Site icon

દિવાળી વેકેશન ઘરે જ મનાવવું પડશે.. ડીજીસીએએ 30 નવેમ્બર સુધી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ્દ કરી.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
28 ઓક્ટોબર 2020

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકએ બુધવારે જણાવ્યું હતું કે , કોરોનાવાયરસના કેસોને ધ્યાનમાં રાખી આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સનું સસ્પેન્શન 30 નવેમ્બર સુધી વધારવામાં આવ્યું છે. કોરોનાવાયરસ રોગચાળાને કારણે 23 માર્ચથી નિર્ધારિત આંતરરાષ્ટ્રીય પેસેન્જર સેવાઓ ભારતમાં સ્થગિત કરવામાં આવી છે. પરંતુ જુલાઈથી વંદે ભારત મિશન હેઠળ પસંદ થયેલ દેશો સાથે દ્વિપક્ષીય સંમતિ હેઠળ વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ કાર્યરત છે .

Join Our WhatsApp Community

ભારતે અમેરિકા, યુકે, યુએઈ , કેન્યા, ભૂટાન અને ફ્રાન્સ સહિત લગભગ 18 દેશો સાથે એર બબલ કરાર કર્યા છે. બે દેશો વચ્ચે એર બબલ કરાર હેઠળ, વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ તેમના એરપોર્ટ્સ દ્વારા તેમના પ્રદેશો વચ્ચેની સંચાલન કરી શકાય છે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ પરિપત્રમાં એમ પણ જણાવ્યું હતું કે સસ્પેન્શન આંતરરાષ્ટ્રીય ઓલ-કાર્ગો ઓપરેશન્સ અને ખાસ કરીને તેના દ્વારા મંજૂર કરવામાં આવતી ફ્લાઇટ્સના સંચાલનને અસર કરતું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે રોગચાળાની સ્થિતિ વચ્ચે બે મહિનાના અંતરાલ બાદ 25 મેના રોજ ભારતમાં નિર્ધારિત સ્થાનિક પેસેન્જર ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ હતી.

Monalisa Viral Girl:મોનાલિસા નીકળી સગીર! ફરમાન વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ, કોઈપણ ક્ષણે થઈ શકે છે ધરપકડ
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
LPG થી PNG: ગેસ સિલિન્ડર પર તમારા ખિસ્સામાંથી કેટલો ટેક્સ જાય છે? જાણો સરકારની કમાણીનું આખું ગણિત
LPG Crisis Management: ગેસ સિલિન્ડર માટે હવે નહીં જોવી પડે રાહ! સરકારે લીધો મોટો નિર્ણય, આ ખાસ વર્ગના લોકોને મળશે પ્રાધાન્ય.
Exit mobile version