Site icon News Continuous Bureau | Mumbai

Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ

Chardham Yatra 2026| ક્ષમતા મુજબ જ શ્રદ્ધાળુઓને ધામોમાં પ્રવેશ મળશે, રાત્રે ૧૦ થી સવારના ૪ વાગ્યા સુધી મુસાફરોની ગાડીઓ પર પ્રતિબંધ અને હેલી એમ્બ્યુલન્સની સુવિધા કરાશે.

Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ

Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Chardham Yatra 2026| વિશ્વપ્રસિદ્ધ કેદારનાથ ધામમાં છેલ્લા કેટલાક દિવસોથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટવાના કારણે અરાજકતા અને અવ્યવસ્થાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ વીડિયોમાં ભક્તો રડતાબિખરતા પોતાની આપવીતી જણાવી રહ્યા હતા અને લોકોને હાલમાં યાત્રા પર ન આવવા અપીલ કરી રહ્યા હતા. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી એ મોટો નિર્ણય લીધો છે. સરકાર હવે ચારધામ યાત્રાને સુવ્યવસ્થિત કરવા માટે એક વિસ્તૃત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અને નવા કડક નિયમો લાગુ કરવા જઈ રહી છે.

ધામોની ક્ષમતા અનુસાર જ શ્રદ્ધાળુઓ અને વાહનોને આગળ જવાની મળશે મંજૂરી

મુખ્યમંત્રી ધામીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં અધિકારીઓને ભીડ વ્યવસ્થાપન માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. નવા નિયમો મુજબ, હવે દરેક ધામની નિર્ધારિત ક્ષમતા અનુસાર જ યાત્રીઓને આગળ મોકલવામાં આવશે. જો કોઈ ધામમાં ભીડ ક્ષમતા કરતાં વધી જશે, તો નીચેના મુખ્ય ચેક પોઈન્ટ્સ અને હોલ્ડિંગ એરિયામાં જ શ્રદ્ધાળુઓ અને તેમના વાહનોની અવરજવરને નિયંત્રિત કરવામાં આવશે. મુસાફરોને અટકાવાયા બાદ તેમને એલઈડી ડિસ્પ્લે, સોશિયલ મીડિયા અને એફએમ રેડિયો દ્વારા પ્રતીક્ષા સમય, હવામાન અને રસ્તાની સ્થિતિ વિશે સતત અપડેટ અપાશે જેથી તેમનામાં અસંતોષ ન ફેલાય.

રાત્રે ૧૦ થી સવારના ૪ વાગ્યા સુધી પ્રવાસી વાહનો પર પ્રતિબંધ

ચારધામ યાત્રાના રૂટ પર માર્ગ અકસ્માતો રોકવા અને સુરક્ષા માટે રાત્રે ૧૦ વાગ્યાથી સવારના ૪ વાગ્યા સુધી મુસાફરોના વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સમય દરમિયાન માત્ર ટ્રક અને અન્ય જીવનજરૂરી સેવાઓ સાથે જોડાયેલા ભારે માલવાહક વાહનો જ ચાલી શકશે, જ્યારે દિવસના સમયે માલવાહક વાહનો પર પ્રતિબંધ રહેશે. ચારધામ યાત્રા હવે બીજા અને વધુ પડકારજનક તબક્કામાં પ્રવેશી રહી છે જ્યાં પ્રતિકૂળ હવામાન અને ભૂસ્ખલન મોટો પડકાર બનશે. તેથી સંવેદનશીલ સ્થળો પર જેસીબી, પોકલેન્ડ મશીનો, સેટેલાઇટ ફોન અને એમ્બ્યુલન્સ તૈયાર રાખવાના આદેશ અપાયા છે.

હેલી એમ્બ્યુલન્સ માટે નોડલ ઓફિસર નિમાશે, હોટલ-રેસ્ટોરન્ટમાં રેટ લિસ્ટ પ્રદર્શિત કરવું ફરજિયાત

યાત્રા દરમિયાન ગંભીર રીતે બીમાર થતા દર્દીઓને તાત્કાલિક સારવાર અપાવવા માટે રાજ્ય સ્તરે ‘હેલી એમ્બ્યુલન્સ’સેવા માટે એક નોડલ ઓફિસર નિયુક્ત કરવામાં આવશે. આ ઉપરાંત, કેદારનાથના પગપાળા માર્ગ પર વરસાદ અને તડકાથી બચવા માટે પૂરતી સંખ્યામાં શેડ બનાવવામાં આવશે અને સ્વચ્છતાને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાશે. યાત્રા માર્ગ પર શ્રદ્ધાળુઓની આર્થિક છેતરપિંડી રોકવા માટે તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબાઓમાં ફરજિયાતપણે મેનૂ અને રેટ લિસ્ટ ડિસ્પ્લે (પ્રદર્શિત) કરવાનો આદેશ અપાયો છે અને ખાદ્યપદાર્થોની ગુણવત્તા તપાસવા માટે નિયમિત સેમ્પલિંગ કરવામાં આવશે.

👉 આ સમાચાર વાચો:
Russian Oil | રશિયા પાસેથી સસ્તા ક્રૂડ ઓઈલની આયાત પર અમેરિકા કડક, ભારત સામે નવો પડકાર

Centre Creamy Layer SC Plea ક્રીમી લેયર મામલો સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની અરજી દાખલ, આ પ્રકરણમાં કોઈ પણ પ્રકારનો અંતરિમ આદેશ ન જારી કરવા માંગ
Supreme Court Quashes Student Protest FIR સરકારે વચન પાળ્યું, જંતર મંતર પ્રદર્શન સંબંધિત તમામ ફોજદારી કેસો અને એફઆઈઆર સુપ્રીમ કોર્ટે કરી રદ્દ
Ayodhya Ram Mandir CEO Selection નવા ટ્રસ્ટીઓની પસંદગી પ્રક્રિયા તેજ સર્ચ કમિટી દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા 3 નામો પર હવે ટ્રસ્ટની બેઠકમાં લેવાશે આખરી નિર્ણય
INS Nipun Commissioned ‘આત્મનિર્ભર ભારત’ તરફ વધુ એક મજબૂત કદમ, ભારતીય નૌકાદળમાં ‘આઈએનએસ નિપુણ’ સત્તાવાર રીતે સામેલ
Exit mobile version