Site icon News Continuous Bureau | Mumbai

દિગ્વિજય સિંહે મોહન ભાગવતના આ નિવેદનની ઠેકડી ઉડાવી; કહ્યું :મોહન ભાગવત અને ઔવેસીનું DNA એક, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૮ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

કૉન્ગ્રેસના નેતા દિગ્વિજય સિંહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતના DNAવાળા નિવેદનની ઠેકડી ઉડાવી છે. દિગ્વિજયસિંહે મોહન ભાગવત પર નિશાન સાધ્યું છે અને પૂછ્યું છે કે જો હિન્દુઓ અને મુસ્લિમોના DNA એક સમાન છે, તો એ મુજબ મોહન ભાગવત અને ઓવૈસીના DNA પણ એક સમાન હશે.

હકીકતે અગાઉ RSSના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે ભારતમાં રહેતા તમામ લોકોના DNA સમાન છે, ભલે તે કોઈ પણ ધર્મના હોય. મોહન ભાગવતના આ નિવેદન પર દિગ્વિજયસિંહે મધ્યપ્રદેશના સિહોરમાં તેની ફીરકી લીધી હતી અને કહ્યું હતું કે જો હિન્દુઓ અને મુસ્લિમોના DNA સમાન છે, તો પછી ધર્માંતર અને લવ જીહાદ વિરુદ્ધ કાયદો ઘડવાનો અર્થ શું છે?

ટ્રુકૉલર અંગે ફરી વિવાદ : ટ્રુકૉલરના ડેટા શૅરિંગ મામલે બૉમ્બે હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને ફટકારી નોટિસ, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે મોહન ભાગવતે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે દેશમાં હિન્દુ-મુસ્લિમ એકતા ભ્રામક છે, કારણ કે એ જુદા નથી, પરંતુ એક જ છે. લોકો જેની પૂજા કરે છે તેના આધારે લોકોમાં ભેદભાવ કરી શકાય નહિ. તમામ ભારતીયોના DNA તેમના ધર્મને ધ્યાનમાં લીધા વિના સમાન છે. આ અંગે દિગ્વિજય સિંહે મોહન ભાગવતની ઠેકડી ઉડાવી હતી.

PM Modi on US Iran Deal અમેરિકાઈરાન શાંતિ કરાર પર વડાપ્રધાન મોદીનું ટ્વીટ ‘આ સમજૂતીથી વિશ્વમાં શાંતિ અને સ્થિરતા બહાલ થશે’
Safety Advisory for Indian Seafarers ભારત સરકારનું કડક પગલું હોર્મુઝ સંકટ વચ્ચે ભારતીય નાવિકોની સુરક્ષા માટે નવી ભરતી સ્થગિત
Monsoon Delay Challenges દરિયામાં ભેજ હોવા છતાં ચોમાસું સુસ્ત પવનોની ખેંચતાણ વચ્ચે અટવાઈ ‘મોનસૂન એક્સપ્રેસ’
Impact of US Iran Deal on Fuel Prices અમેરિકાઈરાન સમજૂતીની અસર ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, શું ભારતમાં ઘટશે પેટ્રોલડીઝલના ભાવ?
Exit mobile version