Site icon News Continuous Bureau | Mumbai

Pahalgam Terror Attack। આતંકવાદીઓના પ્લાન વિશે જાણતા હતા બે કાશ્મીરીઓ? સુરક્ષા વ્યવસ્થામાં રહી ગયેલી મોટી ચૂકનો ખુલાસો

Pahalgam Terror Attack। ૨૨ એપ્રિલ ૨૦૨૫ના પહેલગામ નરસંહારના એક વર્ષ બાદ થયો મોટો ખુલાસો; પરવેઝ અહેમદ અને બશીર અહેમદે આતંકીઓને આપી હતી પનાહ.

Pahalgam Terror Attack। આતંકવાદીઓના પ્લાન વિશે જાણતા હતા બે કાશ્મીરીઓ? સુરક્ષા વ્યવસ્થામાં રહી ગયેલી મોટી ચૂકનો ખુલાસો

Pahalgam Terror Attack। આતંકવાદીઓના પ્લાન વિશે જાણતા હતા બે કાશ્મીરીઓ? સુરક્ષા વ્યવસ્થામાં રહી ગયેલી મોટી ચૂકનો ખુલાસો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Pahalgam Terror Attack। ૨૨ એપ્રિલ ૨૦૨૫ ના રોજ થયેલા પહેલગામ આતંકી હુમલાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ દુઃખદ ઘટનામાં ૨૬ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તપાસ દરમિયાન સુરક્ષા એજન્સીઓને એક અત્યંત ચોંકાવનારી માહિતી મળી છે કાશ્મીરના બે સ્થાનિક રહેવાસીઓ, પરવેઝ અહેમદ અને બશીર અહેમદ, જો ઈચ્છત તો આ હુમલાને રોકી શક્યા હોત. તેમને હુમલાખોરોની હાજરી અને તેમના નાપાક ઈરાદાઓની અગાઉથી સંપૂર્ણ જાણકારી હતી.

આતંકીઓની પનાહગાર અને જાણકારી

સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલાના થોડા કલાકો પહેલા, બપોરે ૧૨:૩૦ વાગ્યે, પરવેઝ અને બશીરે ત્રણ આતંકવાદીઓને – ફેસલ જટ, હબીબ તાહિર અને હમઝા અફગાની – ને બૈસરન વિસ્તારમાં છુપાયેલા જોયા હતા. આતંકવાદીઓએ હુમલાના એક દિવસ પહેલા જ આ બંનેના ઘરોની મુલાકાત લીધી હતી અને તેમની પાસે આધુનિક હથિયારો પણ હતા. આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સાજિદ જટ વિશે વાતચીત કરી રહ્યા હતા. આ બંને વ્યક્તિઓને સ્પષ્ટ હતું કે કોઈ મોટું કાવતરું ઘડાઈ રહ્યું છે, છતાં તેમણે સુરક્ષા દળોને જાણ કરવાને બદલે તેમને પનાહ આપી હતી.

હાલમાં ક્યાં છે બંને આરોપીઓ?

હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ જ્યારે તપાસ શરૂ કરી ત્યારે પરવેઝ અહેમદ અને બશીર અહેમદની ભૂમિકા સામે આવી હતી. આતંકવાદીઓને આશરો આપવાના આરોપમાં એજન્સીઓએ બંનેની ધરપકડ કરી લીધી છે. હાલમાં તેઓ જેલની હવા ખાઈ રહ્યા છે અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે. તેમની ધરપકડ એ વાતની સાબિતી છે કે કઈ રીતે આતંકવાદી નેટવર્ક સ્થાનિક સ્તરે મદદગારોની શોધમાં હોય છે.

‘ઓપરેશન મહાદેવ’ અને ન્યાયની ગાથા

પહેલગામ હુમલાના જવાબમાં ભારતીય સશસ્ત્ર દળોએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન સ્થિત આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ત્યારબાદ જુલાઈ ૨૦૨૫ માં, સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા ‘ઓપરેશન મહાદેવ’ હેઠળ દચીગામ નેશનલ પાર્ક પાસે આ ત્રણેય મુખ્ય આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. ૯૩ દિવસની સતત શોધખોળ બાદ હુમલાના આ મુખ્ય ગુનેગારોનો ખાતમો થયો અને પીડિત પરિવારોને ન્યાય મળ્યો. આ ઘટના આતંકવાદ સામે ભારતના અડગ મનોબળનું પ્રતીક છે.

👉 આ સમાચાર વાચો:
Gold Price| સોનાચાંદીના ભાવ આસમાને, રોકાણકારો અને ગ્રાહકો માટે આજના મહત્વના સમાચાર.

Nitin Gadkari। નિતિન ગડકરીનો પ્લાન ૧૦૦% ઈથેનોલ પર ચાલશે ભારતની કાર, ઓટોમોબાઈલ કંપનીઓ સામે છે આ ખાસ ટેકનિકલ પડકારો
LPG Crisis| LPG ગ્રાહકો માટે એલર્ટ સિલિન્ડર લેતા સમયે આ કોડ આપવો ફરજિયાત, જાણો શું છે આખો મામલો
Election Commission। ચૂંટણી પહેલાં કડક આદેશ EVM ના બટન પર ગુંદર કે પરફ્યુમ લગાડવું પડશે ભારે, જાણો શું કહ્યું ચૂંટણી પંચે
Pahalgam Terror Attack। આતંકવાદને પીએમ મોદીનો સ્પષ્ટ સંદેશ, ‘ભારત ક્યારેય નહીં ઝૂકે’.”
Exit mobile version