Site icon

ભારતભરમાં વિસ્ફોટો કરવા માટે કઈ રીતે વિસ્ફોટક આ દેશની અંદર સુધી પહોંચ્યા? આતંકીઓએ કર્યો ખુલાસો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર

ભારતભરમાં 26/11થી પણ મોટા વિસ્ફોટ કરવાનું પાકિસ્તાનની આઇએસઆઇ અને દાઉદ ઇબ્રાહિમના ભાઈ અનીસ ઈબ્રાહિમનું ષડ્યંત્ર નિષ્ફળ ગયું છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે છ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. પોલીસે આ આતંકવાદીઓ પાસેથી ભારે માત્રામાં વિસ્ફોટક અને હથિયારો જપ્ત કર્યાં હતાં. પૂછપરછ દરમિયાન વિસ્ફોટક દેશની અંદર કેવી રીતે પહોંચાડ્યા એનો ખુલાસો આતંકવાદીઓએ કર્યો છે.

Join Our WhatsApp Community

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે છમાંથી બે આતંકવાદીઓએ પાકિસ્તાનમાં ટ્રેનિંગ લીધી હતી. આ કાવતરાના  માસ્ટરમાઇન્ડ અનીસ ઇબ્રાહિમે ભારતમાં વિવિધ ઠેકાણે હથિયારો અને વિસ્ફોટકો પહોંચાડવાની જવાબદારી લીધી હતી. દિલ્હી, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સુધી આ લોકોનું નેટવર્ક ફેલાયેલું હતું.

વડા પ્રધાન મોદીએ સંરક્ષણ મંત્રાલયના નવાં કાર્યાલયોનું કર્યું ઉદ્ઘાટન, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ટીકાકારો પર સાધ્યું નિશાન; જાણો તેમણે શું કહ્યું

સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ આતંકવાદીઓ પાસેથી જપ્ત કરાયેલો સામાન 9મી ઑગસ્ટ, 2021ના રોજ  અમૃતસરમાં ડ્રૉનની મદદથી ડ્રૉપ કરવામાં આવેલાં હથિયારો જેવો જ છે. 

હાલમાં આ છ આતંકવાદીઓ પોલીસ હિરાસતમાં છે. વધુ પૂછપરછમાં અન્ય ખુલાસા થઈ શકે છે.

Rahul Gandhi vs Ravneet Bittu: રાહુલ ગાંધી અને રવનીત બિટ્ટૂ વચ્ચે આમને-સામને ટક્કર, એકબીજા પર લગાવ્યા ગંભીર આરોપો.
Ghaziabad Sister: ઓનલાઇન ગેમના ચક્કરમાં 3 બહેનોએ મોતની છલાંગ લગાવી, માતા-પિતા માટે છોડતી ગઈ કરુણ ચીઠ્ઠી.
Railway Budget 2026: મુંબઈ-પુણે માત્ર 48 મિનિટમાં! રેલ્વે બજેટ 2026ની 5 સૌથી મોટી જાહેરાતો જે મુસાફરોની કિસ્મત બદલી નાખશે
Ghaziabad Tragedy: કાળજું કંપાવનારી ઘટના: ગાઝિયાબાદમાં 3 સગી બહેનોએ 9મા માળેથી કૂદીને કરી આત્મહત્યા; ઓનલાઇન ગેમની લત કારણભૂત?
Exit mobile version