Site icon

Congress Nyay Yatra: 26 ફેબ્રુઆરીથી આ તારીખ સુધી કોંગ્રેસની ન્યાય યાત્રા પર લાગશે બ્રેક, રાહુલ ગાંધી હવે વિદેશ પ્રવાસે.

Congress Nyay Yatra: હાલ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રામાં વ્યસ્ત. ત્યારે હવે થોડા દિવસ આ ન્યાય યાત્રા બંદ રહેશે. વિદેશ પ્રવાસ બાદ ન્યાય જોડો યાત્રા રાજસ્થાન થઈને મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે.

Congress Nyay Yatra From February 26 to this date, there will be a break in Congress Nyay Yatra , Rahul Gandhi is now on a foreign tour..

Congress Nyay Yatra From February 26 to this date, there will be a break in Congress Nyay Yatra , Rahul Gandhi is now on a foreign tour..

News Continuous Bureau | Mumbai    

Congress Nyay Yatra: રાહુલ ગાંધી હાલ ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે. જે હવે 26મી ફેબ્રુઆરીથી 1લી માર્ચ સુધીની કોંગ્રેસની ( Congress )  ‘ભારત જોડો ન્યાય યાત્રા’ પર વિરામ રહેશે. આ દરમિયાન રાહુલ ગાંધી ( Rahul Gandhi ) વિદેશ પ્રવાસ પર જઈ રહ્યા છે. રાહુલ લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ( Cambridge University ) લેક્ચર આપવા જવાના છે.

Join Our WhatsApp Community

રાહુલ લંડનથી પરત ફરશે અને 2 માર્ચે રાજસ્થાન ( Rajasthan ) થઈને મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે. આ પહેલા રાહુલની યાત્રા આજે ઉન્નાવ થઈને કાનપુર પહોંચશે. જેમાં કાનપુર પ્રવાસમાં બે દિવસનો વિરામ રહેશે. આ પછી રાહુલ ગાંધી 24 અને 25 માર્ચે પશ્ચિમ ઉત્તર પ્રદેશનો પ્રવાસ કરશે.

  મારું ઘર છીનવી લીધું. મને બે વર્ષની સજા આપવામાં આવી…

આ પહેલા મંગળવારે (20 ફેબ્રુઆરી 2024) રાહુલ તેની માતા સોનિયા ગાંધીના ( Sonia Gandhi ) ‘સંસદીય ક્ષેત્ર રાયબરેલીમાં ન્યાય યાત્રા દરમિયાન જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન રાહુલે કહ્યું સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, તમે અગ્નિવીર યોજનાનું નામ સાંભળ્યું છે. તમે જાણો છો કે હવે ભારતમાં બે પ્રકારના શહીદ થશે. જ્યારે એક આર્મી મેન (ફુલ ટાઈમ આર્મી મેન) શહીદ થાય છે, ત્યારે તેને શહીદનો દરજ્જો આપવામાં આવશે અને બીજો જે અગ્નવીર છે, જ્યારે તે શહીદ થશે, ત્યારે તેને શહીદનો દરજ્જો આપવામાં આવશે નહીં.

આ સમાચાર પણ વાંચો :  PM Svanidhi Yojana: ફક્ત આધાર કાર્ડ લાવો અને 50 હજાર સુધીની લોન મેળવો.. મોદી સરકારની આ સ્કીમમાં કોઈપણ ગેરંટી વગર મળશે પૈસા!

રાહુલે કહ્યું, તેમના (અગ્નવીર જવાન) મૃતદેહને નકારી દેવામાં આવશે. તેના પરિવારને ન તો પેન્શન મળશે કે ન તો કોઈ પ્રકારની મદદ. અગ્નિવીર સૈનિકો સેનામાં જોડાશે પરંતુ ચાર વર્ષ પછી ચારમાંથી ત્રણ અગ્નિવીરોને બહાર કાઢી નાખવામાં આવશે. એવું કહેવામાં આવશે કે તમારી અહીં જરૂર નથી.

રાહુલે કહ્યું, આ સત્ય છે. મેં સંસદમાં પણ આ કહ્યું હતું. જે બાદ મને લોકસભામાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો અને મારું સભ્યપદ રદ કરવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાહુલ ગાંધીનું સભ્યપદ પરત કરો, તે પછી ફરીથી હું લોકસભામાં પ્રવેશી શક્યો. મારું ઘર છીનવી લીધું. મને બે વર્ષની સજા આપવામાં આવી. જ્યારે મારું ઘર છીનવાઈ ગયું ત્યારે મેં તેમને કહ્યું હતું કે તે લઈ જાઓ, મને તમારું ઘર નથી જોઈતું.રાહુલે કહ્યું, મારું ઘર ભારતના કરોડો લોકોના દિલમાં છે. હું તમારો હૃદયપૂર્વક આભાર માનું છું અને તમને તમારા અધિકારો માટે લડવા માટે કહું છું. આ દેશ તમારો છે.

PM Modi Jalandhar Visit: વડાપ્રધાનના પ્રવાસ પહેલા જાલંધરની 3 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પંજાબમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત
Pakistan Economic Crisis: પાકિસ્તાન બરબાદીના આરે! PM શાહબાઝ શરીફના એક નિવેદને દુનિયાભરમાં જગાવી ચર્ચા; જાણો પાકિસ્તાન કેમ બની રહ્યું છે ‘આર્થિક ગુલામ’?
Namo Bharat Train: ભારતની એકમાત્ર ટ્રેન જેમાં તમે બર્થડે પાર્ટી અને પ્રી-વેડિંગ શૂટ કરી શકશો; જાણો બુકિંગનો ખર્ચ અને નિયમો
Kishtwar Encounter: જમ્મુમાં ફરી સુરક્ષાબળોનો એક્શન મોડ! કિશ્તવાડમાં આતંકીઓ અને સેના વચ્ચે સામસામે ફાયરિંગ; ઘેરાયેલા આતંકીઓ પાસે મોટા પ્રમાણમાં હથિયારો હોવાની આશંકા
Exit mobile version