Site icon News Continuous Bureau | Mumbai

રસીકરણની ઝડપ અંગે જાગ્યો વિવાદ; કૉન્ગ્રેસના આ નેતાએ વડા પ્રધાન પર નિશાન સાધતાં આપ્યું આ નિવેદન, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીની પત્રકાર પરિષદમાં રણદીપ સુરજેવાલાએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. સુરજેવાલાએ મીડિયાને કહ્યું હતું કે “દેશમાં વર્ષ 2012ના ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ પોલિયોની સૌથી વધુ રસી લગાવાઈ હતી. એક જ દિવસમાં પોલિયોની રસી 17 કરોડથી વધારે બાળકોને આપવામાં આવી હતી.”

જોકેમનમોહન સિંહે ક્યારેય પોસ્ટરો લગાવ્યાં નહોતાં. દસ વર્ષ પછી પ્રોપેગેંડા અને કરોડો રૂપિયાની જાહેરાતના સહારે સરકાર જોર લગાવીને એક દિવસમાં માંડ ૮૦ લાખ રસી આપી શકે છે. આ અંગે એક જાણીતા પત્રકારે પણ સરકાર પર આકરા પ્રહારો કરતાં લેખાંજોખાં રજૂ કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે આ આંકડો વધારીને એક કરોડ સુધી પહોંચી ગયા હોય તો પણ મામૂલી જ છે. પોલિયોના રસીકરણ અભિયાન સામે તે ખૂબ જ ઓછો છે.

કોરોનાની ત્રીજી લહેર અંગે કૉન્ગ્રેસે બહાર પાડ્યો ‘શ્વેતપત્ર’; વડા પ્રધાન પર નિશાન સાધતાં આપ્યાં આ સલાહ-સૂચન, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે તેમણે ઉમેર્યું હતું કે ભારતે ન્યૂઝીલૅન્ડની તુલના કરવી જોઈએ નહિ. રસીકરણની જાહેરાત પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. દરેક અખબારના પહેલા પાને જાહેરખબર હતી જેમાં મોદીજીને ધન્યવાદ આપવામાં આવ્યા હતા, પરંતુ સમગ્ર દુનિયામાં રસી મફતમાં આપવામાં આવે છે, તો પછી જાહેરાત પાછળ આ નાણાં કેમ વેડફવામાં આવ્યાં હતાં.

Pahalgam Attack। સેનાનો પાકિસ્તાનને કરારો જવાબ ‘પહેલગામના શહીદોને ન્યાય મળી ગયો છે’, હુમલાની વરસી પહેલા ભારતનો આકરો સંદેશ
Russian Oil। રશિયન ઓઈલ પર ભારતનો મોટો દાવ ૨૦૩૦ સુધી તેલની અછત થશે ખતમ, જાણો શું છે ભારતની ખાસ યોજના
Strait of Hormuz। સંઘર્ષના પડછાયા માં ભારતીય નૌકાદળ હોર્મુઝમાં ફસાયેલા ૧૪ જહાજોને છોડાવવા ભારતની કૂટનીતિક કવાયત તેજ
Heatwave Alert। આકરા તાપમાં તપ્યું ભારત, પારો ૪૨ ડિગ્રીને વટાવતા જનજીવન પ્રભાવિત.
Exit mobile version