Site icon News Continuous Bureau | Mumbai

નેપાળમાં બાબા રામદેવની પતંજલિ ગ્રુપની બે ટીવી ચેનલો લોન્ચ થતાં જ આ વિવાદમાં ઘેરાઈ, નેપાળ સરકારે આપી ચેતવણી; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 22 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

યોગ ગુરુ બાબા રામદેવ અને તેમના નજીકના સહયોગી આચાર્ય બાલકૃષ્ણે શુક્રવારે નેપાળમાં આસ્થા નેપાળ અને પતંજલિ નેપાળ નામની બે ટીવી ચેનલો શરૂ કરી હતી. આ બંને ચેનલો પર નેપાળના દર્શકો માટે ધાર્મિક અને યોગ સંબંધિત કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવશે. આ ટીવી ચેનલો નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ-માઓઈસ્ટ સેન્ટરના પ્રમુખ પુષ્પ કમલ દહલ 'પ્રચંડ'ની સંયુક્ત હાજરીમાં લોન્ચ કરવામાં આવી હતી.

એવામાં નેપાળના એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે ચેતવણી આપી હતી કે સરકાર મંજૂરી મેળવ્યા વિના અથવા જરૂરી પ્રક્રિયાઓનું પાલન કર્યા વિના કાર્યરત ટીવી ચેનલો સામે પગલાં લેશે. 

હવે મોબાઇલ રિચાર્જ કરવું પડશે મોંઘુ, આ ટેલિકોમ કંપનીએ પ્રિપેડ રિચાર્જ પ્લાનની કિંમતમાં કર્યો ધરખમ વધારો, જાણો હવે કેટલાનો થયો કયો પ્લાન

નેપાળના માહિતી અને પ્રસારણ વિભાગના મહાનિર્દેશક ગોગન બહાદુર હમાલે મીડિયાને જણાવ્યું કે બાબા રામદેવની બંને ચેનલોએ રજીસ્ટ્રેશન માટે અરજી કરી નથી. તેમણે કહ્યું હતું કે આ માટે કોઈ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી. અમે પતંજલિ નેપાળ ચેનલ દ્વારા જારી કરાયેલા નિવેદન પર વિશ્વાસ કરી શકતા નથી. સત્ય જાણવા માટે અમે તપાસ સમિતિની રચના કરી છે. જો તેઓ અમારી પરવાનગી વિના અને યોગ્ય પ્રક્રિયાઓનું પાલન કર્યા વિના નેપાળમાંથી ટીવી ચેનલો ચલાવે છે અથવા તે અંગે કોઈ તૈયારીઓ કરી છે તો અમે જરૂરી પગલાં લઈશું.

આ બાબતે પતંજલિ યોગપીઠે જણાવ્યું હતું કે અમે કંપની ઓફિસ રજિસ્ટ્રાર ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે. આ ઉપરાંત બાકીની મંજૂરીઓ માટેની જરૂરી પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.

 SBIએ જનધન ખાતા ધારકો પાસેથી વસૂલ કરી આટલા કરોડ ગેરવાજબી ફી; સરકારના આદેશ બાદ પણ પરત નથી કરી: જાણો વિગતે

દરમિયાન, નેપાળમાં સ્થાનિક પત્રકારોની સંસ્થા ફેડરેશન ઓફ નેપાળી પત્રકારોનું કહેવું છે કે મીડિયામાં વિદેશી રોકાણને મંજૂરી નથી. સંગઠને બાબા રામદેવની બંને ચેનલોના લોન્ચિંગને કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

આ વિવાદ અંગે પતંજલિના પ્રવક્તા એસકે તિજારાવાલાએ મીડિયાને કહ્યું હતું કે નેપાળમાં ડાઉનલિંકિંગ માટે આસ્થા ટીવી પાસે વર્ષ 2024 સુધીનું માન્ય લાયસન્સ છે. તેમણે કહ્યું હતું કે 19 ડિસેમ્બર પછી નિર્ધારિત પ્રક્રિયા મુજબ સંપૂર્ણ પ્રસારણ શરૂ થશે. 

CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
NEET Paper Leak। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારા પીવી કુલકર્ણી પર યોગી સ્ટાઇલ એક્શન; બંગલા પર બુલડોઝર ફરતાં મચી અફરાતફરી
Pahalgam Terror Attack NIA Investigation।પહેલગામ આતંકી હુમલામાં ડાર્ક વેબ અને ચાઈનીઝ લિંક આતંકીઓના ફોનમાંથી મળ્યા એવા પુરાવા કે પાકિસ્તાન ફરી થશે બેનકાબ!
IMD Weather Alert| આગામી ૮ કલાક ભારે, ચક્રવાતના ખતરા વચ્ચે આ રાજ્યોમાં તૂટી પડશે આફતનો વરસાદ
Exit mobile version