Site icon News Continuous Bureau | Mumbai

Double Blow to Pakistan: હવે પાકિસ્તાન નહીં જાય રાવીનું પાણી! ભારતનો શાહપુર કાંડી પ્રોજેક્ટ તૈયાર; પડોશી દેશને પાઠ ભણાવવા ભારતનો એક્શન પ્લાન.

Double Blow to Pakistan: ‘પાકિસ્તાન જતું પાણી અટકાવવું જ જોઈએ’: જમ્મુ-કાશ્મીરના મંત્રી જાવેદ અહમદ રાણાનું મોટું નિવેદન; શાહપુર કાંડી ડેમથી સરહદી વિસ્તારોની સૂકી ધરતીને મળશે નવું જીવન.

Double Blow to Pakistan After Indus, India to stop Ravi river's extra water; Shahpur Kandi Dam project nears completion.

Double Blow to Pakistan After Indus, India to stop Ravi river's extra water; Shahpur Kandi Dam project nears completion.

News Continuous Bureau | Mumbai

સિંધુ જળ સંધિને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત સરકાર પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક મોટું કદમ ઉઠાવવા જઈ રહી છે. પંજાબ અને જમ્મુ-કાશ્મીરની સરહદ પર બની રહેલા શાહપુર કાંડી ડેમ નું કામ હવે તેના અંતિમ તબક્કામાં છે. આ ડેમ પૂર્ણ થતા જ રાવી નદીનું જે વધારાનું પાણી પાકિસ્તાન તરફ વહી જતું હતું, તેને ભારત રોકી શકશે.જમ્મુ-કાશ્મીરના જળ સંસાધન મંત્રી જાવેદ અહમદ રાણાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, સરકારની પ્રાથમિકતા કઠુઆ અને સાંબા જેવા સૂકાગ્રસ્ત જિલ્લાઓને પાણી પૂરું પાડવાની છે.

Join Our WhatsApp Channel

શાહપુર કાંડી ડેમ પ્રોજેક્ટનું મહત્વ

આ પ્રોજેક્ટ દ્વારા રાવી નદી પર ડેમ બનાવીને તેના પાણીનો સંગ્રહ કરવામાં આવશે. આ પાણીનો ઉપયોગ જમ્મુ-કાશ્મીરના કાંડી વિસ્તારોમાં સિંચાઈ અને પીવા માટે કરવામાં આવશે. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે જે પાણી પર ભારતનો હક છે અને વધારાનું પાણી જે અત્યાર સુધી વણવપરાયેલું પાકિસ્તાન જતું હતું, તે હવે ભારતના ખેડૂતોના હિતમાં વપરાશે. શાહપુર કાંડી ડેમનું કામ ૩૧ માર્ચ ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.

આ સમાચાર પણ વાંચો : Gold-Silver Price 18 Feb: સોના-ચાંદીમાં ઘટાડો અટક્યો: ચાંદીમાં મોટો ઉછાળો, સોનું પણ મોંઘું થયું; શું ઝવેરી બજારમાં ફરી ‘બુલ રન’ શરૂ થયો?.

પાકિસ્તાન માટે વધશે મુશ્કેલી

ભારત સરકારના આ નિર્ણયથી પાકિસ્તાન માટે મોટી મુસીબત ઊભી થઈ શકે છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં જ્યારે નદીઓમાં પાણી ઓછું હોય છે, ત્યારે રાવીનું પાણી બંધ થવાથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ખેતી અને પીવાના પાણીની અછત સર્જાઈ શકે છે. અગાઉ ભારતે ચિનાબ નદી પરના ‘સાવલકોટ પ્રોજેક્ટ’ ને લઈને પણ પાકિસ્તાનની ચિંતા વધારી દીધી છે.

સિંધુ જળ સંધિમાં તણાવ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૬૦માં થયેલી સિંધુ જળ સંધિ અત્યારે સૌથી નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે. ભારતે તાજેતરમાં આ સંધિના અમલીકરણમાં પાકિસ્તાનના અડિયલ વલણને કારણે તેને સ્થગિત કરવાના સંકેત આપ્યા છે. ભારત હવે પશ્ચિમની નદીઓ (સિંધુ, જેલમ, ચિનાબ) પર પણ પોતાના હક મુજબના હાઇડ્રો પ્રોજેક્ટ્સ ઝડપથી પૂર્ણ કરી રહ્યું છે, જેનાથી પાકિસ્તાન ફફડી રહ્યું છે.

Cockroach Janta Party। વ્યુઝ અને ફોલોઅર્સ મામલે ‘કોકરોચ જનતા પાર્ટી’ એ તોડ્યા રેકોર્ડ્સ, ડિજિટલ વર્લ્ડમાં ભારે ચર્ચા
Modi Cabinet Report Card। શું પીએમ મોદી બદલશે પોતાનું મંત્રીમંડળ? સૌથી ખરાબ કામ કરનારા મંત્રીઓની લિસ્ટ સામે આવતા જ રાજકારણ ગરમાયું
NEET UG Paper Leak| મરાઠી ટ્રાન્સલેશનના નામે થયો મોટો ખેલ! NTA એ સંસદીય સમિતિને જણાવ્યું કેવી રીતે લીક થયા પ્રશ્નો
Lucknow Expressway Accident| લખનૌ એક્સપ્રેસવે પર કન્ટેનર સાથે ભીડાતા જ લક્ઝરી બસ સળગી ઉઠી, ડ્રાઈવર જીવતો હોમાયો, મુસાફરોમાં ચીસાચીસ
Exit mobile version