Site icon News Continuous Bureau | Mumbai

ભારતના વિરોધ બાદ આખરે બ્રિટને ‘કોવિશીલ્ડ’ને આપી માન્યતા, જાહેર કરી નવી ટ્રાવેલ ગાઈડલાઈન ; જાણો ક્યારથી લાગુ થશે નવા નિયમ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર.

કોવિશીલ્ડ પર પોતાની વેક્સીન પોલીસીને લઈને ઘેરાયેલા યુકે એ આખરે મોટો ફેરફાર કરવો પડ્યો છે. 

યુકેએ કોવિશીલ્ડ રસી મેળવનારા લોકોને ક્વોરેન્ટાઇન વગર તેમના દેશમાં પ્રવેશવાની મંજૂરી આપી છે.

યુકે સરકારે હવે તેના નિયમોમાં ફેરફાર કર્યો છે અને કોવિશીલ્ડને પણ તે રસીઓની શ્રેણીમાં સામેલ કરી છે જે રસી લેનારા લોકોને યુકેમાં મુસાફરી કરવાની મંજૂરી આપે છે.

જોકે નવા નિયમો 4 ઓક્ટોબરથી અમલમાં આવવાના છે અને રસીના બીજા ડોઝને 14 દિવસ પૂરા થયા બાદ જ મુસાફરી માટે મંજૂરી આપવામાં આવશે. 

નોંધનીય છે કે, બ્રિટનના નવા પ્રવાસ નિયમ મુજબ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી કોવિશીલ્ડ રસીના બંને ડોઝ લેનારા લોકોનું રસીકરણ માન્ય નહોતું અને યુકે પહોંચ્યા બાદ તેમને 10 દિવસ માટે ક્વોરન્ટાઇનમાં રહેવાનું કહેવામાં આવ્યું હતું. 

આ વર્ષે ગણેશોત્સવમાં મૂર્તિઓની સંખ્યામાં આટલો વધારો જોવા મળ્યો; જાણો વિગત

Sonam Wangchuk Protest વાત ન બને તો મોટા પાયે આંદોલન કરવાની સોનમ વાંગચુક ની ચીમકી, લદ્દાખના હકો માટે સરકાર સામે મોરચો
NCPCR Child Labour Rescue નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ દ્વારા બાળ મજૂરીમાંથી ૩૮૦૦ થી વધુ બાળકોને મુક્ત કરાવાયા
Western Zonal Council Meeting કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સોમવારે ગોવાની રાજધાની પણજી (Panaji) ખાતે પશ્ચિમી ક્ષેત્રીય પરિષદની ૨૮મી બેઠકની કરશે અધ્યક્ષતા
Lashkar militant killed જમ્મુકાશ્મીરમાં સુરક્ષાબળોને મોટી સફળતા, લશ્કરએતૈયબાનો પાકિસ્તાની આતંકી ઠાર
Exit mobile version