Site icon

આઝાદ ભારતમાં પ્રથમ વખત પ્રજાસત્તાક દિને આ નહીં થાય.. 50 વર્ષનો રેકોર્ડ ટૂટ્યો. જાણો વિગત…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

12 જાન્યુઆરી 2021

કોરોનાની મહામારી વચ્ચે આ વખતે બ્રિટનની અંદર ઉદ્બવેલા નવા કોરોના સ્ટ્રેઇન અને પછી સંક્ર્મણની પરિસ્થિતિને કારણે ત્યાંના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન હાલ ભારત આવી શકે એમ નથી, જેનું કારણ છે કે યુકેના વડાપ્રધાન જ્હોનસન આ વખતે ભારતના 72 માં ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ હતા, તેમણે ભારતનું આમંત્રણ સ્વીકાર્યુ પણ હતું. પરંતુ હવે વધેલા પ્રકોપને કારણે તેમણે ભારત પ્રવાસ રદ્દ કર્યો છે.

વિતેલા 50 વર્ષમાં પહેલો એવો ગણતંત્ર દિવસ સમારોહ યોજાશે, જેમાં મુખ્ય મહેમાન તરીકે કોઇ વિદેશી મહેમાન નહીં હોય. વર્ષ 1966માં આ સમારોહની પરેડમાં કોઇ વિદેશી અતિથિ સામેલ થયા ન હતા, એ સમયે 11 જાન્યુઆરીએ લાલ બહાદુર શાસ્ત્રીના અચાનક નિધન થયું હતું. આ સિવાય 1952 અને 1953માં પણ 26 જાન્યુઆરી ના સમારોહમાં કોઇ વિદેશી અતિથિ સામેલ થયા ન હતા. 

આ સિવાય પણ કેન્દ્ર સરકારે ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા 72માં વર્ષની પરેડ અને સમારોહમાં મહત્વના ફેરફારો કર્યા છે. આ વર્ષે બાળકો કે સામાન્ય નાગરિકો વિજયપથ પાર જોવા નહીં મળે. સાથે જ ગણતરીના વિવિઆઇપી મહેમાનોને જ આમંત્રિત કરવામાં આવ્યાં છે.  આમ 21 મી સદીમાં પહેલીવાર એવું બનશે જ્યારે ગણતંત્ર દિવસે કોઈ વિદેશી ખાસ અતિથિ નહીં હોય…

Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
JNU Protest Slap Video: પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે કરી હાથાપાઈ, ૧૪ વિદ્યાર્થીઓ જેલભેગા; થપ્પડ મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ગરમાયો
Exit mobile version