Site icon News Continuous Bureau | Mumbai

આઝાદ ભારતમાં પ્રથમ વખત પ્રજાસત્તાક દિને આ નહીં થાય.. 50 વર્ષનો રેકોર્ડ ટૂટ્યો. જાણો વિગત…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

12 જાન્યુઆરી 2021

કોરોનાની મહામારી વચ્ચે આ વખતે બ્રિટનની અંદર ઉદ્બવેલા નવા કોરોના સ્ટ્રેઇન અને પછી સંક્ર્મણની પરિસ્થિતિને કારણે ત્યાંના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન હાલ ભારત આવી શકે એમ નથી, જેનું કારણ છે કે યુકેના વડાપ્રધાન જ્હોનસન આ વખતે ભારતના 72 માં ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ હતા, તેમણે ભારતનું આમંત્રણ સ્વીકાર્યુ પણ હતું. પરંતુ હવે વધેલા પ્રકોપને કારણે તેમણે ભારત પ્રવાસ રદ્દ કર્યો છે.

વિતેલા 50 વર્ષમાં પહેલો એવો ગણતંત્ર દિવસ સમારોહ યોજાશે, જેમાં મુખ્ય મહેમાન તરીકે કોઇ વિદેશી મહેમાન નહીં હોય. વર્ષ 1966માં આ સમારોહની પરેડમાં કોઇ વિદેશી અતિથિ સામેલ થયા ન હતા, એ સમયે 11 જાન્યુઆરીએ લાલ બહાદુર શાસ્ત્રીના અચાનક નિધન થયું હતું. આ સિવાય 1952 અને 1953માં પણ 26 જાન્યુઆરી ના સમારોહમાં કોઇ વિદેશી અતિથિ સામેલ થયા ન હતા. 

આ સિવાય પણ કેન્દ્ર સરકારે ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા 72માં વર્ષની પરેડ અને સમારોહમાં મહત્વના ફેરફારો કર્યા છે. આ વર્ષે બાળકો કે સામાન્ય નાગરિકો વિજયપથ પાર જોવા નહીં મળે. સાથે જ ગણતરીના વિવિઆઇપી મહેમાનોને જ આમંત્રિત કરવામાં આવ્યાં છે.  આમ 21 મી સદીમાં પહેલીવાર એવું બનશે જ્યારે ગણતંત્ર દિવસે કોઈ વિદેશી ખાસ અતિથિ નહીં હોય…

Centre Creamy Layer SC Plea ક્રીમી લેયર મામલો સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની અરજી દાખલ, આ પ્રકરણમાં કોઈ પણ પ્રકારનો અંતરિમ આદેશ ન જારી કરવા માંગ
Supreme Court Quashes Student Protest FIR સરકારે વચન પાળ્યું, જંતર મંતર પ્રદર્શન સંબંધિત તમામ ફોજદારી કેસો અને એફઆઈઆર સુપ્રીમ કોર્ટે કરી રદ્દ
Ayodhya Ram Mandir CEO Selection નવા ટ્રસ્ટીઓની પસંદગી પ્રક્રિયા તેજ સર્ચ કમિટી દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા 3 નામો પર હવે ટ્રસ્ટની બેઠકમાં લેવાશે આખરી નિર્ણય
INS Nipun Commissioned ‘આત્મનિર્ભર ભારત’ તરફ વધુ એક મજબૂત કદમ, ભારતીય નૌકાદળમાં ‘આઈએનએસ નિપુણ’ સત્તાવાર રીતે સામેલ
Exit mobile version