Site icon News Continuous Bureau | Mumbai

રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારે ઇતિહાસને છંછેડયો, હલ્દી ઘાટીના યુધ્ધ માટે મહારાણા પ્રતાપને ઠેરવ્યા જવાબદાર

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

24 જુન 2020

રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર દ્વારા રાજસ્થાન ના ઇતિહાસને બદલવાની કોશિશ થઈ છે. મહારાણા પ્રતાપ સાથે જોડાયેલી ઐતિહાસિક સંઘર્ષની વાતો હટાવી વિવાદિત સંશોધન રજૂ કરાયા છે. 'રાજસ્થાન બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન' ની વેબસાઈટ પર ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકના બીજા પાઠમાં છપાયું છે કે "16મી સદીમાં મેવાડના મહારાણા પ્રતાપ' માં એક સેનાપતિ તરીકે ધીરજ, નિયંત્રણ અને યોજના ઘડવાની ક્ષમતા ન હતી. યોગ્ય સમયે યોગ્ય પગલાં ન લઈ શકવાને કારણે તેઓ હલ્દીઘાટીનું યુદ્ધ હાર્યા હતા. નોંધનિય છે કે આ પુસ્તક મહારાણા પ્રતાપ અને મોગલ સમ્રાટ અકબર વચ્ચે હલ્દીઘાટી માં થયેલા યુદ્ધ પર આધારિત છે. 

મેવાડના શાહી પરિવાર અને મહારાણા પ્રતાપના વંશજોએ કોંગ્રેસના નેતૃત્વવાળી રાજસ્થાન સરકાર સામે સખત વિરોધ ઉઠાવ્યો છે. મહારાણા પ્રતાપ ના વંશજો નું કહેવું છે કે સરકારે ભવિષ્યની પેઢી અને બાળકોના અભ્યાસ સાથે છેડછાડ કરી ભવિષ્ય જોખમમાં મૂક્યું છે. તેઓએ બાળકોને ભણાવવા લાયક મહારાણા પ્રતાપના જીવનના મહત્વપૂર્ણ પાઠ હટાવી દીધા છે, જે ગેહલોત સરકારની લઘુદ્રષ્ટિ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનની સરકારે પ્રથમવાર આવું નથી કર્યું.  હજી તો સરકાર બન્યાના છ જ મહિનાની અંદર સ્કૂલોના પાઠ્યપુસ્તકોમાં મોટો ફેરફાર કર્યો છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3g4uBbl

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Pahalgam Attack। સેનાનો પાકિસ્તાનને કરારો જવાબ ‘પહેલગામના શહીદોને ન્યાય મળી ગયો છે’, હુમલાની વરસી પહેલા ભારતનો આકરો સંદેશ
Russian Oil। રશિયન ઓઈલ પર ભારતનો મોટો દાવ ૨૦૩૦ સુધી તેલની અછત થશે ખતમ, જાણો શું છે ભારતની ખાસ યોજના
Strait of Hormuz। સંઘર્ષના પડછાયા માં ભારતીય નૌકાદળ હોર્મુઝમાં ફસાયેલા ૧૪ જહાજોને છોડાવવા ભારતની કૂટનીતિક કવાયત તેજ
Heatwave Alert। આકરા તાપમાં તપ્યું ભારત, પારો ૪૨ ડિગ્રીને વટાવતા જનજીવન પ્રભાવિત.
Exit mobile version