Site icon News Continuous Bureau | Mumbai

Droupadi Murmu: ‘તમને કન્નડ આવડે છે?’ સીએમ સિદ્ધારમૈયાએ દ્રૌપદી મુર્મુને પૂછ્યો સવાલ; રાષ્ટ્રપતિ એ આપ્યો આવો જવાબ

Droupadi Murmu: મૈસૂરના પ્રવાસે રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રી વચ્ચે હળવી વાતચીત, રાષ્ટ્રપતિએ કહ્યું - "હું બધી ભાષાઓ અને સંસ્કૃતિઓનું સન્માન કરું છું.

M Siddaramaiah asked President Droupadi Murmu; this was her reply

M Siddaramaiah asked President Droupadi Murmu; this was her reply

News Continuous Bureau | Mumbai

Droupadi Murmu:  કર્ણાટકના મૈસૂર પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વચ્ચે એક હળવી અને રસપ્રદ વાતચીત થઈ. આ દરમિયાન સીએમ સિદ્ધારમૈયાએ રાષ્ટ્રપતિને હસતા હસતા પૂછ્યું કે “શું તમને કન્નડ ભાષા આવડે છે?” તેના જવાબમાં રાષ્ટ્રપતિ મુર્મુએ પણ સ્મિત સાથે કહ્યું કે “ના, પરંતુ હું શીખવાનો પ્રયાસ કરીશ.” આ સાથે તેમણે દેશની તમામ ભાષાઓ અને સંસ્કૃતિઓનું સન્માન કરવાની વાત પણ કરી.

Join Our WhatsApp Channel

કન્નડ મારી માતૃભાષા નથી – રાષ્ટ્રપતિ મુર્મુ

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પીચ એન્ડ હીયરિંગના ડાયમંડ જ્યુબિલી કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના સંબોધનમાં આ વાત કહી. તેમણે કહ્યું કે કન્નડ મારી માતૃભાષા નથી, પરંતુ હું મારા દેશની તમામ ભાષાઓ, સંસ્કૃતિઓ અને પરંપરાઓને ખૂબ જ પ્રેમ અને સન્માન આપું છું. તેમણે દેશના દરેક નાગરિકને પોતાની ભાષા અને પરંપરાને જીવંત રાખવાની શુભેચ્છા પાઠવી અને કહ્યું કે તેઓ પોતે પણ ધીમે ધીમે કન્નડ ભાષા શીખવાનો પ્રયાસ કરશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ થાવરચંદ ગેહલોત અને કર્ણાટકના રાજકારણના અન્ય અગ્રણી નેતાઓ પણ હાજર હતા.

આ સમાચાર પણ વાંચો : India-Germany relations: જર્મનીએ ટ્રમ્પને બતાવ્યો અરીસો! જર્મનીના વિદેશ મંત્રી એ ભારત સાથે ના સંબંધ ને લઈને કહી આવી વાત

સીએમ સિદ્ધારમૈયાએ કન્નડ શીખવું જરૂરી ગણાવ્યું હતું

નોંધનીય છે કે, થોડા મહિના પહેલા મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ એક નિવેદનમાં કહ્યું હતું કે કર્ણાટકમાં રહેતા દરેક વ્યક્તિને કન્નડ બોલતા આવડવું જોઈએ. તેમણે કહ્યું હતું કે “આપણે બધા કન્નડિગા છીએ.” તેમના આ નિવેદન પર વિરોધ પક્ષોએ વાંધો ઉઠાવ્યો હતો. સિદ્ધારમૈયા પોતાના અગાઉના કાર્યકાળમાં પણ કન્નડ ભાષાને પ્રોત્સાહન આપવાની વકાલત કરી ચૂક્યા છે.

 

Old Currency Notes Rumor Debunked શું ૨૦૦૫ પહેલાની ચલણી નોટો બંધ થઈ રહી છે? બેંક ઓફ મહારાષ્ટ્રની મોટી સ્પષ્ટતા
Income Tax Notice to Student મજૂરની પુત્રીને ઈન્કમ ટેક્સ વિભાગની ૨૦ કરોડની નોટિસ આધારપાન કાર્ડનો દુરુપયોગ થયાનો આક્ષેપ
Muzhiyan Kulam Restoration પુડુચેરીનું 400 વર્ષ જૂનું ‘મુઝિયાન કુલમ’ ફરી જીવંત, નિર્મલા સીતારમણે કર્યું લોકાર્પણ
New Toll Tax Rules વાહનચાલકો માટે મોટી રાહત, હાઈવે પર હવે 60 કિમી સુધી નહીં ચૂકવવો પડે ટોલ ટેક્સ
Exit mobile version