News Continuous Bureau | Mumbai
Women Reservation Act Notification। સંસદમાં એક તરફ મહિલા અનામત સુધારા બિલ પર ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે, ત્યારે બીજી તરફ મોદી સરકારે ગુરુવારે અડધી રાત્રે ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ 2023 ને લાગુ કરવાની તારીખ જાહેર કરી દીધી છે. કેન્દ્રીય કાયદા મંત્રાલયના નોટિફિકેશન મુજબ, આ કાયદો 16 એપ્રિલ 2026 થી પ્રભાવી ગણાશે. જ્યારે સંસદમાં આ જ કાયદામાં ફેરફાર કરીને તેને 2029 માં લાગુ કરવા માટે નવું બિલ લાવવામાં આવ્યું છે, ત્યારે અચાનક જૂના કાયદાની જાહેરાત પાછળ એક મોટી રાજકીય અને કાયદાકીય રણનીતિ હોવાનું મનાય છે.
‘રૂલ 66’ અને સરકારનો માસ્ટરસ્ટ્રોક
મોદી સરકાર સંસદમાં એકસાથે ત્રણ મહત્વપૂર્ણ બિલ લાવી છે, જેમાં કેન્દ્રશાસિત પ્રદેશોમાં અનામત, વસ્તીની નવી વ્યાખ્યા અને સીમાંકન (Delimitation) નો સમાવેશ થાય છે. આ ત્રણેય બિલોને ‘રૂલ 66’ હેઠળ રજૂ કરવામાં આવ્યા છે. આ નિયમ મુજબ, જો એક બિલ પાસ ન થાય તો અન્ય પણ નિષ્ફળ જાય છે. હવે આ ત્રણેય બિલો એક ‘મહા-પ્રસ્તાવ’ બની ગયા છે, એટલે કે સાંસદોએ કાં તો બધા બિલના સમર્થનમાં વોટ આપવો પડશે અથવા બધાની વિરુદ્ધમાં. અલગ-અલગ વોટિંગનો વિકલ્પ હવે બચ્યો નથી.
જૂના કાયદાને બચાવવાનો આખરી દાવ?
વરિષ્ઠ પત્રકારો અને કાયદાકીય નિષ્ણાતોના મતે, સરકારને ડર છે કે જો સંસદમાં બે-તૃતિયાંશ બહુમતી ન મળી અને નવું સુધારા બિલ (131મો સુધારો) પાસ ન થયું, તો મહિલા અનામતનો આખો મુદ્દો લટકી શકે છે. જો નવું બિલ ફેલ થાય, તો તેની સાથે જોડાયેલો 2023 નો મૂળ કાયદો પણ જોખમમાં આવી શકે. આથી, સરકારે સાવચેતીના પગલે જૂના કાયદાને ગેઝેટમાં નોટિફાય કરી દીધો છે જેથી તે બંધારણનો હિસ્સો બની જાય અને નવા બિલના પરિણામની તેના અસ્તિત્વ પર અસર ન થાય.
લોકસભામાં નંબર ગેમ અને વિપક્ષનો વિરોધ
લોકસભામાં હાલ 540 સાંસદો છે, અને બંધારણીય સુધારા માટે સરકારને 360 સભ્યોના ટેકાની જરૂર છે. NDA પાસે હાલ 293 સભ્યો છે, જે જરૂરી સંખ્યા કરતા 67 ઓછા છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી નેતાઓ સરકારની આ ઉતાવળને ‘હતાશા’ ગણાવી રહ્યા છે. જો શુક્રવારે વોટિંગ દરમિયાન સરકાર નંબર ગેમમાં પાછળ રહેશે, તો આ નોટિફિકેશન જ મહિલા અનામતના મૂળ કાયદાને જીવંત રાખવાનો એકમાત્ર રસ્તો હશે.
👉 આ સમાચાર વાચો:
TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
