Site icon News Continuous Bureau | Mumbai

લોકડાઉનના કારણે માત્ર જૂજ લોકોની હાજરીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલ્યા બદ્રીનાથ ધામના કપાટ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

15 મે 2020

શિયાળાના લાંબા વિરામ બાદ બદ્રીનાથ ધામના કપાટ આજે સવારે 4:30 વાગ્યે વૈદિક મંત્રોચ્ચારની સાથે ખોલવામાં આવ્યા હતા. કોરોના મહામારીના લોકડાઉનના કારણે મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી નહોતી. માત્ર જૂજ લોકોની હાજરીમાં જ ભગવાન બદ્રી વિશાલના મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. કપાટોદ્ઘાટનમાં મુખ્ય પૂજારી રાવલ, ધર્માધિકારી ભૂવન ચંદ્ર ઉનિયાલ, રાજગુરુ સહિત માત્ર 28 લોકો જ હાજર રહ્યાં હતાં. આ દરમિયાન માસ્ક સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવામાં આવ્યું હતું. બાબા બદ્રીનાથના કપાટ ખોલતા પહેલા સમગ્ર મંદિર પરિસરને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું અને મંદિરના પરિસરને ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. ભગવાન બદ્રી વિશાલની આજે પહેલી અભિષેક પૂજા વડાપ્રધાન મોદી તરફથી કરવામાં આવી, જેથી કોરોના વાયરસ નામની મહામારીને દેશ અને વિશ્વભરમાંથી દૂર કરવામાં સૌને સફળતા મળે..

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version