Site icon

‘આઝાદીની લડાઈમાં તમારા જૂથના એક કૂતરાએ પણ જીવ આપ્યો નથી’, ભાજપ પર ખડગેએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે અમે દેશને આઝાદી અપાવી અને દેશની એકતા માટે ઈન્દિરા અને રાજીવ ગાંધીએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. અમારા પક્ષના નેતાઓએ જીવ આપ્યો, તમે શું કર્યું? શું તમારા ઘરમાં કોઈ દેશ માટે કૂતરો પણ મર્યો છે? શું કોઈએ કોઈ બલિદાન આપ્યું છે?

રાહુલ ગાંધી બાદ હવે કોંગ્રેસ અધ્યક્ષનો વારો? માનહાનિ કેસમાં મલ્લિકાર્જુન ખડગેને પંજાબ કોર્ટે પાઠવ્યું સમન, જાણો શું છે સમગ્ર મામલો

રાહુલ ગાંધી બાદ હવે કોંગ્રેસ અધ્યક્ષનો વારો? માનહાનિ કેસમાં મલ્લિકાર્જુન ખડગેને પંજાબ કોર્ટે પાઠવ્યું સમન, જાણો શું છે સમગ્ર મામલો

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમના તરફથી એવો ભાર આપીને કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના ઘણા નેતાઓએ આઝાદીની લડાઈમાં પોતાનો જીવ આપી દીધો, પરંતુ ભાજપના લોકોના ઘરેથી આઝાદીની લડાઈમાં એક કૂતરો પણ મર્યો નથી.
Join Our WhatsApp Community

નિવેદનમાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે અમે દેશને આઝાદી અપાવી અને દેશની એકતા માટે ઈન્દિરા અને રાજીવ ગાંધીએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. અમારા પક્ષના નેતાઓએ જીવ આપ્યો, તમે શું કર્યું? શું તમારા ઘરમાં કોઈ દેશ માટે કૂતરો પણ મર્યો છે? શું કોઈએ કોઈ બલિદાન આપ્યું છે? હવે મલ્લિકાર્જુન ખડગે માત્ર અહીં જ અટક્યા નથી. તેમના તરફથી રાહુલ ગાંધીના નિવેદનનો બચાવ પણ કરવામાં આવ્યો હતો અને સરકાર પર અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા.

તેમણે કહ્યું કે સરહદ પર આપણા 20 સૈનિકો શહીદ થયા અને મોદીજી અને ચીનના શી જિનપિંગ 18 વાર મળ્યા, ઝૂલા પર બેઠા. તમે લોકો મળી રહ્યા છો, પણ અમે તમને ચર્ચા કરવાનું કહીએ તો તમે ચર્ચા કરવા તૈયાર નથી. રાજનાથ સિંહે 1 પેજનું નિવેદન આપ્યું અને નિવેદન આપીને ચાલ્યા ગયા. અમે કહી રહ્યા છીએ કે ચર્ચા કરો, અમને પણ કહો, દેશને પણ કહો કે શું થઈ રહ્યું છે, સરકાર શું કરી રહી છે. ખડગેએ ટોણો મારતા ત્યાં સુધી કહી દીધું કે બહાર તે સિંહની જેમ વાત કરે છે, પણ ચાલે ઉંદરની જેમ છે.

આ સમાચાર પણ વાંચો: ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને એવો પ્રસાદ મળ્યો, જે અત્યાર સુધી તે બીજાને પકડાવતી હતી. નાગપુરનું પાર્ટી કાર્યાલય શિંદે સેનાએ પચાવી પાડ્યું

હવે આ નિવેદન એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે આ સમયે ભાજપ દ્વારા કોંગ્રેસને સતત ઘેરવામાં આવી રહી છે. કોંગ્રેસ ચીન મુદ્દે રાજનીતિ કરી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધી દ્વારા સેનાનું અપમાન કરવામાં આવ્યું છે. આ તમામ મુદ્દે ભાજપના નેતાઓ પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસને આડે હાથ લઈ રહ્યા છે. સોમવારે વિદેશ મંત્રી એસ જયશંકરે પણ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. આ કારણથી હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કમાન સંભાળતા ભાજપ પર ઘણા પ્રહારો કર્યા છે.

જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરકાર ચીનના મુદ્દાને સતત નજરઅંદાજ કરી રહી છે. ભારત સરકાર ઉંઘી રહી છે અને ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. ચીને આપણા 2 હજાર કિમી ચોરસ પર કબજો જમાવી લીધો છે અને તે આપણા સૈનિકોને માર મારી રહ્યું છે.

Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Indian Railways 52: ભારતીય રેલવેમાં ‘સુધારાનો મહાકુંભ’: 52 અઠવાડિયામાં લાગુ થશે 52 મોટા ફેરફાર,જાણો વિગતે
Shashi Tharoor: જવાહરલાલ નહેરુ વિશે શશિ થરૂરનું મોટું નિવેદન, 1962ના ચીન યુદ્ધમાં હાર માટે નિર્ણયોને ગણાવ્યા જવાબદાર
India’s First Hydrogen Train: માત્ર ₹5ના સિક્કામાં કરો સફર! અવાજ અને ધુમાડા વગર દોડતી દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન, જાણો તેની ખાસિયતો
Exit mobile version