Site icon News Continuous Bureau | Mumbai

ખેડૂતોના આંદોલનને પગલે છેલ્લા એક વર્ષમાં આટલા હજાર કરોડના વેપારને થયું નુકસાન, વ્યાપારી સંગઠનનો દાવો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 1 ડિસેમ્બર 2021
બુધવાર

કૃષિ કાયદો પાછો ખેંચવાની દિલ્હી અને આસપાસના રાજ્યોમાં ખેડૂતોના ચાલી રહેલા આંદોલનના પગલે છેલ્લા એક વર્ષ દરમિયાન લગભગ રૂ. 60 હજાર કરોડનું ધંધાકીય નુકસાન થયું હોવાનો દાવો કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

CAIT દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ નવેમ્બર 2020થી જાન્યુઆરી 2021 સુધીના સમયગાળામાં વધુ નુકસાન થયું હતું. CAIT અને ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશન (ATWA)ના સંયુક્ત પ્રયાસોને કારણે ફેબ્રુઆરી 2021 થી જુલાઈ, 2021 દરમિયાન માલની હેરફેરમાં વેગ આવ્યો હતો. આંદોલનને કારણે અનેક અવરોધ આવ્યા હતા. છતાં આવશ્યક ચીજવસ્તુઓની કોઈ અછત સર્જાઈ નહોતી. તેનું કારણ અન્ય રાજ્યોમાંથી દિલ્હી અને દિલ્હીથી અન્ય રાજ્યોમાં માલસામાન લઈ જતા ટ્રકો હાઇવે સિવાય શહેરો અને ગામડાઓના આંતરિક ભાગોમાંથી દિલ્હી સુધી પહોંચાડવા  માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેથી નવેમ્બર, 2020થી દેશભરમાં માલની સપ્લાય ચાલુ રહી હતી. 

CAIT મેટ્રોપોલિટન પ્રેસિડેન્ટ અને ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શંકર ઠક્કરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે નુકસાનના આંકડા વિવિધ રાજ્યોમાંથી CAITની રિસર્ચ વિંગ દ્વારા મળેલા ઈનપુટ્સ પર આધારિત છે.

પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશથી નવેમ્બર, ડિસેમ્બર, 2020 અને જાન્યુઆરી, 2021માં દિલ્હીને પુરવઠો નોંધપાત્ર રીતે પ્રભાવિત થયો છે. ખેડૂતો દ્વારા દિલ્હી તરફ જતા રાજમાર્ગો બંધ કરવાને કારણે મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશના માલસામાનના પરિવહનને પણ અસર થઈ હતી. આ રાજ્યોમાંથી આવતી મુખ્ય ચીજવસ્તુઓમાં ખાદ્ય અનાજ, એફએમસીજી ઉત્પાદનો, ઇલેક્ટ્રિકલ વસ્તુઓ, બિલ્ડર્સ હાર્ડવેર, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ઓટો સ્પેર પાર્ટ્સ, મશીનરી આર્ટિકલ, સેનિટરીવેર અને સેનિટરી ફિટિંગ, પાઇપ અને પાઇપ ફિટિંગ, કૃષિ ઓજારો, સાધનો, ફર્નિશિંગ ફેબ્રિક્સ, કોસ્મેટિક્સ, લોખંડ અને સમાવેશ થાય છે. સ્ટીલ, લાકડું અને પ્લાયવુડ, ખાદ્ય તેલ, પેક્ડ જનરલ માલ વગેરે પર પ્રતિકૂળ અસર થઈ છે.

 

હકીકત કે પછી ફસાના? કોંગ્રેસ શાસિત રાજ્યોની રસીકરણમાં બેદરકારી. ભાજપ શાસિત રાજ્યોમાં રસીકરણ અભિયાનનો ખૂબ સારો દેખાવ કર્યો. જાણો આંકડા… 

CAIT ના પદાધિકારીઓન જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ કૃષિ બિલો પાછા ખેંચી લીધા હોવાથી ખેડૂતો દ્વારા આંદોલન ચાલુ રાખવાનું કોઈ કારણ નથી. એક પછી એક માગણી કરવી એ ગેરકાયદે છે અને એ જ રીતે જો તેમની માગણીઓ સ્વીકારવામાં આવશે તો દેશ માની લેશે કે ટોળાશાહીને કારણે લોકશાહી સાથે ચેડાં થઈ રહ્યાં છે. જે રાજકીય પક્ષો આવી વધારાની માંગણીઓનું સમર્થન કરી રહ્યા છે તેમણે એ ન ભૂલવું જોઈએ કે દેશની તમામ જનતા તેમની હરકતો જોઈ રહી છે અને તેમને નજીકના ભવિષ્યમાં રાજકીય નુકસાન વેઠવું પડશે. કોઈએ ભૂલવું ન જોઈએ કે ખેડૂતો ઉપરાંત મતદારોનો પણ ઘણો મોટો વર્ગ છે. ખેડૂતોને પરાળી સળગાવવા માટે સંપૂર્ણપણે માફ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયની દેશભરમાં ટીકા થઈ રહી છે અને તેને કાયદા અને લોકોના સ્વાસ્થ્ય વિરુદ્ધના પગલાં તરીકે જોવામાં આવે છે જેની કોઈ ચૂંટાયેલી સરકાર પાસેથી અપેક્ષા રાખવામાં આવતી નથી. આ લોકશાહીને બંધક બનાવવા સિવાય બીજું કંઈ નથી.

Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Education Budget Share In Modi Govt દેશના ભવિષ્ય કરતા રોડરસ્તા વધુ મહત્વના? છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ મંત્રાલયની ફાળવણીમાં મોટો કાપ
CJP Sacks Spokesperson Vijeta Dahiya આંદોલન દરમિયાન બર્ગર ખાવું ભારે પડ્યું CJP એ પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવ્યા
CJP Leader Abhijeet Dipke Allegations સરકારે વાતચીતના બહાને બોલાવી નજરકેદ કર્યા લાઠીચાર્જ અને પોલીસ બર્બરતા મુદ્દે અભિજીત દીપકેનો ગંભીર આરોપ
Exit mobile version