Site icon

e-Shram One Stop Solution: ડૉ. મનસુખ માંડવિયા આવતીકાલે અસંગઠિત કામદારો માટે લોન્ચ કરશે ‘આ’ પહેલ, હવે સરકારી યોજનાઓ સુધી સરળતાથી પહોંચ મળશે.

e-Shram One Stop Solution: ડૉ. મનસુખ માંડવિયા 21 ઓક્ટોબર, 2024ના રોજ અસંગઠિત કામદારો માટે 'ઇ-શ્રમ-વન સ્ટોપ સોલ્યુશન' લોન્ચ કરશે

Dr. Mansukh Mandvia to launch 'e-Shram-one stop solution' for unorganized workers

Dr. Mansukh Mandvia to launch 'e-Shram-one stop solution' for unorganized workers

News Continuous Bureau | Mumbai

e-Shram One Stop Solution:  અસંગઠિત શ્રમિકો માટે વિવિધ સામાજિક ક્ષેત્રની યોજનાઓ સુધી પહોંચવા માટે વન-સ્ટોપ-સોલ્યુશન તરીકે ઈ શ્રમ (eShram)ને વિકસાવવા અંગેની તાજેતરની બજેટ જાહેરાતના વિઝનને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમત મંત્રી 21.10.2024 ના ‘ઇ શ્રમ-વન સ્ટોપ સોલ્યુશન’ લોન્ચ કરશે. 

Join Our WhatsApp Community

ઇ-શ્રમ-વન સ્ટોપ સોલ્યુશન એ સુનિશ્ચિત કરવા માટે મધ્યસ્થી તરીકે કાર્ય કરશે કે અસંગઠિત કામદારોને વિવિધ સરકારી યોજનાઓ/કાર્યક્રમો સુધી સરળતાથી પહોંચ મળે. આ પહેલ અસંગઠિત કામદારોને ( Mansukh Mandaviya ) તેમના માટે રચાયેલ યોજનાઓથી વાકેફ કરવામાં મદદ કરશે.

ઇ-શ્રમ-વન સ્ટોપ સોલ્યુશનનો ( e-Shram One Stop Solution ) હેતુ અસંગઠિત કામદારો માટેની તમામ સામાજિક સુરક્ષા અને કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓની માહિતીને એક જ પ્લેટફોર્મ દ્વારા અસરકારક રીતે એકીકૃત કરવાનો છે. વન-સ્ટોપ-સોલ્યુશન તરીકે ઈ-શ્રમ અસંગઠિત કામદારો ( unorganized workers ) માટે સામાજિક સુરક્ષા અને કલ્યાણ યોજનાઓની ઓળખ અને અમલીકરણમાં મદદ કરશે અને યોજનાઓને ઝડપી અને અસરકારક રીતે સંતૃપ્ત કરવામાં મદદ કરશે. પરિણામે, વિવિધ કેન્દ્રીય મંત્રાલયો/વિભાગોની 12 યોજનાઓ પહેલેથી જ ઈ-શ્રમ સાથે સંકલિત/મેપ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  India Oman Naseem Al Bahr: ભારતીય નૌકાદળએ આ દેશની રોયલ નેવી સાથે લીધો નસીમ-અલ-બહરમાં ભાગ, બે તબક્કામાં હાથ ધરાઈ નૌકા કવાયત.

26 ઓગસ્ટ, 2021ના રોજ ઈ-શ્રમની ( e-Shram ) શરૂઆત થઈ ત્યારથી, તેણે 30 કરોડથી વધુ અસંગઠિત કામદારોની નોંધણી સાથે નોંધપાત્ર સીમાચિહ્નો હાંસલ કર્યા છે અને તેણે અસંગઠિત મજૂરોમાં તેની વ્યાપક અપીલ દર્શાવી છે. આ સિદ્ધિ પહેલની સામાજિક અસર અને દેશના અસંગઠિત કામદારોને ટેકો આપવાની સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Jagannath Ratna Bhandar:૪૮ વર્ષનો ઈન્તજાર ખતમ: જગન્નાથ મંદિરના રત્ન ભંડારનું ખુલશે રહસ્ય; RBI ની દેખરેખ હેઠળ સોના-ચાંદીની ગણતરી શરૂ
Final Farewell to Harish Rana: દેશનું પ્રથમ ‘ઈચ્છામૃત્યુ’: ૧૩ વર્ષની યાતના બાદ હરીશ રાણાએ લીધા અંતિમ શ્વાસ, ગ્રીન પાર્કમાં અપાઈ વિદાય
LPG ગેસ ધારકો સાવધાન! સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર; હવે રિફિલ માટે જોવી પડશે આટલા દિવસની રાહ; જાણો નવો નિયમ
E30 Petrol India:પેટ્રોલના ભાવમાં મળશે મોટી રાહત? હવે ‘E30’ ઈંધણની તૈયારી; વિદેશી તેલ પર નિર્ભરતા ઘટશે અને ખેડૂતોની આવક વધશે.
Exit mobile version