Site icon News Continuous Bureau | Mumbai

અરુણાચલમાંથી લાપત્તા કિશોરને ચીની સેનાએ ભારતને પરત સોંપ્યો, કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 જાન્યુઆરી 2022    

Join Our WhatsApp Community

ગુરુવાર.

થોડા દિવસ અગાઉ અરુણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલ કિશોરને ચીની સેના PLA દ્વારા ભારતને સોંપવામાં આવ્યો છે. આ જાણકારી કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ આપી છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે  ગત દિવસોમાં લાપત્તા થયેલા અરુણાચલ પ્રદેશના લાપત્તા કિશોરને ચીની સેનાએ ભારતને સોંપી દીધો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ યુવકને એલએસી નજીક કિબૂથની પાસે વાચામાં (જ્યાં ભારત અને ચીન વચ્ચે બોર્ડર સંબંધિત મીટિંગ થાય છે)માં ભારતીય સત્તાવાળાઓને સોંપવામાં આવ્યો છે. તમામ પ્રોટોકોલ પૂર્ણ કર્યા બાદ પીએલએએ ગુરુવારે તરોનને ભારતીય સેનાને સોંપી દીધો હતો. આ પછી, ભારતીય સેના વતી મિરાનની તબીબી તપાસ સહિત અન્ય પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે. 

મહારાષ્ટ્રના માલેગાંવમાં કોંગ્રેસના તમામ નગરસેવકોનો પક્ષ પલટો, જોડાયા આ પક્ષમાં; જાણો વિગત

17 વર્ષીય કિશોર ગત 18 જાન્યુઆરીએ અરુણાચલ પ્રદેશના અપર સિયાંગ જિલ્લામાંથી લાપત્તા થયો હતો. ચીને તેનું અપહરણ કર્યું હોવાનો આરોપ લાગ્યો હતો. જો કે ચીને આ આરોપોને નકારી કાઢ્યા હતા. ભારતીય આર્મી અને ચીનની સેના વચ્ચે આ  મુદ્દે હોટલાઈન પર વાતચીત થઈ હતી અને ચીની સેનાએ યુવાનને સોંપવા અંગે સકારાત્મક જવાબ આપ્યો હતો. હવે ચીની સેનાએ કિશોરને ભારતને સોંપી દીધો છે. 

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version