિશન આંધ્ર પ્રદેશ(Andhra Pradesh) ના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારથી, મહત્વપૂર્ણ સીમાચિહ્નો પાર કરીને, તે ગંતવ્યની નજીક પહોંચી ગયું છે.

 

આ સમાચાર પણ વાંચો : 90 ના દાયકા માં પૂજા ભટ્ટે કરાવ્યું હતું બોલ્ડ ફોટોશૂટ, 10 રૂપિયા ની કિંમત વાળી મેગેઝીન 50 રૂપિયામાં વેચાઈ હતી

 

આવી રહી યાત્રા

શ્રીહરિકોટાથી પ્રક્ષેપિત થયા બાદ ચંદ્રયાન સૌ પ્રથમ પૃથ્વી(Earth)ની પરિક્રમા કરી રહ્યું હતું. આ પછી તેના કક્ષામાં વધારો થવા લાગ્યો. સૌથી પહેલા 15 જુલાઈએ તેની ભ્રમણકક્ષા વધારવામાં આવી હતી. આ પછી 18 અને 20 જુલાઈના રોજ કક્ષા વધારવામાં આવી હતી. આ જ પ્રક્રિયા 25 ઓગસ્ટના રોજ ફરીથી પુનરાવર્તિત થઈ અને પછી 31 જુલાઈ અને 1 ઓગસ્ટની મધ્યરાત્રિએ તે પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી ચંદ્ર તરફ કૂદકો માર્યો.

ભારત આ સફળતા હાંસલ કરનારા ચાર દેશોમાંથી એક બની જશે

પાંચ દિવસ પછી એટલે કે 5 ઓગસ્ટે તે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું. ઈસરોએ ટ્વીટ કરીને માહિતી આપી કે ચંદ્રયાન હવે ચંદ્રના ગુરુત્વાકર્ષણને અનુભવી રહ્યું છે. આ પછી 6 ઓગસ્ટના રોજ ચંદ્રયાને ચંદ્રની ખૂબ જ સુંદર તસવીરો મોકલી હતી. રશિયાએ ચંદ્રયાનની આસપાસ મિશન લુના-25 પણ લોન્ચ કર્યું છે. બંને દેશોના મિશન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવા જઈ રહ્યા છે. ભારતની સફળતા સાથે, ભારત ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગમાં સફળતા હાંસલ કરનારા ચાર દેશોમાંથી એક બની જશે. આ યાદીમાં અમેરિકા, રશિયા અને ચીનના નામ પહેલાથી જ છે.

 

 

Asaram। આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટી રાહત મેડિકલ ગ્રાઉન્ડ પર વચગાળાના જામીનનો સમયગાળો લંબાવ્યો
PM Narendra Modi। કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રધાનમંત્રી મોદીની વિશેષ પૂજા ડમરુ અને ત્રિશૂળ ભેટ આપી કરાયું અભિવાદન.
Ghaziabad। ગાઝિયાબાદની પોશ સોસાયટીમાં ભીષણ આગ 9માથી 13મા માળ સુધી ફેલાઈ આગની જ્વાળાઓ, મચી અફરાતફરી
Ganga Expressway। દેશનો સૌથી લાંબો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે ખુલ્લો ગંગા એક્સપ્રેસવે પર આજથી વાહનવ્યવહાર શરૂ
Exit mobile version