News Continuous Bureau | Mumbai
Delhi Liquor Scam: દિલ્હીના ( Delhi ) કથિત દારૂ કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટી ( AAP ) ના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહની ( Sanjay Singh ) મુશ્કેલીઓ સતત વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED ) એ સંજય સિંહ વિરુદ્ધ ચાર્જશીટ ( charge sheet ) દાખલ કરી છે. દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટમાં ( Rouse Avenue Court ) આ પાંચમી સપ્લીમેન્ટરી ચાર્જશીટ છે. EDએ 60 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે જેમાં અનેક આરોપો લગાવવામાં આવ્યા છે.
4 ઓક્ટોબરે થઇ હતી સંજય સિંહની ધરપકડ
તમને જણાવી દઈએ કે કેન્દ્રીય એજન્સીએ 4 ઓક્ટોબરે સંજય સિંહની ધરપકડ કરી હતી. સંજય સિંહ આમ આદમી પાર્ટીના બીજા હાઈપ્રોફાઈલ નેતા છે જેની ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, અત્યાર સુધીમાં 15 AAP નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. સંજય સિંહની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીએ ભાજપ ( BJP ) વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. AAPને અનેક ભાજપ વિરોધી પક્ષોનું સમર્થન પણ મળ્યું છે. વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકાર પર એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.
સંજય સિંહ પર શું છે આરોપ
મીડિયામાં પ્રકાશિત હેવાળી અનુસાર એજન્સીએ ચાર્જશીટમાં સંજય સિંહના નજીકના સર્વેશ મિશ્રાનું નામ પણ આપ્યું છે. આ કેસની સુનાવણી હવે 4 ડિસેમ્બરે થવાની છે. એજન્સીનું કહેવું છે કે સર્વેશ મિશ્રા દ્વારા સંજય સિંહને 2 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી. આ સિવાય એવો પણ આરોપ છે કે સંજય સિંહે એક્સાઈઝ પોલિસીમાં ફેરફારને લઈને દિનેશ અરોરાને ટેકો આપ્યો હતો. દિનેશ અરોરાએ 2 કરોડ રૂપિયા સંજય સિંહના ઘરે પહોંચાડ્યા હતા. જોકે સંજય સિંહે આ આરોપોને પહેલા જ નકારી દીધા હતા.
આ સમાચાર પણ વાંચો : KBC 15 : KBC 15માં આવેલી આ સ્પર્ધકે પોતાની ફની સ્ટાઈલથી બધાનું દિલ જીતી લીધું, બિગ બી પણ હસી પડ્યા. જુઓ વિડીયો..
નવી આબકારી નીતિ શું હતી
આમ આદમી પાર્ટીની સરકારે 2021-22 માટે નવી આબકારી નીતિ રજૂ કરી હતી. જેમાં હોટલ, બાર અને રેસ્ટોરન્ટમાં 3 વાગ્યા સુધી દારૂના ખરીદ-વેચાણની પરવાનગી આપવામાં આવી હતી. આ સિવાય ખુલ્લી જગ્યાઓ જ્યાં માત્ર છત હોય ત્યાં પણ દારૂ વેચવાની પરવાનગી આપવામાં આવી હતી. આ ઉપરાંત બારમાં મનોરંજનની પણ વ્યવસ્થા કરી શકાશે. દુકાનો પરથી સરકારના માલિકી હક્કો કાઢી નાખવામાં આવ્યા હતા. આ નીતિ હેઠળ, દરેક ઝોન ઓપરેટરને ઇ-ટેન્ડર દ્વારા નવું L-7Z લાઇસન્સ આપવાનું હતું. આ પોલિસી ઓગસ્ટ 2022માં પાછી ખેંચી લેવામાં આવી હતી. આ પછી એલજી વીકે સક્સેનાએ તપાસના આદેશ આપ્યા હતા.
