Site icon News Continuous Bureau | Mumbai

Chandrayaan 3 : ‘સ્વાગત છે’ ચંદ્ર પર ચંદ્રયાન-2એ ચાંદ પર ચંદ્રયાન-3નું આ રીતે કર્યું સ્વાગત.. લેન્ડિંગને લઈને ઈસરોએ આપી આ માહિતી..

Chandrayaan 3: ઈસરોએ ચંદ્રયાન-3ને લઈને નવીનતમ અપડેટ આપી છે. ઈસરોએ માહિતી આપી હતી કે ચંદ્રયાન-3 અને ચંદ્રયાન-2ના ઓર્બિટર વચ્ચે સંપર્ક થયો છે.

Chandrayaan 3 :Nasa Lro Observes Chandrayaan 3 Landing Site Share Vikram Lander Site Photo

Chandrayaan 3 : ચંદ્ર પર લેન્ડીંગના ચાર દિવસ ચંદ્રયાન સાથે બન્યું હતું આવું? નાસાએ જાહેર કરી અનસીન તસવીર.. જુઓ ફોટો

News Continuous Bureau | Mumbai 

Chandrayaan 3: ભારત(India) નું મિશન ચાંદ સતત તેના કદમ તરફ આગળ વધી રહ્યું છે. દરેક ક્ષણે અંતર ઘટી રહ્યું છે. હવે ઈસરો(ISRO) એ ચંદ્રયાન-3ને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. ઈસરોએ માહિતી આપી છે કે ચંદ્રયાન-3 અને ચંદ્રયાન-2 ઓર્બિટર વચ્ચેનો સંચાર સફળતાપૂર્વક સ્થાપિત થઈ ગયો છે. ચંદ્રયાન-2ના ઓર્બિટરે ચંદ્રયાન-3નું ચંદ્રની ભ્રમણકક્ષામાં સ્વાગત કર્યું છે અને બંને વચ્ચે સંપર્ક થયો છે. ISROના ચંદ્રયાન-3 મિશન(Mission Moon) ના સોફ્ટ લેન્ડિંગને હવે ગણતરીના કલાક બાકી છે, દરમિયાન માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર દુનિયાની નજર આ મિશન પર છે.

Join Our WhatsApp Channel

ભારતનું અવકાશયાન ચંદ્રયાન-3 ચંદ્રની સપાટીને ચુંબન કરવા માટે દરેક ક્ષણે નજીક આવી રહ્યું છે. ઈસરોના વૈજ્ઞાનિકોને સંપૂર્ણ ખાતરી છે કે ભલે ગમે તે થઈ જાય પરંતુ આ વખતે ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતરીને જ રહેશે.. સૌપ્રથમ ઈસરોના ચીફ એસ. સોમનાથ અને પછી ચંદ્રયાન-2 અને 3ના પ્રક્ષેપણ સમયે ઈસરોના સહયોગી એરોસ્પેસ સાયન્ટિસ્ટ પ્રોફેસર રાધાકાંત પાધીએ પણ દાવો કર્યો છે કે ચંદ્રયાન-2ની નિષ્ફળતા બાદ ઈસરોએ ઘણા સુધારા કર્યા છે અને ચંદ્રયાન-3ને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે સફળતાપૂર્વક લેન્ડ કરશે.

ચંદ્રયાન-2ના ઓર્બિટર સાથે સંપર્ક

ઈસરોએ સોમવાર, 21 ઓગસ્ટ, 2023ના રોજ માહિતી આપી હતી કે ચંદ્રયાન-2ના ઓર્બિટર સાથે ચંદ્ર તરફ આગળ વધી રહેલા યાન-3 દ્વારા સફળતાપૂર્વક સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે. બંને વચ્ચે દ્વિપક્ષીય સંપર્ક સ્થાપિત થયો છે. ચંદ્રયાન-2ના ઓર્બિટરે ચંદ્રની ભ્રમણકક્ષામાં યાન-3નું સ્વાગત કર્યું છે. તમને જણાવી દઈએ કે રવિવાર સવાર સુધી ચંદ્રની સપાટીથી ચંદ્રયાન-3નું અંતર માત્ર 25 કિલોમીટર હતું, જે હવે ઘણું ઘટી ગયું છે. ચંદ્રયાન-3 ચંદ્રની આસપાસ ચક્કર લગાવતા તેની નજીક આવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈગરાઓ સાચવજો! ચોમાસામાં થતા રોગોમાં વધારો.. રાજ્યમાં સૌથી વધુ મેલેરિયાના દર્દીઓ મુંબઈમાં.. જાણો આંકડા..

લેન્ડિંગ અપડેટ

ઈસરોએ 21 ઓગસ્ટે ચંદ્રયાન-3ના લેન્ડિંગ અંગે નવીનતમ અપડેટ પણ બહાર પાડી છે. તેમણે જણાવ્યું કે લેન્ડિંગનો સમય 23 ઓગસ્ટે સાંજે 6.04 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. આ સમયે, વાહનને ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડિંગ માટે પ્રયાસ કરવામાં આવશે. ઈસરોએ એ પણ માહિતી આપી હતી કે લેન્ડિંગ ઈવેન્ટનું લાઈવ ટેલિકાસ્ટ સ્થાનિક સમય મુજબ સાંજે 5.20 વાગ્યે શરૂ થશે.

ચંદ્રયાન-2 ક્રેશ 

ઉલ્લેખનીય છે કે વર્ષ 2019 માં ભારતે તેનું મિશન ચંદ્રયાન-2 લોન્ચ કર્યું હતું, તે છેલ્લા વળાંક સુધી બરાબર ચાલ્યું પરંતુ સોફ્ટ લેન્ડિંગમાં સમસ્યા થઈ હતી. ચંદ્રયાન-2 ક્રેશ થયું હતું, પરંતુ તેણે પોતાનું કામ કરી દીધું હતું. ચંદ્રયાન-2નું ઓર્બિટર છેલ્લા 4 વર્ષથી ચંદ્રની આસપાસ ફરે છે અને પોતાનું કામ કરી રહ્યું છે. હવે ચાર વર્ષ પછી જ્યારે વિક્રમ લેન્ડર ફરી ચંદ્રની નજીક પહોંચ્યું છે, ત્યારે ચંદ્રયાન-2નું ઓર્બિટર એક્ટિવ થઈ ગયું છે.

PM Modi Uzbekistan Kyrgyzstan Visit ૨૯ ઓગસ્ટથી ઉઝબેકિસ્તાનકિર્ગિઝસ્તાન પ્રવાસે PM મોદી, SCO સમિટમાં વૈશ્વિક નેતાઓ સાથે થશે મંથન
Delimitation 543 Seats Freeze સંસદમાં ફરી રાજકીય ગરમાવો ખડગેએ PM મોદીને પત્ર લખીને કરી લોકસભાની ૫૪૩ બેઠકો ૨૫ વર્ષ સુધી યથાવત રાખવાની માંગ
Nepal Floods MEA Update નેપાળ પૂર સંકટ પર MEA નું સત્તાવાર નિવેદન ૨૮૮ ભારતીયો સંપર્કવિહોણા, ૨૧ ને સુરક્ષિત બચાવાયા
National Law School Convocation Cancelled CJI અને BCI અધ્યક્ષના વિરોધનું પરિણામ? નેશનલ લો સ્કૂલે ૩૪મો દીક્ષાંત સમારોહ કેમ પડતો મૂક્યો?
Exit mobile version