Site icon News Continuous Bureau | Mumbai

ઘરગથ્થુ LPG સિલિન્ડર સંબંધિત કોઈ દુર્ઘટના ઘટે તો પીડિત ગ્રાહકને મળે છે આટલા લાખ સુધીનું વળતર ; જાણો વળતર માટે દાવો કઈ રીતે કરી શકાય

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 28 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

ઘરમાં ગેસ સિલિન્ડરનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવા છતાં ઘણી વખત દુર્ઘટના ઘટે છે. એનાથી આર્થિક નુકશાનની સાથે કોઈના પ્રાણ પણ જવાની શકયતા રહે છે . એવા સમયે પીડિત ગ્રાહકોને વળતર આપવામાં આવે છે. ગ્રાહકોને આ વળતર માટે કેવી રીતે દાવો કરવો તેની જાણકારી હોતી નથી. વાસ્તવમાં એલપીજી ગેસ સિલિન્ડર ખરીદતી વખતે જ વીમો મળે છે. 50 લાખ રૂપિયા સુધીનો આ વીમો સિલિન્ડરની એક્સપાયરી ડેટ સાથે જોડાયેલો હોય છે. ઘણીવાર લોકો સિલિન્ડરની એક્સપાયરી ડેટ તપાસ્યા વગર જ તેને ખરીદે છે. ઉપરાંત ગેસ કનેક્શન લેતાની સાથે જ ગ્રાહકોને 40 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો મળે છે. ગેસ સિલિન્ડર દુર્ઘટનાના કેસમાં પીડિત વ્યક્તિ વીમાનો દાવો કરી શકે છે. તેમજ સામૂહિક અકસ્માત થવા પર 50 લાખ રૂપિયા સુધીની રકમ આપવાની જોગવાઈ છે.

પીડિત ગ્રાહક આ રીતે દાવો કરી શકે

1. અકસ્માતમાં ઘાયલ દરેક વ્યક્તિને લઘુત્તમ 10 લાખ અને મહત્તમ 50 લાખ રૂપિયાનું વળતર મળી શકે છે.

2. એલપીજી સિલિન્ડરનું વીમા કવર મેળવવા માટે ગ્રાહકે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અને તેના એલપીજી વિતરકને અકસ્માતની જાણ કરવી પડે.

3. ઇન્ડિયન ઓઇલ, HPC અને BPC જેવી પીએસયુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓના વિતરકોએ વ્યક્તિઓ અને મિલકતો માટે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કવર સહિત તેના માટે વીમા પોલિસી લેવી પડે છે.

વાહ! રાવણની અશોક વાટિકામાંથી માતા સીતાની આ નિશાની અયોધ્યામાં લાવીને રામલલ્લાને સમર્પિત કરાશે, શ્રીલંકાની સરકારે લીધો આ નિર્ણય; જાણો વિગત
 

4. આ પોલીસી કોઈ વ્યક્તિગત ગ્રાહકના નામે નથી, પરંતુ દરેક ગ્રાહકને પોલીસીમાં આવરી લેવામાં આવે છે. તેના માટે તેણે કોઈ પ્રીમિયમ પણ ચૂકવવું પડતું નથી.

5. મૃત્યુના કેસમાં એફઆઇઆર અને ઈજાગ્રસ્તોના મેડિકલ બિલ, પોસ્ટમોર્ટમ રિપોર્ટની નકલ અને મૃત્યુનું પ્રમાણપત્ર દાખવવું પડે છે.

અકસ્માતમાં ગ્રાહકની મિલકત કે ઘરને નુકસાન થવાના કેસમાં બે લાખ રૂપિયા સુધીનો વીમો મળી શકે છે.

Rajouri LoC Firing Retaliation રાજૌરીમાં પાકિસ્તાનની નાપાક હરકત LoC પર ભારે ગોળીબાર, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
Historic Space Milestone ‘ઐતિહાસિક નવી શરૂઆત’, ભારતના પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ1 ના લોન્ચિંગ પહેલાં PM મોદીએ સ્કાઈરૂટ ટીમને પાઠવી શુભેચ્છા
Sharad Pawar On Sonam Wangchuk સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાતા શરદ પવારની પહેલી પ્રતિક્રિયા, કેન્દ્ર સરકારના વલણ પર ઉઠાવ્યા ગંભીર સવાલો, લોકશાહીના મૂલ્યો અંગે વ્યક્ત કરી ચિંતા
Ladakh Protest Updates શું સોનમ વાંગચુકનું આંદોલન આગળ વધશે? અભિજીત દીપકેએ લીધો આમરણાંત ઉપવાસનો નિર્ણય
Exit mobile version