Site icon News Continuous Bureau | Mumbai

ભારતના વિરોધ બાદ આખરે બ્રિટને ‘કોવિશીલ્ડ’ને આપી માન્યતા, જાહેર કરી નવી ટ્રાવેલ ગાઈડલાઈન ; જાણો ક્યારથી લાગુ થશે નવા નિયમ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર.

કોવિશીલ્ડ પર પોતાની વેક્સીન પોલીસીને લઈને ઘેરાયેલા યુકે એ આખરે મોટો ફેરફાર કરવો પડ્યો છે. 

યુકેએ કોવિશીલ્ડ રસી મેળવનારા લોકોને ક્વોરેન્ટાઇન વગર તેમના દેશમાં પ્રવેશવાની મંજૂરી આપી છે.

યુકે સરકારે હવે તેના નિયમોમાં ફેરફાર કર્યો છે અને કોવિશીલ્ડને પણ તે રસીઓની શ્રેણીમાં સામેલ કરી છે જે રસી લેનારા લોકોને યુકેમાં મુસાફરી કરવાની મંજૂરી આપે છે.

જોકે નવા નિયમો 4 ઓક્ટોબરથી અમલમાં આવવાના છે અને રસીના બીજા ડોઝને 14 દિવસ પૂરા થયા બાદ જ મુસાફરી માટે મંજૂરી આપવામાં આવશે. 

નોંધનીય છે કે, બ્રિટનના નવા પ્રવાસ નિયમ મુજબ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી કોવિશીલ્ડ રસીના બંને ડોઝ લેનારા લોકોનું રસીકરણ માન્ય નહોતું અને યુકે પહોંચ્યા બાદ તેમને 10 દિવસ માટે ક્વોરન્ટાઇનમાં રહેવાનું કહેવામાં આવ્યું હતું. 

આ વર્ષે ગણેશોત્સવમાં મૂર્તિઓની સંખ્યામાં આટલો વધારો જોવા મળ્યો; જાણો વિગત

Terrorists Active In Kashmir કાશ્મીરમાં આતંકીઓ ફરી સક્રિય અનંતનાગના ભરી બજારમાં કોન્સ્ટેબલની હત્યા, વિસ્તાર સીલ!
Fast Track Courts For Paper Leak વિપક્ષના હલ્લાબોલ વચ્ચે PM મોદીનો મોટો દાવ, ‘ભવિષ્ય બગાડનારાઓને નહીં છોડીએ’, પેપર લીક માટે બનશે ફાસ્ટ ટ્રેક કોર્ટ!
Dharmendra Pradhan Net Worth શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સામે વિરોધ પ્રદર્શન વચ્ચે જાણો તેમની કુલ સંપત્તિ અને મિલકતની વિગતો
Dharmendra Pradhan Resignation Demand જંતરમંતર પર વિપક્ષ અને કૉકરોચ જનતા પાર્ટીનો હોબાળો, રાજીનામાની માંગ વચ્ચે સરકારે મુક્યો આ પ્રસ્તાવ
Exit mobile version