Site icon News Continuous Bureau | Mumbai

કેમ કરી હતી નોટબંધી? આશરે 6 વર્ષ બાદ મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં આપ્યો જવાબ, સામે આવ્યું આ સત્ય

No appeal, no argument and no investigation... President's decision on mercy petition is 'final' in the new rule of the Code of Justice

No appeal, no argument and no investigation... President's decision on mercy petition is 'final' in the new rule of the Code of Justice

 News Continuous Bureau | Mumbai

નવેમ્બર 2016માં, મોદી સરકારે (Modi Govt) રૂ.500 અને રૂ.1000ની નોટો (Demonetization) ને બંધ કરવાનો નિર્ણય કર્યો અને દેશભરમાં હોબાળો થયો. આ નિર્ણયને 6 વર્ષ થઈ ગયા છે, પરંતુ હજુ પણ ઘણા લોકો નોટબંધીના નિર્ણય સામે વાંધો ઉઠાવી રહ્યા છે. સરકારના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં 57 જેટલી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. દરમિયાન, કેન્દ્ર સરકારે આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે અને કોની ભલામણ પર નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો હતો તેની માહિતી આપી છે.

Join Our WhatsApp Channel

કેન્દ્ર સરકારે તેના સોગંદનામામાં કહ્યું છે કે, 2016ની 8 નવેમ્બરની મધરાતથી દેશભરમાં નોટબંધી લાગુ કરવાનો નિર્ણય વિચારપૂર્વક લેવામાં આવ્યો હતો અને ફેક કરન્સી નોટો (Fake currency notes) , કરચોરી, કાળું નાણું (Black Money) અને ટેરર ​​ફંડિંગ (Terror Funding)  જેવી સમસ્યાઓનો સામનો કરવા માટેની રણનીતિનો એક હિસ્સો હતો. નોટબંધી નિર્ણયમાં સરકારે રૂ. 500 અને રૂ. 1000ના મૂલ્યની ચલણી નોટોને વ્યવહારમાંથી તાત્કાલિક રીતે હટાવી દીધી હતી.

આ સમાચાર પણ વાંચો: હળદરવાળું દૂધ પીતા હોવ તો ખાસ વાંચો! આ લોકોએ ભૂલથી પણ ન પીવું જોઈએ, થઇ શકે છે નુકસાન

ઉપરાંત, કેન્દ્ર સરકારે એફિડેવિટમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર સરકારે નોટબંધીનો નિર્ણય ભારતીય રિઝર્વ બેંકની ભલામણ પર લીધો હતો, જે ભારતની મધ્યસ્થ બેંક છે. સરકારે એમ પણ કહ્યું કે નોટબંધીનો નિર્ણય ઉપર જણાવેલી સમસ્યાઓ પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ દેશની પરિવર્તનશીલ આર્થિક નીતિઓના ટેકામાં એક મહત્વના પગલાં સમાન હતો. આ કેસમાં સુપ્રીમ કોર્ટે હવે વધુ સુનાવણી માટે 24 નવેમ્બર તારીખ નક્કી કરી છે.

India Technology Journey એક સમયે વિદેશો પણ ભારત પર હસતા હતા! આજે દુનિયા આખી ભારતના ટેલેન્ટ અને AIUPI ની દિવાની; જાણો સંપૂર્ણ સફર
Supreme Court Food Labelling તમે જે પેકેજ્ડ ફૂડ ખાઓ છો તેમાં શું છે? સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ લેબલિંગ મુદ્દે કેન્દ્ર સરકાર પાસેથી માંગ્યો સ્પષ્ટ જવાબ
Digital Currency Ration Card કાળાબજારી અને છેતરપિંડી પર લાગશે પૂર્ણવિરામ, રેશનકાર્ડ પર ડિજિટલ કરન્સીથી મળશે અનાજ, જાણો કેવી રીતે થશે ઉપયોગ
Iran US War યુદ્ધમાં ઈરાને અમેરિકાના ૪૫ રીપર ડ્રોન તોડી પાડ્યા, યુએસ હથિયાર પુરવઠા પર મોટો સંકટ
Exit mobile version