Site icon News Continuous Bureau | Mumbai

બાપરે! હવામાં 10 મીટર સુધી ફેલાઈ શકે છે કોરોનાનો વાયરસ; સંક્રમિત વ્યક્તિની ઉધરસ અને છીંકથી ફેલાઈ શકે છે વાયરસ; નવી ઍડ્વાઇઝરી બહાર પડી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 મે 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

દિવસે ને દિવસે કોરોના વાયરસ વધુ ઘાતક બની રહ્યો છે, ત્યારે સરકારે કોવિડ-19 માટે એક નવી ઇઝી ટુ ફોલો ઍડ્વાઇઝરીબહાર પાડી છે. એમાં જણાવ્યા મુજબ કોરોના અસરગ્રસ્ત દર્દીની ઉધરસ અને છીંકથી દસ મીટર દૂર સુધી કોરોનાના વાયરસ ફેલાઈ શકે છે.

નવી ઍડ્વાઇઝરી મુજબ અસરગ્રસ્ત વ્યક્તિની છીંક અને ઉધરસ કોરોના ફેલાવાનું મુખ્ય કારણ બની શકે છે. એથી કોરોનાથી બચવા માટે ચહેરા પર નાક અને મોં ઢંકાય એ પ્રમાણે માસ્ક પહેરવો, સોશિયલ ડિસ્ટિન્સિંગનું પાલન કરવું, હાથ સતત સાફ રાખવા તો આવશ્યક છે, તેમ જ સફાઈની સાથે જરૂરી વેન્ટિલેશનની સગવડ પણ આવશ્યક છે.

ઍડ્વાઇઝરીમાં ફરી એક વખત વાયરસના ફેલાવા પર ભાર આપવામાં આવ્યો છે. અસરગ્રસ્ત દર્દીનાં નાક અને મોઢામાંથી નીકળેલા ડ્રૉપલેટ્સ આજુબાજુની સપાટી પર પડે છે. આ સપાટી પર વાયરસ લાંબા સમય સુધી રહેતો હોય છે. એથી એ જગ્યા પર અને ત્યાં રહેલી વસ્તુઓ જેવી કે દરવાજાના હૅન્ડલ, સ્વિચ બોર્ડ, ટૅબલ-ખુરશી અને ફ્લોરને સતત ડિસઇન્ફેક્ટ કરતાં રહેવું આવશ્યક છે.

Arvind Kejriwal। ન્યાય મળવાની આશા તૂટી! જસ્ટિસ સ્વર્ણકાંતાની કોર્ટનો બહિષ્કાર કરશે અરવિંદ કેજરીવાલ? જાણો શું છે મામલો
Free Trade Agreement (FTA)| ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વેપારનો નવો અધ્યાય! ૭૦ ટકા વસ્તુઓ થશે સસ્તી, જાણો કેવી રીતે બદલાશે આર્થિક સમીકરણો
Delhi Heat Wave। ભીષણ ગરમી સામે દિલ્હી તંત્ર સક્રિય હીટ વેવ એક્શન પ્લાન હેઠળ લેવાયા કડક નિર્ણય
Vijay Wadettiwar| ટ્રમ્પ પરના હુમલાને ગણાવ્યો ‘જનતાનો જવાબ’! વિજય વડેટ્ટીવારના આ વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું.
Exit mobile version