Site icon News Continuous Bureau | Mumbai

Ayodhya Deepotsav: અયોધ્યા રામમંદિર માટે ખાસ પેકેજ જાહેર! ‘એક દીવો રામ’ ઑનલાઈન પ્રગટાવો, પ્રસાદ તમારા પહોંચશે ઘેર, જાણો કેવી રીતે

ઉત્તર પ્રદેશના પ્રવાસન વિભાગે 'દિવ્ય અયોધ્યા એપ' પર વર્ચ્યુઅલ દીવો પ્રગટાવવાની વ્યવસ્થા કરી, ભક્તો ₹501 થી ₹2100ના પેકેજ દ્વારા પ્રસાદ મેળવી શકશે.

Ayodhya Deepotsav અયોધ્યા રામમંદિર માટે ખાસ પેકેજ જાહેર! 'એક દીવો રામ' ઑનલાઈન પ્રગટાવો

Ayodhya Deepotsav અયોધ્યા રામમંદિર માટે ખાસ પેકેજ જાહેર! 'એક દીવો રામ' ઑનલાઈન પ્રગટાવો

News Continuous Bureau | Mumbai
Ayodhya Deepotsav અયોધ્યામાં ભવ્ય દીપોત્સવના આયોજનની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. આ વર્ષે 26 લાખથી વધુ દીવા પ્રગટાવવાની સાથે 2100 શ્રદ્ધાળુઓ દ્વારા સામૂહિક મહાઆરતીનો વિશ્વ કીર્તિમાન બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે, ડિજિટલ પહેલના ભાગરૂપે પ્રવાસન વિભાગે ”એક દીવો રામના નામે” ની શરૂઆત કરી છે. આ પહેલથી વિશ્વભરમાં ક્યાંય પણ રહેતા શ્રદ્ધાળુઓ ઓનલાઈન એક દીવો પ્રગટાવી શકશે અને પ્રસાદ પણ મેળવી શકશે.

ઓનલાઈન દીવો અને ત્રણ વિશેષ પેકેજ

પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે જણાવ્યું કે શ્રદ્ધાળુઓ ઓનલાઈન નોંધણી કરાવીને વર્ચ્યુઅલ દીપ પ્રગટાવીને ભગવાન શ્રી રામના ચરણોમાં પોતાની શ્રદ્ધા અર્પિત કરી શકે છે. તેમણે કહ્યું કે અયોધ્યા દીપોત્સવ હવે વૈશ્વિક સ્તરે લોકોને જોડતો કાર્યક્રમ બની ગયો છે. શ્રદ્ધાળુઓ ‘દિવ્ય અયોધ્યા એપ’ દ્વારા વિશ્વભરમાંથી ડિજિટલ દીવા પ્રગટાવી શકે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Silver Price: ચાંદીમાં ચમકારો: માત્ર 10 મહિનામાં ભાવ બમણા, રોકાણકારો માલામાલ!

પ્રસાદ સાથેના પેકેજની વિગતો

મંત્રીએ જણાવ્યું કે આ એપ પર શ્રદ્ધાળુઓ માટે ત્રણ પેકેજ ઉપલબ્ધ છે, જે નીચે મુજબ છે:
રામ જ્યોતિ (₹2100 નું પેકેજ): આ પેકેજમાં રોલી, સરયૂ જળ (પીતળના લોટામાં), અયોધ્યા રજ, રામદાણા, મિશ્રી, રક્ષા સૂત્ર, હનુમાન ગઢીના લડ્ડુ અને ચરણ પાદુકા (ખડાઉ) નો સમાવેશ થાય છે. ઓનલાઈન સંકલ્પ પૂરો કરવા પર આ સંપૂર્ણ પ્રસાદ તમારા ઘર સુધી પહોંચાડવામાં આવશે.
સીતા જ્યોતિ (₹1100 નું પેકેજ): માતા સીતાને સમર્પિત આ પેકેજમાં રોલી, સરયૂ જળ (પીતળના લોટામાં), રામદાણા, રક્ષા સૂત્ર અને હનુમાન ગઢીના લડ્ડુ નો સમાવેશ થાય છે.
લક્ષ્મણ જ્યોતિ (₹501 નું પેકેજ): આ પેકેજમાં રોલી, અયોધ્યા રજ, રામદાણા, રક્ષા સૂત્ર અને મિશ્રીનો સમાવેશ થાય છે.
શ્રદ્ધાળુઓ ઓનલાઈન સંકલ્પ લઈને આ પેકેજો પોતાના ઘરે પ્રાપ્ત કરી શકે છે. પ્રવાસન મંત્રીએ માહિતી આપી કે ‘દિવ્ય અયોધ્યા એપ’ ને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.

Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Education Budget Share In Modi Govt દેશના ભવિષ્ય કરતા રોડરસ્તા વધુ મહત્વના? છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ મંત્રાલયની ફાળવણીમાં મોટો કાપ
CJP Sacks Spokesperson Vijeta Dahiya આંદોલન દરમિયાન બર્ગર ખાવું ભારે પડ્યું CJP એ પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવ્યા
CJP Leader Abhijeet Dipke Allegations સરકારે વાતચીતના બહાને બોલાવી નજરકેદ કર્યા લાઠીચાર્જ અને પોલીસ બર્બરતા મુદ્દે અભિજીત દીપકેનો ગંભીર આરોપ
Exit mobile version