Site icon

8 જૂનથી ચારધામ યાત્રા શરૂ, માત્ર એક રાજ્યના સીમિત યાત્રીઓ જ કરી શકશે દર્શન

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

3 જુન 2020

 લોકડાઉન 5મા ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી મળ્યા બાદ ઉત્તરાખંડ સરકારે પણ ચાર ધામની યાત્રા શરૂ કરવાની તૈયારીઓ કરી લીધી છે. આગામી 8 જૂન બાદ નિયમિત સંખ્યામાં ચારધામ યાત્રા ને શરૂ કરવામાં આવશે. જો કે હાલ શરૂઆતમાં માત્ર ઉત્તર પ્રદેશના લોકો જ ચારધામની જાત્રા કરી શકશે.

 ત્યારબાદ જેમ જેમ લોકડાઉન ખોલવામાં આવશે તેમ તેમ અન્ય રાજ્ય સાથે વાતચીત કર્યા બાદ જે તે રાજ્યના યાત્રાળુઓને દર્શનની મંજૂરી આપવામાં આવશે.

 હિમાલય પર્વતમાળામાં આવેલા પ્રખ્યાત બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રી જેવા ચાર પવિત્ર ધામોના કપાટ આશરે દોઢ મહિના પહેલા ખુલ્લા કરાયા છે, પરંતુ કોરોનાને કારણે ભક્તોને મંદિરમાં પ્રવેશવાની પરવાનગી અપાઇ નથી. કદાચ ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્યું છે કે ભકતોને માત્ર બહારથી જ દર્શન કરવાની મંજૂરી અપાઇ હોય..

Monalisa Viral Girl:મોનાલિસા નીકળી સગીર! ફરમાન વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ, કોઈપણ ક્ષણે થઈ શકે છે ધરપકડ
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
LPG થી PNG: ગેસ સિલિન્ડર પર તમારા ખિસ્સામાંથી કેટલો ટેક્સ જાય છે? જાણો સરકારની કમાણીનું આખું ગણિત
LPG Crisis Management: ગેસ સિલિન્ડર માટે હવે નહીં જોવી પડે રાહ! સરકારે લીધો મોટો નિર્ણય, આ ખાસ વર્ગના લોકોને મળશે પ્રાધાન્ય.
Exit mobile version