Site icon News Continuous Bureau | Mumbai

સાંસદ પદ બાદ હવે ઘર પણ છીનવાશે, રાહુલ ગાંધીને આ તારીખ સુધીમાં સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ..

Disqualified from Lok Sabha, Rahul Gandhi now asked to vacate govt-allotted bungalow: Reports

સાંસદ પદ બાદ હવે ઘર પણ છીનવાશે, રાહુલ ગાંધીને આ તારીખ સુધીમાં સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ..

News Continuous Bureau | Mumbai

લોકસભામાંથી સદસ્યતા રદ થયા બાદ હવે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું ઘર પણ છીનવાશે. કોંગ્રેસ નેતા ને સરકાર દ્વારા ફાળવવામાં આવેલ બંગલો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ કહેવામાં આવી રહ્યું છે કે લોકસભામાંથી અયોગ્ય જાહેર થયા બાદ હવે લોકસભા હાઉસિંગ કમિટીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સરકાર દ્વારા ફાળવવામાં આવેલ બંગલો ખાલી કરવાની નોટિસ આપી છે.

રાહુલ ગાંધી દિલ્હીના લ્યુટિયન ઝોનમાં રહે છે

તમને જણાવી દઈએ કે 12, તુઘલક લેન બંગલો 2004માં લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા બાદ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ફાળવવામાં આવ્યો હતો, જે હવે તેમણે ખાલી કરવો પડશે. મળતી માહિતી મુજબ, રાહુલ ગાંધીને 22 એપ્રિલ સુધી બંગલો ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે.

Join Our WhatsApp Channel

પ્રિયંકા ગાંધીએ પણ બંગલો ખાલી કરવો પડ્યો હતો

આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયના એક અધિકારીએ તાજેતરમાં કહ્યું હતું કે જ્યારથી તેમને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. તેથી તેમને સરકારી આવાસમાં રહેવાનો અધિકાર નથી. નિયમો અનુસાર, તેમણે ગેરલાયકાતના આદેશની તારીખથી એક મહિનાની અંદર પોતાનો સત્તાવાર બંગલો ખાલી કરવો પડશે. નોંધનીય છે કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ જુલાઈ 2020માં લોધી એસ્ટેટ ખાતેનો તેમનો સત્તાવાર બંગલો ખાલી કરવો પડ્યો હતો, કારણ કે સુરક્ષામાં ઘટાડો કર્યા પછી તે તેમના માટે લાયક ન હતા.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર સહિત મુંબઈમાં વધી રહ્યો છે કોરોનાનો ખતરો! પાલિકાએ તાબડતોબ લીધો આ નિર્ણય..

રાહુલ ગાંધી પાસે ઘર નથી

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના રાયપુર અધિવેશનના છેલ્લા દિવસે રાહુલ ગાંધીએ સભાને સંબોધિત કરીને ભાવુક ભાષણ આપ્યું હતું. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે 52 વર્ષ થઈ ગયા છે પરંતુ હજુ પણ મારી પાસે ઘર નથી.

Aadhaar Usage સુપ્રીમ કોર્ટનું મહત્વનું પગલું આધારનો ઉપયોગ માત્ર ‘ઓળખ પત્ર’ તરીકે જ થવો જોઈએ, અન્ય દસ્તાવેજોના વિકલ્પ તરીકે નહીં; કેન્દ્રને નોટિસ જારી
Army Incident Update રાજૌરીમાં નિયંત્રણ રેખા (LoC) પાસે ગ્રેનેડ બ્લાસ્ટ નિયમિત પેટ્રોલિંગ દરમિયાન 4 જવાન ઘાયલ, સેનાએ તપાસ શરૂ કરી
Flight Baggage Rules એરપોર્ટ પર વધારાનો ચાર્જ ભરવાથી બચવું છે? જાણો ફ્લાઇટના નવા બેગેજ નિયમો.
Sea Route Reopened વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ ખુલ્યો ભારતીય જહાજ ‘દિશા’એ હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યો; આ તારીખે ભારત પહોંચશે
Exit mobile version