Site icon News Continuous Bureau | Mumbai

આ રાજ્યના મુખ્ય મંત્રીના પિતા જેલમાંથી બહાર આવ્યા, મળ્યા જામીન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

રાયપુર, 11 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

 બ્રાહ્મણ સમાજને વિદેશી કહીને ટિપ્પણી કરવાના, સામાજિક દ્વેષ ઊભો કરવાના અને ભગવાન રામ પર અયોગ્ય ટિપ્પણી કરવાના આક્ષેપ હેઠળ છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલના પિતાને જેલમાં બંધ કરાયા હતા. જેમને કોર્ટ દ્વારા જામીન મળ્યા છે.

 મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પિતા નંદકુમાર બઘેલ રાયપુરની જેલમાં ત્રણ દિવસથી બંધ હતા. 5મી સપ્ટેમ્બરે તેમની ધરપકડ બાદ તેમણે જામીન લેવાનું નકારતાં કાર્યવાહીને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનું કહ્યું હતું. જામીન લેવાનું નકારવાને કારણે કોર્ટે તેમને ૧૪ દિવસ ન્યાયિક હિરાસતમાં મોકલ્યા હતા. ત્યાર બાદ જામીન માટે અરજી કર્યા બાદ કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા છે.

મમતા બેનર્જી પાસે છે આટલી સંપત્તિ, સોનું અને પૈસા; હવે લડી રહ્યાં છે પેટાચૂંટણી, એફિડેવિટમાં વિગત બહાર આવી

નંદકુમાર બઘેલ વિરુદ્ધ એફઆઇઆર નોંધાયા બાદ તેમણે સોશિયલ મીડિયા ઉપર ખેદ પ્રકટ કરતાં કહ્યું હતું કે તેમનો હેતુ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ન હતો. તેઓ પછાત, અનુસૂચિત જાતિ અને જનજાતિના હિતમાં વાત કરી રહ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે ભૂપેશ બઘેલે પિતા વિરુદ્ધ થયેલા આક્ષેપો બાબતે કહ્યું હતું કે અમારી સરકારમાં કાયદો સર્વોપરી છે. મુખ્યમંત્રીના પિતાને પણ માફી નહીં મળે.

Ebola Virus India। ઇબોલા વાયરસનો નવો ખતરો! આફ્રિકામાં આઉટબ્રેક બાદ ભારત એલર્ટ મોડ પર, સરકારે આપ્યા આ આદેશો!
IMD Red Alert। વિનાશક વાવાઝોડાની ચેતવણી! ૧०० કિમીની ઝડપે ત્રાટકશે તોફાન, હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ
PM Modi Eid Message|બકરી ઈદ નિમિત્તે પીએમ મોદીએ ટ્વીટ કરીને પાઠવી શુભેચ્છાઓ; શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપતાં કહી આ મોટી વાત
Akasa Air Emergency। હવામાં ફ્યુઅલ ઓછું થતાં અકાસા એરની ફ્લાઈટમાં ઇમરજન્સી, એરપોર્ટ પર દોડધામ
Exit mobile version