Site icon News Continuous Bureau | Mumbai

કોંગ્રેસે RBI-સેબીને અદાણી ગ્રૂપ સામેના આરોપોની તપાસ કરવાની કરી માંગ, જાણો શું છે સમગ્ર મામલો

તાજેતરમાં અમેરિકન ફાઇનાન્શિયલ રિસર્ચ કંપની હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા આરોપોને કારણે ભારતીય રાજકારણ ગરમાયું છે. ભારતની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે શુક્રવારે અદાણી ગ્રૂપ પર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા કરાયેલા આરોપો અંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને બજાર નિયામક સેબી પાસેથી તપાસની માંગ કરી છે.

Congress targets Centre over Hindenburg report on Adani Group; seeks probe

કોંગ્રેસે RBI-સેબીને અદાણી ગ્રૂપ સામેના આરોપોની તપાસ કરવાની કરી માંગ, જાણો શું છે સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

તાજેતરમાં અમેરિકન ફાઇનાન્શિયલ રિસર્ચ કંપની હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા આરોપોને કારણે ભારતીય રાજકારણ ( Centre  )  ગરમાયું છે. ભારતની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે ( Congress  ) શુક્રવારે અદાણી ગ્રૂપ ( Adani Group ) પર હિંડનબર્ગ ( Hindenburg  ) રિસર્ચ દ્વારા કરાયેલા આરોપો અંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને બજાર નિયામક સેબી પાસેથી તપાસની માંગ કરી છે. કોંગ્રેસે શુક્રવારે કહ્યું હતું કે ભારતીય રિઝર્વ બેંક અને સેબીએ અમેરિકન નાણાકીય સંશોધન કંપની હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી જૂથ પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરવી જોઈએ, કારણ કે ભારતની નાણાકીય વ્યવસ્થાની સ્થિરતા અને સુરક્ષા આ સંસ્થાઓની જવાબદારી છે.

Join Our WhatsApp Channel

જયરામ રમેશે એક નિવેદન બહાર પાડ્યું

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વિટર પર એક નિવેદન જારી કરીને દાવો કર્યો છે કે આ બિઝનેસ ગ્રુપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ગાઢ સંબંધ છે અને આ ગ્રુપને તેનો ફાયદો થયો છે. તેમણે નિવેદનમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે રાજકીય પક્ષોએ કોઈપણ કંપની અથવા વ્યવસાય જૂથ વિશેના કોઈપણ અભ્યાસ અહેવાલ પર પ્રતિક્રિયા આપવી જોઈએ નહીં, પરંતુ અદાણી જૂથ અંગે હિંડનબર્ગ સંશોધનના ફોરેન્સિક અભ્યાસ અંગે કોંગ્રેસની પ્રતિક્રિયા જરૂરી છે. તેમણે કહ્યું કે અદાણી જૂથ કોઈ સામાન્ય જૂથ નથી, પરંતુ નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમની સાથેની નિકટતાને કારણે તેની ઓળખ છે.

હિન્ડેનબર્ગનો શું છે આરોપ

હિન્ડેનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના જૂથ પર “સ્ટૉકની સ્પષ્ટ હેરાફેરી અને એકાઉન્ટિંગ છેતરપિંડી”માં સામેલ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ આરોપ બાદ વૈવિધ્યસભર બિઝનેસ સાથે સંબંધિત અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના શેરમાં મોટો ઘટાડો થયો હતો. અદાણી ગ્રૂપે ગુરુવારે જણાવ્યું હતું કે ગૌતમ અદાણીના અદાણી ગ્રૂપે યુએસ ઇન્વેસ્ટમેન્ટ ફર્મના રિપોર્ટ પર ‘બદઈરાદાપૂર્વક’ અને ‘પસંદગીપૂર્વકની ખોટી માહિતી’ રજૂ કરવાનો આરોપ મૂક્યો છે. યુએસ ફાઇનાન્શિયલ રિસર્ચ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ સામે “શિક્ષાત્મક પગલાં” મેળવવા માટે કાનૂની વિકલ્પોની શોધ કરી રહ્યું છે. તે જ સમયે, અમેરિકન ફાઇનાન્શિયલ રિસર્ચ કંપની કહ્યું છે કે તેઓ તેમના અહેવાલ પર એકદમ મક્કમ છે.

આ સમાચાર પણ વાંચો: ભારે કરી.. મુસાફરોને લીધા વિના ફ્લાઈટ ઉડી ગઈ, એરપોર્ટ પર રાહ જોતા રહ્યા યાત્રીઓ.. હવે DGCA ફટકાર્યો 10 લાખનો દંડ

અદાણી ગ્રુપે કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી

અહેવાલ જાહેર થયાના એક દિવસ પછી, અદાણી જૂથે એક ટૂંકું નિવેદન જારી કરીને કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી હતી. કલાકો પછી, હિંડનબર્ગે ટ્વિટર પર લખ્યું કે અદાણી જૂથે અહેવાલમાં ઉઠાવવામાં આવેલા 88 સીધા પ્રશ્નોમાંથી કોઈનો જવાબ આપ્યો નથી. કંપનીએ એમ પણ કહ્યું કે જો અદાણી ગ્રૂપ ગંભીર હોય તો તેણે યુએસમાં પણ કેસ દાખલ કરવો જોઈએ, જ્યાં અમે કામ કરીએ છીએ. અમારી પાસે કાયદાકીય પ્રક્રિયા દરમિયાન માંગવાના દસ્તાવેજોની લાંબી યાદી છે.

Sonam Wangchuk Hunger Strike આખરે સોનમ વાંગચુકે ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી, કેન્દ્ર સરકારને લખ્યો પત્ર
Akhilesh Yadav Arguments With Speaker Om Birla અખિલેશ યાદવનો સ્પીકર પર સવાલ “અમને બોલવાની તક કેમ નહીં?” ઓમ બિરલાએ આપ્યો આ જવાબ
Cockroach Janta Party Slams CJI Surya Kant Remark ‘અમારો સમય બગાડશો નહીં’, સીજીઆઈ સૂર્યકાંતની ટિપ્પણી પર ભડકી કૉકરોચ જનતા પાર્ટી, કહ્યું ‘આટલો અહંકાર…’
Lalit Modi Prepares For India Return અંતે સત્યનો વિજય થયો…. ED ના કેસમાંથી મુક્તિ મળતાં લલિત મોદીએ ભારત વાપસીની તારીખ પર આપ્યો મોટો સંકેત
Exit mobile version