Site icon News Continuous Bureau | Mumbai

Chhattisgarh Naxal Attack: છત્તીસગઢમાં 2018 પછી સૌથી મોટો નક્સલી હુમલો, 11 જવાનો થયા શહીદ..

Chhattisgarh Naxal Attack:

Chhattisgarh Naxal Attack:

News Continuous Bureau | Mumbai

Chhattisgarh Naxal Attack: છત્તીસગઢમાં નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા લેન્ડમાઈન બ્લાસ્ટમાં 10 DRG જવાન અને એક ડ્રાઈવર શહીદ થયા છે. બસ્તરના આઈજી સુંદર રાજ પીએ નક્સલી હુમલા અને જવાનોના શહીદ થયાના અહેવાલની પુષ્ટિ કરી છે.

Join Our WhatsApp Channel

2018 પછી આ મોટો નક્સલી હુમલો છે

આ સંદર્ભમાં પ્રાપ્ત માહિતી અનુસાર, અરનપુર પોલીસ સ્ટેશનની હદમાં નક્સલવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ નક્સલવાદીઓ વિરુદ્ધ અભિયાન માટે દંતેવાડાથી ડીઆરજી દળોને મોકલવામાં આવ્યા હતા. મિશન પછી પરત ફરતી વખતે, નક્સલવાદીઓએ અરનપુર રોડ પર IED (લેન્ડ માઇન) વિસ્ફોટ કર્યો. જેમાં ઓપરેશનમાં સામેલ 10 ડીઆરજી જવાનો અને એક વાહન ચાલક સહિત 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અચાનક થયેલા વિસ્ફોટ માટે સૈનિકો બિલકુલ તૈયાર ન હતા. 2018 પછી રાજ્યમાં આ સૌથી મોટો નક્સલવાદી હુમલો છે. ઘટના બાદ તરત જ વધારાના સુરક્ષા દળોને સ્થળ પર રવાના કરવામાં આવ્યા હતા.

નક્સલવાદીઓના લેન્ડમાઇન વિસ્ફોટમાં 11 જવાન શહીદ

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે નક્સલવાદીઓના આ કાયરતાપૂર્ણ હુમલાની સખત નિંદા કરી છે અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. રાજ્યના આઈજી સુંદર રાજ પીએ અધિકારીઓની બેઠક બોલાવી છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ આ હુમલાની ગંભીર નોંધ લીધી હતી અને તાત્કાલિક મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ સાથે ફોન પર ચર્ચા કરી હતી. શાહે આશ્વાસન આપ્યું છે કે કેન્દ્ર સરકાર નક્સલવાદીઓ વિરુદ્ધ રાજ્યને શક્ય તમામ મદદ કરશે.
 

Ebola Virus India। ઇબોલા વાયરસનો નવો ખતરો! આફ્રિકામાં આઉટબ્રેક બાદ ભારત એલર્ટ મોડ પર, સરકારે આપ્યા આ આદેશો!
IMD Red Alert। વિનાશક વાવાઝોડાની ચેતવણી! ૧०० કિમીની ઝડપે ત્રાટકશે તોફાન, હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ
PM Modi Eid Message|બકરી ઈદ નિમિત્તે પીએમ મોદીએ ટ્વીટ કરીને પાઠવી શુભેચ્છાઓ; શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપતાં કહી આ મોટી વાત
Akasa Air Emergency। હવામાં ફ્યુઅલ ઓછું થતાં અકાસા એરની ફ્લાઈટમાં ઇમરજન્સી, એરપોર્ટ પર દોડધામ
Exit mobile version