Site icon News Continuous Bureau | Mumbai

જ્યાં સુધી પાકિસ્તાન ભારતની આ શરતોનું પાલન નહીં કરે, ત્યાં સુધી નહીં થાય વાતચીત!

ભારત સરકારે શુક્રવારે કહ્યું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ મુદ્દો છે તો તેને આતંકવાદ અને હિંસા મુક્ત વાતાવરણમાં દ્વિપક્ષીય રીતે ઉકેલવો જોઈએ. સરકારે કહ્યું કે આવું અનુકૂળ વાતાવરણ બનાવવાની જવાબદારી પાકિસ્તાનની છે

Conversation wont go any further until pakistan agrees on these condition of india shehbaz sharif

જ્યાં સુધી પાકિસ્તાન ભારતની આ શરતોનું પાલન નહીં કરે, ત્યાં સુધી નહીં થાય વાતચીત!

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાન ભલે ભારતનો પાડોશી દેશ છે પરંતુ તેની આતંકવાદી ગતિવિધિઓને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ જ તંગ બની ગયા છે. આ સમયે ગરીબી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે તાજેતરમાં જ ભારત સાથેના સંબંધોને સામાન્ય બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આના પર ભારત સરકારે શુક્રવારે કહ્યું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ મુદ્દો છે તો તેને આતંકવાદ અને હિંસા મુક્ત વાતાવરણમાં દ્વિપક્ષીય રીતે ઉકેલવો જોઈએ. સરકારે કહ્યું કે આવું અનુકૂળ વાતાવરણ બનાવવાની જવાબદારી પાકિસ્તાનની છે. જ્યાં સુધી પાકિસ્તાન તરફથી આવું પગલું નહીં ભરાય ત્યાં સુધી તેની સાથે વાતચીત શક્ય નથી.

Join Our WhatsApp Channel

વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યું કે અહેવાલો અનુસાર પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું છે કે ભારત માટે તેમનો સંદેશ વાતચીત કરવાનો છે. મંત્રીએ કહ્યું, “તે જ રીતે, પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલયના પ્રવક્તાએ ભારત સાથે કોઈપણ વાટાઘાટો કરવા માટે ઘણી પૂર્વ શરતોનો પુનરોચ્ચાર કર્યો છે.” મુરલીધરને કહ્યું કે ભારતની ઈચ્છા પાકિસ્તાન સાથે સામાન્ય પડોશી સંબંધો રાખવાની છે અને આ મુદ્દે ભારતનું સતત વલણ એ છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ મુદ્દો છે તો તેનું સમાધાન દ્વિપક્ષીય અને શાંતિપૂર્ણ રીતે એક એવા માહોલમાં કાઢવામાં આવે જે આતંકવાદ અને હિંસાથી મુક્ત હોય. તેમણે કહ્યું, “પાકિસ્તાનની જવાબદારી છે કે તે તેના કબજા હેઠળના કોઈપણ ક્ષેત્રનો ઉપયોગ ભારત વિરુદ્ધ સીમા પારના આતંકવાદ માટે ન થવા દે અને અધિકૃત અને ચકાસી શકાય તેવી કાર્યવાહી કરીને આ પ્રકારનું અનુકૂળ વાતાવરણ બનાવે.”

આ સમાચાર પણ વાંચો : ગૌતમ અદાણીને વધુ એક ઝટકો. અદાણી ગ્રૂપના શેરોમાં આ કંપની નહીં કરે વધુ રોકાણ..

આતંકવાદીઓનું મૂળ છે પાકિસ્તાન

પાકિસ્તાન ભલે ભારત સાથે સામાન્ય સંબંધો જાળવવાની વાત કરી રહ્યું હોય પરંતુ તેની આતંકવાદી ગતિવિધિઓ ઓછી થઈ નથી. જમ્મુ અને કાશ્મીરથી પંજાબ સુધી સરહદી વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોન દ્વારા શસ્ત્રો, વિસ્ફોટકો અને માદક પદાર્થોની વારંવાર દાણચોરી કરવામાં આવે છે. BSFએ છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાનના અનેક ડ્રોન તોડી પાડ્યા છે. આમ છતાં તેની હરકતો ઓછી થઈ રહી નથી. તે જમ્મુ-કાશ્મીરમાં પણ આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવી રહ્યો છે. આ સિવાય તે પીઓકેથી પાકિસ્તાનના અન્ય વિસ્તારોમાં આતંકીઓને આશ્રય આપે છે. આતંકવાદીઓને તેમની જમીનનો ઉપયોગ કરવા માટે છૂટ આપવા ઉપરાંત, તે તેમને હથિયાર અને નાણાં પણ પ્રદાન કરે છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન સાથે ભારતના સંબંધો સામાન્ય થવા મુશ્કેલ જ છે.

Centre Creamy Layer SC Plea ક્રીમી લેયર મામલો સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની અરજી દાખલ, આ પ્રકરણમાં કોઈ પણ પ્રકારનો અંતરિમ આદેશ ન જારી કરવા માંગ
Supreme Court Quashes Student Protest FIR સરકારે વચન પાળ્યું, જંતર મંતર પ્રદર્શન સંબંધિત તમામ ફોજદારી કેસો અને એફઆઈઆર સુપ્રીમ કોર્ટે કરી રદ્દ
Ayodhya Ram Mandir CEO Selection નવા ટ્રસ્ટીઓની પસંદગી પ્રક્રિયા તેજ સર્ચ કમિટી દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા 3 નામો પર હવે ટ્રસ્ટની બેઠકમાં લેવાશે આખરી નિર્ણય
PM Modi SCO Summit SCO સમિટમાં પીએમ મોદીની હુંકાર આતંકવાદ સામે કડક વલણ અપનાવવાની જરૂરિયાત પર ભાર
Exit mobile version